નોકરીના ઠેકાણા નથી તો કરો લાલ પુસ્તકના આ ટોટકા, ચમકી જશે નસીબ

Lal Kitab Ke Totke: જો તમે લાંબા સમયથી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો અથવા બેરોજગારીથી પીડાઈ રહ્યા છો તો લાલ પુસ્તકના ટોટકા તમારા માટે ઉપયોગી સાબિત થશે

નોકરીના ઠેકાણા નથી તો કરો લાલ પુસ્તકના આ ટોટકા, ચમકી જશે નસીબ

Lal Kitab Ke Totke: તમે લાલ પુસ્તક વિશે સાંભળ્યુ હશે, તેને જોઈ પણ હશે. કહેવાય છે કે, જીવનના મૌલિક સિદ્ધાંતો પર આધારિત એક એવુ મૌલિક પુસ્તક છે, જેમાં જીવન સાથે જોડાયેલ તમામ સમસ્યાનું સમાધાન મળી જાય છે. તમારું ભાગ્ય સાથ નથી આપી રહ્યું તો લાલ પુસ્તકના ઉપાય જરૂરથી તમારી મદદ કરી શકે છે.

પુસ્તકના ઉપાયો અપનાવવાથી તમારા બગડેલા કામ બની જશે. જો તમે લાંબા સમયથી બેરોજગાર છો અને દિલથી ગમે એવી નોકરી કરવા માંગો છો તો લાલ પુસ્તક જરૂર અપનાવો. 

  • જો તમે લાંબા સમયથી નોકરીની શોધમાં છો અને આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માંગો છો તો પક્ષીઓને નિયમિત સવારે દાણાં નાંખો. આ ઉપરાંત શનિવારે પાપળાના વૃક્ષને જળ અર્જિત કરો અને તેની પરિક્રમા લગાવો.
  • મન ઈચ્છિત નોકરી માટે સુંદરકાંડના પાઠ કરવા ફાયદાકારક રહેશે.
  • દર મંગળવારે તેમજ શનિવારે સુંદરકાંડના પાઠ કરો અને હનુમાનજીને બુંદીના લાડુનો ભોગ લગાવો. તેના બાદ આ ભોગ ગરીબોમાં વહેંચી દો.
  • જો તમને નોકરીના અવસર મળી રહ્યાં છે, પરંતુ કોઈ કારણવશ સિલેક્શન થઈ નથી રહ્યું તો હળદરને પાણીમાં મિક્સ કરીને સ્નાન કરો. આ ઉપાય ઈન્ટરવ્યૂમાં જતા પહેલા અવશ્ય કરો. તેનાથી તમને જરૂર લાભ થશે.
  • સોમવારે દિવસે સવારે સ્નાન કર્યા બાદ ભગવાન શિવના મંદિરમાં જઈને તેમને અક્ષત એટલે કે ચોખા અર્પિત કરો. બાદમાં ગંગાજળથી સ્નાન કરો. આવું કરવાથી શિવ તમારા પર કૃપા વરસાવશે

જો તમને નોકરીમા પ્રમોશન નથી મળ્યું તો તેનો પણ ઉપાય છે. શનિવારે કાળા કૂતરાને ભોજન કરાવો. લાલ પુસ્તકના આ ટોટકા કરવાથી ભગવાન શનિદેવ પ્રસન્ન થાય છે અને તમારી મનોકામના પૂર્ણ કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news