SPG બિલ રાજ્યસભામાં પસાર, ગૃહમંત્રીએ કહ્યું-હવે આ સુરક્ષા ફક્ત વડાપ્રધાનને મળશે

એસપીજી બિલ આજે રાજ્યસભામાં ભારે હોબાળા વચ્ચે પસાર થઈ ગયું. બિલ પર મતદાન અગાઉ કોંગ્રેસના સાંસદો સદનમાંથી વોકઆઉટ કરી ગયા હતાં. ચર્ચા દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે ફક્ત ગાંધી પરિવાર જ નહીં દેશના દરેક નાગરિકની સુરક્ષા કરવી એ સરકારની જવાબદારી છે. તેમણે કોંગ્રેસના સવાલનો જવાબ આપતા કહ્યું કે ગાંધી પરિવારની સુરક્ષા હટાવવામાં આવી થી, માત્ર બદલવામાં આવી છે. નવા બિલ મુજબ હવે એસપીજીની સુરક્ષા ફક્ત વડાપ્રધાનને મળશે. કાયદો બધા માટે સરખો રહેશે. કોઈ એક પરિવારને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈ શકાય નહીં. અત્રે જણાવવાનું કે એસપીજી બિલ લોકસભામાં અગાઉ પસાર થઈ ચૂક્યું છે. 

SPG બિલ રાજ્યસભામાં પસાર, ગૃહમંત્રીએ કહ્યું-હવે આ સુરક્ષા ફક્ત વડાપ્રધાનને મળશે

નવી દિલ્હી: એસપીજી બિલ (SPG Bill) આજે રાજ્યસભામાં ભારે હોબાળા વચ્ચે પસાર થઈ ગયું. બિલ પર મતદાન અગાઉ કોંગ્રેસ (Congress) ના સાંસદો સદનમાંથી વોકઆઉટ કરી ગયા હતાં. ચર્ચા દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યું કે ફક્ત ગાંધી પરિવાર જ નહીં દેશના દરેક નાગરિકની સુરક્ષા કરવી એ સરકારની જવાબદારી છે. તેમણે કોંગ્રેસના સવાલનો જવાબ આપતા કહ્યું કે ગાંધી પરિવારની સુરક્ષા હટાવવામાં આવી થી, માત્ર બદલવામાં આવી છે. નવા બિલ મુજબ હવે એસપીજીની સુરક્ષા ફક્ત વડાપ્રધાનને મળશે. કાયદો બધા માટે સરખો રહેશે. કોઈ એક પરિવારને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈ શકાય નહીં. અત્રે જણાવવાનું કે એસપીજી બિલ લોકસભામાં અગાઉ પસાર થઈ ચૂક્યું છે. 

— ANI (@ANI) December 3, 2019

આ અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે  લોકસભામાં કહ્યું હતું કે વિશેષ સુરક્ષા સમૂહ (એસપીજી) સંશોધક બિલ 2019માં સંશોધનનો હેતુ બ્લેક કેટ કમાન્ડોની દક્ષતાને વધારવાનો છે. શાહની ટિપ્પણી લોકસભામાં બિલ પર વિચાર કરવા અને પસાર કરવા દરમિયાન આવી હતી જે એસપીજી  અધિનિયમ 1988માં સંશોધનની માંગણી કરી છે. જે મુજબ વડાપ્રધાન અને પૂર્વ વડાપ્રધાનની સાથે સાથે તેમના નીકટના પરિજનોને પણ સુરક્ષા આપવામાં આવે છે. 

શાહે કહ્યું કે એસપીજી બિલનો હેતુ વિશેષ સુરક્ષા સમૂહને વધુ કુશળ બનાવવાનો છે અને આ કામમાં કોઈ ઉદાસીનતા હોવી જોઈએ નહીં. અત્રે જણાવવાનું કે ગૃહ રાજ્યમંત્રી જી.કિશન રેડ્ડીએ સોમવારે આ બિલ રાજ્યસભામાં રજુ કર્યું હતું. 

નીચલા ગૃહને સંબોધિત કરતા શાહે કહ્યું કે 1991, 1994, 1999, અને 2003માં કાયદામાં સંશોધન થયું છે અને તે બુધવારે એસપીજી અધિનિયમમાં એક વધુ સંશોધન માટે આવ્યાં છે. જે કાયદાની મૂળ વાતો મુજબ છે. અધિનિયમમાં સંશોધન બાદ શાહે કહ્યું કે નવા કાયદાથી એ જરૂરી બની જશે કે એસપીજી સુરક્ષા ફક્ત વડાપ્રધાનને જ આપવામાં આવે અને તેમના અધિકૃત નિવાસ પર તેમની સાથે રહેતા પરિવારના સભ્યો તેમાં સામેલ હોય. 

તેમણે કહ્યું કે આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાનો અને તેમના તત્કાળ પિરવારના એવા સભ્યોને એસપીજી સુરક્ષા અપાશે કે જેઓ તેમની સાથે ફાળવવામાં આવેલા નિવાસ  સ્થાન પર રહે છે. એસપીજી સુરક્ષા વડાપ્રધાન પદ ત્યાગ કર્યા બાદ પાંચ વર્ષ સુધી જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. 

વડાપ્રધાન માટે એસપીજી કવરની જરૂરિયાત અંગે જણાવતા ગૃહ મંત્રીએ કહ્યું કે વડાપ્રધાનની સુરક્ષા માટે એસપીજીની જરૂર છે,  કારણ કે તે દેશના કલ્યાણ, દેશની સુરક્ષા અને સમાજની ભલાઈ માટે કેટલાક કઠોર નિર્ણય લે છે. તેમણે કહ્યું કે તે ફક્ત વડાપ્રધાનની શારીરિક સુરક્ષા સુધી જ સીમિત નથી પરંતુ વડાપ્રધાનના પદની સુરક્ષા, તેમની ગરિમા, તેમના કાર્યાલય, તેમના સંસ્થાન, સ્વાસ્થ્ય અને સંચાર સુધી સિમિત છે. આ તમામ ચીજોની નિગરાણી એસપીજી દ્વારા થાય છે કારણ કે તેઓ સરકારના પ્રમુખ છે. 

આ VIDEO પણ જુઓ...

ઈઝરાયેલ, ફ્રાન્સ, અને ઈંગ્લેન્ડનો ઉલ્લેખ કરતા શાહે કહ્યું કે દુનિયામાં અનેક એવા દેશો છે જ્યાં આવા સુરક્ષા સમૂહ પોતાના રાષ્ટ્રોના પ્રમુખો અને તે જગ્યાને સુરક્ષા પ્રદાન કરે છે જ્યાં તેઓ કામ કરે છે અને રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news