ગુજરાતમાં સરદાર પટેલની મૂર્તિથી યૂપીમાં રાજકીય સમીકરણ ફિટ કરવાનો પ્રયાસ

આ એકતા ટ્રેનના માધ્યમથી યૂપીના લોકો ગુજરાત આવશે. 30 ઓક્ટોબરે વારાણસીથી કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલ લીલી ઝંડી દેખાડી એકતા ટ્રેનને રવાના કરશે.

ગુજરાતમાં સરદાર પટેલની મૂર્તિથી યૂપીમાં રાજકીય સમીકરણ ફિટ કરવાનો પ્રયાસ

નવી દિલ્હી: ગુજરાતમાં 31 ઓક્ટોબરે સરદાર પટેલની મૂર્તિનું લોકાર્પણની સાથે ભાજપ યૂપીના રાજકીય સમીકરણ ફિટ કરવાનો પ્રયત્ન કરી રહી છે. ભાજપની યુપીમાં ઓબીસી મતદારો પર નજર છે એટલા માટે સરકારે 30 ઓક્ટોબરે સરદાર પટેલની મૂર્તિના લોકાર્પણના સમયે યૂપીના વારાણસીથી આણંદ સુધી સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. આ એકતા ટ્રેનના માધ્યમથી યૂપીના લોકો ગુજરાત આવશે. 30 ઓક્ટોબરે વારાણસીથી કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલ લીલી ઝંડી દેખાડી એકતા ટ્રેનને રવાના કરશે.

આ એકતા ટ્રેન 30 ઓક્ટોબરની સવારે 9:30 વાગ્યે વારાણસીથી શરૂ થશે અને 31 ઓક્ટોબરની સવારે 11 વાગે ગુજરાતના આણંદ પહોંચશે. આ એકતા ટ્રેનના માધ્યમથી યૂપીના લોકો ગુજરાત આવશે. એકતા ટ્રેન સરદાર પટેલના પૈતૃક ગામ કરમસદથી જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સરદાર પટેલની જયંતી પર આગામી 31 ઓક્ટોબરે સરદાર પટેલની મૂર્તિનું લોકાપર્ણ કરશે.

‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’ના દ્વારા પર્યટકોને આકર્ષિત કરશે ગુજરાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતને આશા છે કે આયરન મેન ઓફ ઇન્ડિયાના નામથી જાણીતી સરદાર વલ્લભભાઇ પટેલની વિશાળ પ્રતીમાથી રાજ્યમાં પર્યટનને વધારો મળશે. ગુજરાતમાં સરદાર પટેલની પ્રતિમાને દુનિયામાં સૌથી ઉંચી પ્રતિમાં ગણવામાં આવી રહી છે. આ પ્રતિમાને સ્ટેસ્ટૂ ઓફ યૂનિટીનું નામ આપવામાં આવ્યું છે.

गुजरात: 'स्टैच्यू ऑफ लिबर्टी' से भी भव्य है 'स्टैच्यू ऑफ यूनिटी', रोज आएंगे 15000 पर्यटक

182 મીટર ઉંચી આ વિશાળ પ્રતિમાં દેશના પહેલા ગૃહ મંત્રીને શ્રદ્ધાંજલિ હશે જેમણે 1947ના ભાગલા બાદ રાજાઓ-નવાબોના કબજાવાળા રાજ્યને ભારત સંઘમાં ભાગા કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આ પ્રતિમા હાલમાં વિશ્વની સૌથી ઉંચી ચીનની સ્પ્રિંગ ટેમ્પલ ઓફર બુદ્ધાની પ્રતિમાં કરતા 29 મીટર ઉંચી છે. ચીનની પ્રતિમાની ઉંચાઇ 153 મીટર છે. સરદાર પટેલની પ્રતિમાં ન્યૂયોર્ક સ્થિત 92 મીટર ઉંચી સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીની પ્રતિમાથી લગભગ બમણી મોટી છે.

આ પરિયોજના (સ્ટેચ્યૂ ઓફ યુનિટી)ની સાળસંભાળ કરી રહેલા સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (એસએસએનએનએસ)ના ચેરમેન તેમજ પ્રબંધ નિર્દેશક એસ.એસ. રાઠોડે પત્રકારોના એક ગ્રૃપને કહ્યું હતું કે, ‘અત્યારે આ ગેલેરીનું છેલ્લુ રૂપ આપવામાં આવી રહ્યું છે. 153 મીટર ઉપર સ્થિત છે. આ ગેલેરીમાં એક સમયે 200 પર્યટકોનો સમાવેશ થઇ શકે છે. ત્યાંથી સરદાર સરોવર ડેમ અને સાતપુડા તેમજ વિંધ્યની પર્વતી શ્રૃખલા તથા અન્ય જગ્યાઓનો નજારો જોઇ શકાશે.
(ઇનપુટ આઇએએનએસ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news