આરએસએસને સમજવા માટે સંઘ રાહુલ ગાંધીને વાતચીતનું આમંત્રણ મોકલશે: સૂત્ર

સૂત્રોના અનુસાર 17-19 સપ્ટેમ્બર વચ્ચે સંઘના કાર્યક્રમમાં ભાગ લેવા માટે તેમાંથી કોઇપણ દિવસ રાહુલ ગાંધીને આમંત્રિત કરવામાં આવી શકે છે.

આરએસએસને સમજવા માટે સંઘ રાહુલ ગાંધીને વાતચીતનું આમંત્રણ મોકલશે: સૂત્ર

નવી દિલ્હી: ગત થોડા દિવસો પહેલાં યૂરોપીય પ્રવાસ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરએસએસ પર આકરો પ્રહાર બોલતાં તેની તુલના અરબ જગતના સંગઠન મુસ્લિમ બ્રધરહુડથી કરી હતી. તે પહેલાં પણ રાહુલ ગાંધી સતત આરએસએસ પર હુમલા કરતા રહે છે. આ કડીમાં રાહુલ ગાંધીના સંઘ વિરોધી નિવેદનો બાદ સૂત્રોના અનુસાર આરએસએસે સંઘને સમજવા માટે રાહુલ ગાંધીને આમંત્રિત કરવાનો નિર્ણય કર્યો છે. 

સૂત્રોના અનુસાર 17-19 સપ્ટેમ્બર વચ્ચે સંઘના કાર્યક્રમમાં ભાગ લેવા માટે તેમાંથી કોઇપણ દિવસ રાહુલ ગાંધીને આમંત્રિત કરવામાં આવી શકે છે. રાહુલ સહિત ઘણા પક્ષોના પ્રમુખોને આમંત્રણ મોકલવામાં આવશે. સૂત્રોના અનુસાર રાહુલ ગાંધીને આરએસએસ ચીફ મોહન ભાગવતથી પ્રશ્ન પૂછવા માટે આમંત્રિત કર્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news