Lok Sabha Elections 2024: 'રાહુલ ગાંધી ધોનીની જેમ ફિનિશર છે, કોંગ્રેસને ખતમ કર્યા પછી જ અટકશે', રાજનાથ સિંહનો કટાક્ષ

Rajnath Singh Questions Rahul Gandhi: રાજનાથ સિંહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની તુલના મહેન્દ્ર સિંહ ધોની સાથે કરી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી કોંગ્રેસને ખતમ કરી દેશે.
 

Lok Sabha Elections 2024: 'રાહુલ ગાંધી ધોનીની જેમ ફિનિશર છે, કોંગ્રેસને ખતમ કર્યા પછી જ અટકશે', રાજનાથ સિંહનો કટાક્ષ

નવી દિલ્હીઃ Rajnath Singh On Rahul Gandhi: કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે શનિવાર (6 એપ્રિલ) એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની તુલના મહેન્દ્ર સિંહ ધોની સાથે કરતા કહ્યું કે ધોનીની જેમ તે મેચને જલ્દી ખતમ કરવામાં માહેર છે. મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં એક ચૂંટણી પ્રચાર રેલીમાં પોતાના સંબોધનમાં પૂર્વ ભાજપ અધ્યક્ષે તે પણ આરોપ લગાવ્યો કે કોંગ્રેસનો ભ્રષ્ટાચારની સાથે અતૂટ સંબંધ છે.

તેમણે કહ્યું- એક સમયે ભારતીય રાજનીતિમાં કોંગ્રેસનો દબદબો હતો, પરંતુ હવે મમાત્ર બે કે ત્રણ રાજ્યોમાં જ તેની સરકાર છે. તેમણે કહ્યું, મને ક્યારેક-ક્યારેક આશ્ચર્ય થાય છે કે આ કેમ થઈ રહ્યું છે, તો હું તે નિષ્કર્ષ પર પહોચું છું. ક્રિકેટમાં સૌથી સારો ફિનિશર કોણ છે? (લોકોનો જવાબ આપ્યા બાદ) ધોની. જો કોઈ પૂછે છે કે ભારતીય રાજનીતિમાં સૌથી સારો ફિનિશર કોણ છે, તો હું કરીશ કે તે રાહુલ ગાંધી છે. આ કારણ છે કે ઘણા નેતાઓએ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી છે.

રાજનાથ સિંહે કહ્યું- રાહુલ ગાંધી કોંગ્રેસને ખતમ કરવા સુધી રોકાશે નહીં
આ પહેલાની એક રેલીમાં સિંહે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું હતું કે તેમણે સમ ખાધા છે કે જ્યાં સુધી તે કોંગ્રેસને ખતમ નહીં કરે ત્યાં સુધી તે રોકાશે નહીં. પૂર્વ ભાજપ અધ્યક્ષે કહ્યું કે કોંગ્રેસ અને ભ્રષ્ટાચારની વચ્ચે પરસ્પર નિર્ભરતાનો સંબંધ છે અને મોટા ભાગની કોંગ્રેસ સરકારો પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં કોઈપણ મંત્રી પર આવા આરોપ લાગ્યા નથી. રક્ષામંત્રીએ કહ્યું કે ભ્રષ્ટાચારની સાથે કોંગ્રેસનો સંબંધ સલમાન ખાનની ફિલ્મ મૈંને પ્યાર કિયાના ગીત તૂ ચલ મૈં આઈથી ઉલ્લેખ કરી શકાય છે.

રાજનાથ સિંહે એક રાષ્ટ્ર એક ચૂંટણીની કરી વકાલત
કેન્દ્રીય મંત્રીએ એક રાષ્ટ્ર, એક ચૂંટણીની પણ વકાલત કરી અને દાવો કર્યો કે તેનાથી સમય અને સંસાધનોની બચત થશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ જે કહી રહી છે તેનાથી વિપરીત, એક સાથે ચૂંટણી થવાથી ભારતીય લોકતંત્ર મજબૂત થશે. તેમણે કહ્યું કે ચૂંટણી પાંચ વર્ષમાં બે વખત થવી જોઈએ- એકવાર સ્થાનીક સંસ્થાઓ માટે, ત્યારબાદ વિધાનસભાઓ અને લોકસભા માટે. રક્ષામંત્રીએ કહ્યું કે કેટલીક મોટી નાણાકીય કંપનીઓ ભવિષ્યવાણી કરી રહી છે કે ભારત 2027ન શરૂઆત સુધી વિશ્વની ટોપ ત્રણ અર્થવ્યવસ્થામાં હશે. તેમણે કહ્યું કે મોદી સરકારે પહેલા જ દેશની અર્થવ્યવસ્થાને ટોપ-5માં પહોંચાડી દીધી છે, જે 10 વર્ષ પહેલા 11માં સ્થાન પર હતી. રાજનાથ સિંહે કહ્યું કે, ભારત 2045 સુધી મહાશક્તિ બની જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news