નવજોત સિંહ સિદ્ધુનું શરમજનક નિવેદન, PM Modi ની સુરક્ષામાં ચુકને ગણાવ્યું નાટક

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ  (Navjot Singh Sidhu) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચુકને (PM Modi Security Breach) નાટક ગણાવ્યું છે. સિદ્ધુએ કહ્યુ કે ખુરશીઓ ખાલી હોવાને કારણે રેલી રદ્દ કરવામાં આવી છે. 
 

નવજોત સિંહ સિદ્ધુનું શરમજનક નિવેદન, PM Modi ની સુરક્ષામાં ચુકને ગણાવ્યું નાટક

નવી દિલ્હીઃ પંજાબના હુસૈનીવાલામાં બુધવાર (5 જાન્યુઆરી) એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) સુરક્ષામાં ચુકનો મામલો સતત વધી રહ્યો છે. આ વચ્ચે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ  (Navjot Singh Sidhu) શરમજનક નિવેદન આપ્યું છે અને તેને નાટક ગણાવ્યું છે. 

ખાલી ખુરશીઓને કારણે રેલી રદ્દઃ સિદ્ધુ
પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ  (Navjot Singh Sidhu) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચુકને (PM Modi Security Breach) નાટક ગણાવ્યું છે. સિદ્ધુએ કહ્યુ કે ખુરશીઓ ખાલી હોવાને કારણે રેલી રદ્દ કરવામાં આવી છે. 

એડીજીપીના પત્રથી મોટો ખુલાસો
પંજાબના એડીજીપીના પત્ર પ્રમાણે પંજાબ સરકારને કિસાનોના પ્રદર્શનની પહેલાથી જાણકારી હતી. એડીજીપીના પત્રમાં તે પણ લખવામાં આવ્યું છે કે 5 તારીખે વરસાદના અનુમાનની સાથે કિસાનોના ધરણા છે, તેથી સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવી જોઈએ. 

પંજાબ સરકારના દાવાની ખુલી પોલ
તેનાથી સ્પષ્ટ છે કે પંજાબના એડીજીપી લો એન્ડ ઓર્ડરના પત્રએ પંજાબ સરકારે કાલે કરેલા દાવાની પોલ ખોલી દીધી છે. મહત્વનું છે કે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ દાવો કર્યો હતો કે તેમની પાસે પીએમ મોદીના રોડ માર્ગે ફિરોઝપુર જવાની જાણકારી નહોતી. સીએમ ચન્નીએ કહ્યુ હતુ કે પીએમ મોદીની સુરક્ષામાં કોઈ ચુક થઈ નથી. 

રાષ્ટ્રપતિ કોવિંદે વ્યક્ત કરી ચિંતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પંજાબ યાત્રા દરમિયાન સુરક્ષામાં થયેલી ચુકને મામલામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) એ ચિંતા વ્યક્ત કરી છે. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન પહોંચીને રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. 

સુપ્રીમ કોર્ટમાં કાલે થઈ શકે છે સુનાવણી
પીએમ મોદીની સુરક્ષામાં ચુકનો મામલો સતત આગળ વધી રહ્યો છે અને હવે તે સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. પંજાબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચુક મામલાની મેન્શનિંગ ચીફ જસ્ટિસ એમવી રમના (CJI NV Ramana) ની બેંચની સામે રાખવામાં આવી છે. આ મામલાની સુનાવણી કાલ એટલે કે સાત જાન્યુઆરીએ થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news