દેશનાં કુલ CORONA કેસમાં કેરળ અને મહારાષ્ટ્રનાં 75 ટકા કેસ, PMO ધ્વારા ઇમરજન્સી મીટિંગ બોલાવાઇ

  દેશમાં એક સમય માટે માનવામાં આવતું હતું કે, કોરોના નિયંત્રણમાં આવી ચુક્યો છે. જો કે કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં અચાનક વધારો થવા લાગ્યો છે. જેને જોતા પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા ઇમરજન્સી મીટિંગ બોલાવવામાં આવી છે. હેલ્થ મિનિસ્ટ્રીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે,  સામાન્ય રીતે દેશમાં કોરોનાના એક્ટિવ કેસમાં 1 લાખ 50 હજારથી નીચે છે પરંતુ કેટલાક રાજ્યો જેવા કે કેરળ, મહારાષ્ટ્ર અને પંજાબમાં કોરોનાના સતત વધી રહેલા કેસ ચિંતાનો વિષય છે. આ પ્રદેશમાં પ્રતિદિન કોરોના કેસ વધતા જઇ રહ્યા છે. માત્ર કેરલમાં જ દેશનાં 38 ટકા એક્ટિવ કોરોના કેસ છે. જ્યારે મહારાષ્ટ્રમાં 37 ટકા એક્ટિવ કેસ છે. 

દેશનાં કુલ CORONA કેસમાં કેરળ અને મહારાષ્ટ્રનાં 75 ટકા કેસ, PMO ધ્વારા ઇમરજન્સી મીટિંગ બોલાવાઇ

નવી દિલ્હી :  દેશમાં એક સમય માટે માનવામાં આવતું હતું કે, કોરોના નિયંત્રણમાં આવી ચુક્યો છે. જો કે કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં અચાનક વધારો થવા લાગ્યો છે. જેને જોતા પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા ઇમરજન્સી મીટિંગ બોલાવવામાં આવી છે. હેલ્થ મિનિસ્ટ્રીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે,  સામાન્ય રીતે દેશમાં કોરોનાના એક્ટિવ કેસમાં 1 લાખ 50 હજારથી નીચે છે પરંતુ કેટલાક રાજ્યો જેવા કે કેરળ, મહારાષ્ટ્ર અને પંજાબમાં કોરોનાના સતત વધી રહેલા કેસ ચિંતાનો વિષય છે. આ પ્રદેશમાં પ્રતિદિન કોરોના કેસ વધતા જઇ રહ્યા છે. માત્ર કેરલમાં જ દેશનાં 38 ટકા એક્ટિવ કોરોના કેસ છે. જ્યારે મહારાષ્ટ્રમાં 37 ટકા એક્ટિવ કેસ છે. 

સ્વાસ્થય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 1.50 લાખ છે. પરંતુ કેટલાક રાજ્યો જેમાં કેરળ, મહારાષ્ટ્ર અને પંજાબ મુખ્યત્વે છે તેમાં કોરનાના કેસ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. દેશના 38 ટકા એક્ટિવ કોરોના કેસ કેરળમાં જ દેશનાં 38 ટકા એક્ટિવ કોરોના કેસ છે જ્યારે મહારાષ્ટ્રમાં 37 ટકા એક્ટિવ કેસ છે. સ્વાસ્થય મંત્રાલયે જણાવ્યું કે, હવે દેશમાં 21 કરોડથી વધારે કોરોના ટેસ્ટ તઇ ચુક્યા છે. સમગ્ર દેશમાં કોરોનાના ઓવરઓલ એક્ટિવ કેસ નિયંત્રણમાં છે. માત્ર કેટલાક પ્રદેશોમાં કોરોનાના કેસમાં અચાનક વધારો થઇ રહ્યો છે. હાલ પ્રતિદિવસ મરનારાઓની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. સ્વાસ્થય મંત્રાલયે જણાવ્યું કે, અત્યાર સુધી 1,17,54,788 લોકોને કોરોના વેક્સિન અપાઇ ચુકી છે. 

સ્વાસ્થય મંત્રાલયે જણાવ્યું કે, યુકે વેરિયન્ટ આવ્યા બાદ અમે લૈબનું કંસોર્ટિયમ બનાવ્યું છે, જેમાં કોઇ પણ નવી વેરાઇટીનું ટ્રેકિંગ તઇ રહ્યું છે. અત્યારે લોકોમાં અલગ અલગ વેરિન્ય મુદ્દે કન્ફ્યુજન યથાવત્ત છે. સમગ્ર દેશમાં હાલ 187 યુકે વેરિયન્ટ, 6 સાઉથ આફ્રિકા વેરિયન્ટ છે અને 1 બ્રાઝિલ વેરિયન્ટનો દર્દી છે. દેશમાં ચાલી રહેલા વૈક્સીનેશન મુદ્દે સ્વાસ્થયમંત્રાલયે જણાવ્યું કે, બે પ્રકારનાં વૈક્સીનેશન થઇ રહ્યા છે. ફ્રંટલાઇન વર્ક્રસ અને હેલ્થકેર વર્ક્સ જેમાં 10 હજારથી વધારે હોસ્પિટલનો ઉપયોગ થઇ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news