આ મોદી છે, જે માત્ર માખણ જ નહીં પરંતુ પથરા પર પણ લીટી દોરે છેઃ પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ એક વિશાળ રેલીને સંબોધન કરતાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને કહ્યું કે, દેશે તેને 20મી સદીમાં તક આપી હતી, પરંતુ તેને એક પરિવારને સોંપીને તક ગુમાવી દીધી છે 
 

આ મોદી છે, જે માત્ર માખણ જ નહીં પરંતુ પથરા પર પણ લીટી દોરે છેઃ પીએમ મોદી

મેંગલુરુઃ વડાપ્રધાન મોદીએ શનિવારે જણાવ્યું કે, લોકસભા ચૂંટણી વડાપ્રધાન કે કોઈ સરકારને ચૂંટવા માટેની નથી, પરંતુ 21મી સદીમાં 'ન્યૂ ઈન્ડિયા' કેવું હોય, તેના માટે છે. વડાપ્રધાન મોદીએ એક વિશાળ રેલીને સંબોધન કરતાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને કહ્યું કે, દેશે તેને 20મી સદીમાં તક આપી હતી, પરંતુ તેને એક પરિવારને સોંપીને તક ગુમાવી દીધી છે. 

પીએમ મોદીએ કહ્યું કે, "આ મોદી છે, જે માત્ર માખણ પર જ નહીં પરંતુ પથરા પર પણ લીટી દોરે છે. આ વખતની ચૂંટણી કોણ સાંસદ બને, કોણ વડાપ્રધાન બને, કોણ મંત્રી બને કે માત્ર સરકારને ચૂંટવાની ચૂંટણી નથી. પરંતુ 21મી સદીનું નવું ભારત કેવું હોય તે નક્કી કરવા માટેની છે."

કર્ણાટકની કોંગ્રેસ- જનતા દળ(એસ)ની સરકાર પર નિશાન સાધતાં મોદીએ કહ્યું કે, બંને સત્તારૂઢ ભાગીદારો માટે પ્રેરણા 'પરિવારવાદ' છે, જ્યારે ભાજપ માટે આ 'રાષ્ટ્રવાદ' છે. તેમણે રાજ્યની કોંગ્રેસ-જનતાદળ(એસ) સરકારને ખેડૂતોની દુશ્મન જણાવી છે. 

તેમણે જણાવ્યું કે, કોંગ્રેસની 'મહામિલાવટ' સંસ્કૃતિથી માત્ર પરંપરાઓનો જ નાશ થયો નથી, પરંતુ અર્થતંત્ર પણ નબળું પડ્યું છે. કોંગ્રેસ, જેડીએસ અને તેના જેવા અનેક પક્ષોની પ્રેરણા પરિવારવાદ છે અને અમારી રાષ્ટ્રવાદ છે. 

તેમનો વંશોદય પોતાની જ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને નજરઅંદાજ કરકે છે, જ્યારે અમારો અંત્યોદય એક ચાવાળાને વડાપ્રધાન બનાવે છે. તેમનું દર્શન વંશોદય છે, અમારું દર્શન અંત્યોદય છે. તેમના વંશોદયથી ભ્રષ્ટાચાર અને અન્યયા પેદા થાય છે, અમારા અંત્યોદયથી પારદર્શિતા અને ઈમાનદારીની પ્રતિષ્ઠા વધે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news