ખાલિસ્તાન-ગેંગસ્ટર્સના નેટવર્ક પર NIAની મોટી કાર્યવાહી, 7 રાજ્યોમાં 53 જગ્યાએ દરોડા, અનેક શંકાસ્પદોની અટકાયત, દારૂગોળો પણ મળ્યો

NIA Raids: આ ખાલિસ્તાન સમર્થક સંગઠન ટાર્ગેટ કિલિંગ, ડ્રગ્સ-હથિયારોની તસ્કરી, હવાલા અને ખંડણી દ્વારા પૈસા ભેગા કરવામાં લાગેલા છે. 

ખાલિસ્તાન-ગેંગસ્ટર્સના નેટવર્ક પર NIAની મોટી કાર્યવાહી, 7 રાજ્યોમાં 53 જગ્યાએ દરોડા, અનેક શંકાસ્પદોની અટકાયત, દારૂગોળો પણ મળ્યો

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ બુધવારે ખાલિસ્તાની આતંકી અર્શ દલ્લા અને ઘણા ખૂંખાર ગેંગસ્ટરો સાથે જોડાયેલા આતંકવાદીઓ-ગેંગસ્ટરો-ડ્રગ્સ તસ્કરોના ઠેકાણા પર મોટા પાયે કાર્યવાહી કરી છે. તે હેઠળ ઘણા શંકાસ્પદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તાજેતરમાં ઘણા ખાલિસ્તાનીઓ વિરુદ્ધ કાર્યવાહી વધારી દેવામાં આવી છે. તપાસ એજન્સીએ બુધવારે છ રાજ્યોમાં 53 ઠેકાણા પર દરોડો પાડ્યા હતા. તેની શરૂઆત આજે સવારે થઈ અને દિવસભર ચાલી હતી. 

પંજાબ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢમાં પાડવામાં આવેલા દરોડો દરમિયાન, પિસ્તોલ, દારૂગોળા, મોટી સંખ્યામાં ડિજિટલ ઉપકરણ અને વિવાદાસ્પદ સામગ્રી જપ્ત થઈ છે. અર્શ દલ્લા સિવાય, આ દરોડોમાં એનઆઈએએ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, સુક્ખા દુનેકે, હેરી મોર, નરેન્દ્ર ઉર્ફ લાલી, કાલા જઠેરી, દીપક ટીનૂ વગેરે સામેલ છે. પાછલા વર્ષે ઓગસ્ટ બાદથી એનઆઈએએ પાંચ કેસ દાખલ કર્યાં છે, જેમાં અત્યાર સુધી કાર્યવાહી કરવામાં આવી છે. 

આ મામલા ગેંગસ્ટરો દ્વારા હત્યાઓના ષડયંત્ર રચવા, ખાલિસ્તાન સમર્થક સંગઠનોને ફન્ડિંગ, બળજબરીથી વસૂલી વગેરે સંબંધિત છે, જેમાંથી ઘણા આરોપી જેલમાં બંધ છે, જેમ કે પાકિસ્તાન, કેનેડા, મલેશિયા, પોર્ટુગલ અને વિવિધ વિદેશી દેશોથી કામ કરી રહ્યાં છે. NIAએ જણાવ્યું છે કે આજના દરોડાઓનું ધ્યાન, આતંકવાદી-ગેંગસ્ટર-ડ્રગ સ્મગલરની સાંઠગાંઠને તોડી પાડવાના હેતુથી, વિવિધ હાર્ડકોર ગેંગ અને તેમના સાગરિતો સાથે જોડાયેલા હથિયાર સપ્લાયર્સ, ફાઇનાન્સર્સ વગેરે પર હતો. આ ગેંગ પાકિસ્તાન, UAE, કેનેડા, પોર્ટુગલ વગેરે દેશોમાં સ્થિત ડ્રગ્સ સ્મગલરો અને આતંકવાદીઓ સાથે કામ કરી રહી છે.

એનઆઈએની તપાસમાં સામે આવ્યું કે ષડયંત્ર વિવિધ રાજ્યોની જેલોમાં રચવામાં આવી રહ્યું હતું અને વિદેશ સ્થિત ગેંગના સભ્યો એક સંગઠિત નેટવર્ક દ્વારા તેને અંજામ આપવામાં આવી રહ્યો હતો. પાછલા વર્ષે પંજાબમાં મહારાષ્ટ્રના બિલ્ડર સંજય બિયાની, ખનન વેપારી મેહલ સિંહ અને આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી સંદીપ નાગલ અંબિયાની સનસનીખેજ હત્યા આ હેઠળ કરાવવામાં આવી હતી. એનઆઈએની તપાસ અનુસાર ઘણા ગુનેગાર અને ગેંગસ્ટર જે પહેલાથી ભારતમાં ગેંગનું નેતૃત્વ કરી રહ્યાં છે, હાલના વર્ષોમાં વિદેશ ભાગી ગયા છે અને ત્યાંથી પોતાની આતંક અને હિંસા સંબંધિત ગતિવિધિઓને અંજામ આપી રહ્યાં છે. આ ગુનેગાર ભારતની જેલોમાં બંધ ગુનેગારો સાથે મળીને બદલો લેવા માટે હત્યાઓ સહિત ગંભીર ગુનાઓની યોજના બનાવવા અને તેને અંજામ આપવામાં લાગેલા છે. આ ટાર્ગેટેડ મર્ડર કરી રહ્યાં છે અને ડ્રગ્સ અને હથિયારોની તસ્કરી, હવાલો અને બળજબરીથી વસૂલોના માધ્યમથી હુમલા અને નાપાક ગતિવિધિઓ માટે ફંડ ભેગું કરી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news