કોંગ્રેસ સાથે ચર્ચા બાદ જ સરકાર બનાવવા અંગે લેવાશે નિર્ણય, શરદ પવાર કાલે સોનિયા ગાંધીને મળશે 

પુણેમાં રવિવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ની કોર કમિટીની બેઠક યોજાઈ. બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા એનસીપીના વરિષ્ઠ નેતા નવાબ મલિકે(Nawab Malik) કહ્યું કે કોંગ્રેસ સાથે ચર્ચા બાદ જ સરકાર બનાવવા અંગે નિર્ણય લેવાશે.

કોંગ્રેસ સાથે ચર્ચા બાદ જ સરકાર બનાવવા અંગે લેવાશે નિર્ણય, શરદ પવાર કાલે સોનિયા ગાંધીને મળશે 

મુંબઈ: પુણેમાં રવિવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ની કોર કમિટીની બેઠક યોજાઈ. બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા એનસીપીના વરિષ્ઠ નેતા નવાબ મલિકે(Nawab Malik) કહ્યું કે કોંગ્રેસ સાથે ચર્ચા બાદ જ સરકાર બનાવવા અંગે નિર્ણય લેવાશે. આવતી કાલે એનસીપી અધ્યક્ષ શરદ પવાર(Sharad Pawar) દિલ્હી(Delhi) માં સોનિયા ગાંધી(Sonia Gandhi)સાથે મુલાકાત કરશે. 

— ANI (@ANI) November 17, 2019

મલિકે કહ્યું કે મીટિંગ બાદ અમે એ નિર્ણય પર પહોંચ્યા છીએ કે, "મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન(President Rule) હટવું જોઈએ અને કોઈ વૈકલ્પિક સરકાર બનવી જોઈએ. અમે નક્કી કર્યું છે કે હવે પછીનો નિર્ણય આગામી સપ્તાહ સુધી કોંગ્રેસ સાથે ચર્ચા કર્યા બાદ જ લેવામાં આવશે. કાલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે દિલ્હીમાં એનસીપી અધ્યક્ષ શરદ પવાર મુલાકાત કરશે. ત્યારબાદ કાલે બંને પાર્ટીના નેતાઓ મુલાકાત કરશે."

જુઓ LIVE TV

આ બાજુ કોંગ્રેસ અને શિવસેના(Shivsena) નેતાઓની વચ્ચે પણ આવતી કાલે એક બેઠક થવાની છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે, "અમે કોશિશ કરી રહ્યાં છીએ કે એનસીપી, શિવસેના અને કોંગ્રેસ સાથે આવે. કાલે શિવસેના અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે એક મીટિંગ થશે. અમે જાણવાની કોશિશ કરીશું કે શું અમે સાથે જઈ શકીએ છીએ કે નહીં."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news