કોરોના: મજૂરોના પલાયન મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું-'અમે સરકારના કામમાં હસ્તક્ષેપ નહીં કરીએ'

લોકડાઉન દરમિયાન બીજા રાજ્યોમાંથી પોતાના માદરે વતન પલાયન કરનારા મજૂરોને આર્થિક મદદ આપવા અને સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવાની અરજી પર સુનાવણી કરતા કોર્ટે સરકારના કામમાં હસ્તક્ષેપ કરવાની ના પાડી દીધી છે. ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું હાલના કામમાં હસ્તક્ષેપ કરી શકાય નહીં. મહામારી સમયે સરકારે તેનું કામ કરવા દેવું જોઈએ. 

કોરોના: મજૂરોના પલાયન મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું-'અમે સરકારના કામમાં હસ્તક્ષેપ નહીં કરીએ'

નવી દિલ્હી: લોકડાઉન દરમિયાન બીજા રાજ્યોમાંથી પોતાના માદરે વતન પલાયન કરનારા મજૂરોને આર્થિક મદદ આપવા અને સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવાની અરજી પર સુનાવણી કરતા કોર્ટે સરકારના કામમાં હસ્તક્ષેપ કરવાની ના પાડી દીધી છે. ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું હાલના કામમાં હસ્તક્ષેપ કરી શકાય નહીં. મહામારી સમયે સરકારે તેનું કામ કરવા દેવું જોઈએ. 

પલાયન કરનારા મજૂરોના મામલે સુનાવણી દરમિાયન મુખ્ય ન્યાયાધિશે કહ્યું કે સરકારે સોગંદનામું આપીને જણાવ્યું છે કે મજૂરોને તેઓ ભોજન અને જરૂરી સાધનસામગ્રી પૂરી પાડી રહ્યા છે. ગૃહમંત્રી પોતે સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. તેમણે કહ્યું કે મજૂરો માટે આગળ વધુ પગલાં લેવામાં આવશે. 

કોર્ટે કહ્યું કે મહામારીના આ સમયે સરકારને તેનું કામ કરવા દેવું જોઈએ. અમે સરકારના કામમાં આગામી 10-15 દિવસ સુધી કોઈ હસ્તક્ષેપ કરવા માંગતા નથી. સુપ્રીમ કોર્ટે અરજીકર્તાઓને કહ્યું કે તમે સરકારના સોગંદનામાને જુઓ. કોર્ટ કેસની આગામી સુનાવણી સોમવારે કરશે. 

આ અગાઉ શનિવારે સુપ્રીમ કોર્ટે લોકડાઉનના કારણે થઈ રહેલા મજૂરોના પલાયન સંબંધિત એક અરજીને ફગાવી હતી. કોર્ટે કહ્યું કે લાખો લોકો પાસે લાખો વિચાર છે. અમે તમામના વિચારને સાંભળી શકીએ નહીં. આ માટે સરકારને બાધ્ય કરી શકીએ નહીં. અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટમાં એક જનહિત અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં હોટલ અને રિસોર્ટ્સનો ઉપયોગ પ્રવાસી મજૂરો માટે  કરવાની માગણી કરાઈ હતી. 

જુઓ LIVE TV

સુપ્રીમ કોર્ટમાં જનહિતની અરજીમાં દલીલ કરાઈ હતી કે શેલ્ટર હોમમાં પર્યાપ્ત સ્વચ્છતા અને સુવિધા મળતી નથી. આ અરજીને સુપ્રીમ કોર્ટે શુક્રવારે ફગાવી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આપત્તિ જતાવી હતી અને કહ્યું હતું કે પીઆઈએલની દુકાનો બંધ કરવી જોઈએ. જેને અસલમાં મદદ કરવાની હોય તેઓ જમીન પર કામ કરે છે. એસી રૂમમાં બેસવું અને જનહિત અરજી દાખલ કરવાથી કોઈ ફાયદો થતો નથી. જો કોર્ટ પ્રવાસી મજૂરો પર વિસ્તૃત રિપોર્ટ ઈચ્છતી હોય તો અમે દાખલ કરીશું. 

તુષાર મહેતાએ કહ્યું હતું કે મજૂરોના પલાયન મુદ્દે કોર્ટ પાસેથી વિશેષ કોઈ નિર્દેશની જરૂરિયાત નથી. રાજ્ય સરકારો પહેલેથી જ જરૂરિયાત મુજબ ભવન, શાળા, હોટલ વગેરેમાં વ્યવસ્થા કરી રહી છે. જો જરૂર પડી તો અમે હજુ વધુ વ્યવસ્થા કરીશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news