13 વખત ગાંધી પરિવારથી મુક્ત રહ્યું કોંગ્રેસ, ત્યારે ચૂંટણીમાં સફળતા પણ મળી

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં 1947થી માંડીને અત્યાર સુધી 18 રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા છે, જેમાંથી 13 વખત કોંગ્રેસ ગાંધી પરિવાર મુક્ત રહ્યા

13 વખત ગાંધી પરિવારથી મુક્ત રહ્યું કોંગ્રેસ, ત્યારે ચૂંટણીમાં સફળતા પણ મળી

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં પરાજયની જવાબદારી લેતા પદ પરથી રાજીનામાનો પત્ર ટ્વીટર પર પોસ્ટ કરી દીધી છે. હવે કહેવાઇ રહ્યું છે કે પાર્ટી ગાંધી પરિવાર ઉપરાંત કોઇ પણ નેતાને અધ્યક્ષ બનાવવાની તૈયારીમાં છે. રાહુલ ગાંધી પોતે પણ કહી ચુક્યા છે કે નવા અધ્યક્ષ બિનગાંધી પરિવારના વ્યક્તિને અધ્યક્ષ બનાવવામાં આવે. જો પાર્ટીના ઇતિહાસની વાત કરીએ તો 1947માં દેશની આઝાદી બાદથી અત્યાર સુધી કોંગ્રેસનાં 18 અધ્યક્ષ રહી ચુક્યા છે. જેમાંથી માત્ર 5 અધ્યક્ષ જ ગાંધી પરિવારના રહ્યા છે. 13 અધ્યક્ષોનો દુર દુર સુધી ગાંધી પરિવાર સાથે કોઇ જ સંબંધ રહ્યો નથી. જો કે બીજી વાત છે કે ગાંધી પરિવારનાં સભ્યો પાસે પાર્ટીની કમાન સૌથી વધારે સમય સુધી નથી રહી. 

અમે રાહુલને ફરી એકવાર અપીલ કરીશું કે તેઓ કોંગ્રેસનાં અધ્યક્ષ રહે: મોતીલાલ
બિન કોંગ્રેસી અધ્યક્ષોએ પણ અપાવી સત્તા
આઝાદી પછીથી કોંગ્રેસમાં 18 અધ્યક્ષ રહ્યા છે. જેમાં જવાહરલાલ નેહરુ, ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જ ગાંધી પરિવારના અધ્યક્ષ બન્યા. જ્યારે 13 અધ્યક્ષોનો સંબંધ ગાંધી પરિવાર સાથે નથી રહ્યો. 1951થી 54 વચ્ચે સુધી નેહરૂ વડાપ્રધાન રહેવા દરમિયાન પાર્ટી અધ્યક્ષ પણ રહ્યા. રેકોર્ડ જોઇએ તો 1959ને છોડીને 1955થી માંડીને 1978 સુધી કોંગ્રેસની કમાન બિન ગાંધી વ્યક્તિ પાસે રહી. આ દરમિયાન કોંગ્રેસની જ સત્તા રહી. ઇંદિરા ગાંધીએ 1967 અને 1971ની લોકસભા ચૂંટણીમાં સતત બે બહુમતીની સરકાર પણ બિન ગાંધી અધ્યક્ષના કાર્યકાળમાં બની. 

હું કોંગ્રેસ અધ્યક્ષ નથી, પાર્ટી ઝડપી પોતાના નવા સારથીને શોધે: રાહુલની સ્પષ્ટતા
1947: દેશ આઝાદ થયો તો 1947માં જેબી કૃપલાની કોંગ્રેસનાં અધ્યક્ષ રહ્યા. તેમને મેરઠમાં કોંગ્રેસનાં અધિવેશનમાં તેમને જવાબદારી મળી હતી. તેમને મહાત્મા ગાંધીનાં વિશ્વાસપાત્ર વ્યક્તિમાં માનવામાં આવે છે. 
1948-49 : આ દરમિયાન કોંગ્રેસની કમાન પટ્ટાભિ સીતારમૈયાની પાસે રહ્યું. જયપુર કોન્ફરન્સ કર્યું તેમણે અધ્યક્ષતા કરી. 
1950 : આ વર્ષે પુરૂષોત્તમ દાસ ટંડન કોંગ્રેસના અધ્યક્ષ બન્યા. નાસિક અધિવેશનની તેમણે અધ્યક્ષતા કરી. આ પુરૂષોતમ દાસ ટંડન જ હતા, તેમણે હિંદીને અધિકારીક ભાષા આપવાની માંગ કરી. 
1955-1959 : યુએન ઢેબર આ તરફ કોંગ્રેસનાં અધ્યક્ષ રહ્યા. પોતાનાં કાર્યકાળ દરમિયાન તેમણે અમૃતસર, ઇંદોર, ગુવાહાટી અને નાગપુરથી અધિવેશનોની અધ્યક્ષતા કરી. 1959માં ઇંદિરા ગાંધી અધ્યક્ષ બન્યા. 
1960-1963 : નીલમ સંજીવ રેડ્ડી આ દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં અધ્યક્ષ રહ્યા. તેમણે બેંગ્લુરૂ, ભાવનગર અને પટનાના અધિવેશનની ્ધ્યક્ષતા કરી. ત્યાર બાદ નીલવ સંજીવ રેડ્ડી દેશના છઠ્ઠા રાષ્ટ્રપતિ બન્યા. 
1964-1967 : આ દરમિયાન ભારતીય રાજનીતિમાં કિંગમેકર કહેવામાં આવતા કામરાજ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા. તેમણે ભુવનેશ્વર દુર્ગાપુર અને જયપુરના અધિવેશનની અધ્યક્ષતા કરી. કહેવાય છે કે કામરાજ હતા, તેમણે પં. નેહરુનાં મોત બાદ લાલ બહાદુર શાસ્ત્રીના વડાપ્રધાન બનવામાં મહત્વની ભુમિકા નિભાવી હતી. 
1968-1969 : એસ.નિજલિંગપ્પાએ 1968 થી 1969 સુધી કોંગ્રેસના અધ્યક્ષતા કરી. તેમણે સ્વતંત્રતા આંદોલનમાં પણ ભુમિકા નિભાવી હતી. 
1970-71 : બાબુ જગજીવન રામ 1970-71 વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રહ્યા. આ અગાઉ 1946માં બનેલી નેહરુની વચગાળાની સરકારમાં તેઓ સૌથી યુવા મંત્રી રહી ચુક્યા હતા. 
1972-74 : શંકર દયાલ શર્મા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા. નીલમ સંજીવ રેડ્ડી બાદ શંકર દયાલ શર્મા બીજા અધ્યક્ષ રહ્યા, જેમણે ત્યાર બાદ રાષ્ટ્રપતિ બનવાની તક મળી. 
1975-77 : દેવકાંત બરુઆ કોંગ્રેસનાં અધ્યક્ષ બન્યા. આ ઇમરજન્સીનો સમયગાળો હતો. દેવકાંત બરુઆએ જ ઇંદિરા ઇજ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇઝ ઇંદિરાનો ચર્ચિત નારો આપ્યો હતો. 
1977-78 : આ દરમિયાન બ્રહ્માનંદ રેડ્ડી કોંગ્રેસ અધ્યક્ષ બન્યા. ત્યાર બાદ કોંગ્રેસનું વિભાજન થયું. ત્યાર બાદ ઇંદિરા ગાંધી કોંગ્રેસ (આઇ)ના અધ્યક્ષ બન્યા. તેઓ 1984માં હત્યા થતા સુધી આ પદ પર રહ્યા. ત્યાર બાદ 1985- 1991 : સુધી તેના પુત્ર રાજીવ ગાંધી કોંગ્રેસનાં અધ્યક્ષ રહ્યા. 
1992-96 : રાજીવ ગાંધીની હત્યા બાદ પીવી નરસિમ્હા રાવ 1992-96 વચ્ચે કોંગ્રેસના અધ્યક્ષ ચુંટાયા હતા. પીવી નરસિમ્હા રાવના પ્રધાનમંત્રિત્વ કાળમાં જ દેશનાં ઉદારીકરણનો પાયો નાખ્યો હતો. 
1996-98 : સીતારામ કેસરી કોંગ્રેસ અધ્યક્ષ બન્યા. તેઓ 1996-1998 સુધી આ પદ પર રહ્યા. સીતારામ કેસરીનો વિવાદો સાથે પણ સંબંધ રહ્યો. ત્યાર બાદ 1998 થી 2017 સુધી સૌથી લાંબા સમય સુધી સોનિયા ગાંધી અધ્યક્ષ રહ્યા. પછી રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બન્યા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news