EXCLUSIVE: ભારત-ચીન બોર્ડર વિવાદ પર ભારત સરકારની નજર- જેપી નડ્ડા

 દેશ પીએમ મોદીના હાથમાં સુરક્ષિત છે. ભારત-ચીન બોર્ડર વિવાદ (India-China face off) પર ભારત સરકારની નજર છે. ભારતનું ગૌરવ અખંડ રહેશે. દેશના ગૌરવ માટે કંઈ પણ કરીશું. આ વાત ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda)એ Zee Newsના એડિટર-ઇન ચીફ સુધીર ચૌધરી (Sudhir Chaudhary)ને આપેલા એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યૂમાં જણાવી હતી. નડ્ડાએ કહ્યું હતું કે, પીએમ મોદીના નેતૃત્વમાં કોરોના સામે લડતમાં જે રાજનીતિ બનાવવામાં આવી, તે સમગ્ર વિશ્વ માટે અનુકરણીય છે.
EXCLUSIVE: ભારત-ચીન બોર્ડર વિવાદ પર ભારત સરકારની નજર- જેપી નડ્ડા

નવી દિલ્હી: દેશ પીએમ મોદીના હાથમાં સુરક્ષિત છે. ભારત-ચીન બોર્ડર વિવાદ (India-China face off) પર ભારત સરકારની નજર છે. ભારતનું ગૌરવ અખંડ રહેશે. દેશના ગૌરવ માટે કંઈ પણ કરીશું. આ વાત ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda)એ Zee Newsના એડિટર-ઇન ચીફ સુધીર ચૌધરી (Sudhir Chaudhary)ને આપેલા એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યૂમાં જણાવી હતી. નડ્ડાએ કહ્યું હતું કે, પીએમ મોદીના નેતૃત્વમાં કોરોના સામે લડતમાં જે રાજનીતિ બનાવવામાં આવી, તે સમગ્ર વિશ્વ માટે અનુકરણીય છે.

સવાલ: ભારતમાં કોરોના સંક્ટના સંચાલનને લઇ અત્યાર સુધી જે બન્યું છે, તે બધું કેટલું સંતુષ્ટ છે?

જવાબ: હું ભારતનો સ્વાસ્થ્ય મંત્રી રહી ચુક્યો છું. મેં ઈબોલાથી લઈને સાર્સ, ઝીકા વાયરસ સામેની લડત જોઈ છે. પરંતુ કોરોનાનો સંકટ અકલ્પનીય છે. પીએમ મોદીએ જે રીતે કોરોના સામેની લડતની રણનીતી બનાવી છે. તે સમગ્ર વિશ્વ માટે અનુકરણીય છે. આપણા દેશની આબાદીને ધ્યાનમાં રાખી પીએમ મોદીએ યોગ્ય સમય પર લોકડાઉનનો સાહસિક નિર્ણય લીધો. તે નિર્ણયના કારણે આપણે ત્યાં કોરોનાથી થતા મૃત્યું ઓછા છે. પીએમ મોદીએ કોરોના સંક્ટથી દેશને બચાવ્યો છે. WHOથી લઈ વિશ્વના ઘણા મોટા સંગઠનોએ પીએમ મોદીના નિર્ણયની પ્રશંસા કરી છે.

એક વ્યાપક વિચાર સાથે પીએમ મોદીએ આ સંક્ટથી બચાવ્યા છે. પછી ભલે વાત ચિકિત્સા સુવિધાઓ વધારવાની હોય કે, પછી તમામ વર્ગોને રાહત આપવા માટે આર્થિક પેકેજની. તમામ પાસાઓને ધ્યાનમાં રાખ્યા છે. મારા ખ્યાલથી પીએમ મોદીના નેતૃત્વમાં કોરોના સામેની લડતમાં જે રણનીતિ બનાવવામાં આવી તે અનકરણીય છે. હવે પરિણામોની પુષ્ટિ પણ થઈ છે.

સવાલ: લોકડાઉન દરમિયાન પરપ્રાંતિય મજૂરોની સમસ્યાઓ ચર્ચામાં રહી? શું તમને લાગે છે કે આગામી ચૂંટણીમાં તેનાથી પાર્ટીની મુશ્કેલીઓ વધશે?

જવાબ: લોકડાઉન દરમિયાન પરપ્રાંતિયોની સમસ્યાઓના સવાલ પર તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ આ સંક્ટ કાળમાં માત્ર રાજકારણ સિવાય કંઈ કર્યું નથી. કોંગ્રેસ શાસિત રાજ્યોએ ઘણા સમય પહેલા લોકડાઉન લગાવી દીધું હતું. કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાન કોઈ પણ સંજોગોમાં લોકડાઉન હટાવવા માંગતા ન હતા.

સવાલ: પરપ્રાંતિયોની સમસ્યાને ધ્યાનમાં રાખી બિહાર ચૂંટણીમાં શું અસર થશે? 

જવાબ: ભારતની જનતા પીએમ મોદીની સાથે છે. રાજકારણ દરેક પરિસ્થિતિમાં એક પડકાર છે. કોરોના સંક્ટના સમયે ભાજપે સમગ્ર દેશમાં કામ કર્યું છે. બિહારમાં નીતિશ કુમારે સારૂ કામ કર્યું છે. બિહાર ચૂંટણીમાં વધારે બેઠકોથી જીતીશું.

જ્યારે પૂછવામાં આવ્યું કે તમારી પર મોટી જવાબદારી છે, તો ચૂંટણીમાં પાર્ટીના સારા પ્રદર્શન વિશે તમે શું વિચારો છો? આ અંગે નડ્ડાએ કહ્યું કે હું એકલો નથી, ભાજપ એક ટીમ છે. મારામાં 'હું' નો અહેસાસ નથી. ટીમે હંમેશાં સારા પરિણામ આપ્યા છે. અમિત શાહને તેમનો ટેકો અને સહયોગ મળે છે. અમારી ટીમમાં દરેક ખેલાડીની પોતાની ભૂમિકા હોય છે. કેપ્ટન બનાવાથી બેટિંગ ઓર્ડર બદલાતો નથી. પાર્ટીમાં દરેક વ્યક્તિની પોતાની ભૂમિકા હોય છે.

કોરોના સંકટમાં દેશની અર્થવ્યવસ્થા પર નડ્ડાએ કહ્યું કે, આખો દેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે છે અને ણને સંપૂર્ણ વિશ્વાસ છે કે, દેશ ફરી એકવાર વિકાસના માર્ગ પર ચાલશે. ચીનના વિકાસના આંકડા પર સવાલ ઉઠાવતા ભાજપ અધ્યક્ષ નડ્ડાએ કહ્યું કે, ચીનની સાથે દેશની તુલના સંપૂર્ણપણે ખોટી છે. લદ્દાખમાં ચાલી રહેલી ગતિવિધિઓ મુદ્દે નડ્ડાએ કહ્યું કે દેશ પીએમ મોદીના હાથમાં સુરક્ષિત છે. ભારત-ચીન સરહદ વિવાદ પર ભારત સરકાર નજર રાખી રહી છે. ભારતનું ગૌરવ અખંડ રહેશે. દેશના ગૌરવ માટે કંઈ પણ કરીશું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news