J&K: ત્રાલમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ, 2-3 આતંકીઓને ઘેર્યા

જમ્મૂ કાશ્મીરના ત્રાલમાં સવારથી જ પોલીસ, સીઆરપીએફનું આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. ત્રાલમાં 2થી 3 આતંકવાદીઓ છૂપાયેલા હોવાની આશંકા છે.

J&K: ત્રાલમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ, 2-3 આતંકીઓને ઘેર્યા

શ્રીનગર: જમ્મૂ કાશ્મીરના ત્રાલમાં સવારથી જ પોલીસ, સીઆરપીએફનું આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. ત્રાલમાં 2થી 3 આતંકવાદીઓ છૂપાયેલા હોવાની આશંકા છે. માનવામાં આવી રહ્યું છે કે, આ આતંકીઓ હિજબૂલ મુઝાહિદીનના છે. રાતથી ચાલી રહેલા આ એન્કાઉન્ટરમાં સેનાએ 2થી 3 આતંકીઓને ઘેરી લીધા છે. સેનાને જાણકારી મળી કે ત્રાલમાં કુપવાજામાં 2થી 3 આતંકીઓ છૂપાયા હોવાની આશંકા છે. સૂચના મળતા જ સેનાએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ હતી. આતંકવાદીઓએ જોયું કે તેઓ ઘેરાયેલા છે તો તેમણે ફાયરિંગ શરૂ કરી દીધી હતી. ત્યારબાદ બંને તરફથી ફાયરિંગ ચાલી રહ્યું છે.

બુધવારે સેનાએ બે આતંકીઓને માર્યા હતા ઠાર
આ પહેલા બુધવારે દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળોએ જૈશના બે આતંકીઓને ઠાર માર્યા હતા. માર્યા ગેયલા આતંકીઓમાં એક પાકિસ્તાની આતંકી હતો. તેમની પાસેથી મોટા પ્રમાણમાં દારૂગોળો અને હથિયાર મળી આવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news