J&K: આતંકીઓની કાયરતાપૂર્ણ હરકત, ઈદગાહ વિસ્તારમાં શાળામાં ઘૂસી ફાયરિંગ કર્યું

જમ્મુ અને કાશ્મીરના પાટનગર શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં આતંકી હુમલો થયો છે.

J&K: આતંકીઓની કાયરતાપૂર્ણ હરકત, ઈદગાહ વિસ્તારમાં શાળામાં ઘૂસી ફાયરિંગ કર્યું

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પાટનગર શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં આતંકી હુમલો થયો છે. મળતી માહિતી મુજબ આતંકીઓએ ઈદગાહ વિસ્તારની એક સ્કૂલમાં ફાયરિંગ કર્યું છે. પ્રાથમિક જાણકારી મુજબ આ હુમલામાં શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકની આતંકીઓએ હત્યા કરી છે. 

J&K ને લઈને ગૃહ મંત્રાલયની મહત્વની બેઠક
આતંકીઓ તરફથી નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે આજે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મહત્વની બેઠક થઈ રહી છે. બેઠકમાં જમ્મુ અને કાશ્મીરના નાગરિકોની સુરક્ષા ઉપરાંત આતંકીઓ વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશનને લઈને ચર્ચા થઈ શકે છે. ગૃહ મંત્રાલયમાં થનારી આ બેઠકમાં સીઆરપીએફના ડીજી સહિત સુરક્ષા એજન્સીઓના અનેક અધિકારીઓ સામેલ થશે. આ ઉપરાંત બેઠકમાં આઈબી ચીફ અને અર્ધસૈનિક દળોના અધિકારીઓ હાજર રહેશે. 

— ANI (@ANI) October 7, 2021

ઘાટીમાં 90 મિનટિમાં 3 લોકોની હત્યા
અત્રે જણાવવાનું કે કાશ્મીર ઘાટીમાં મંગળવારે (5 ઓક્ટોબર)ના રોજ સંદિગ્ધ આતંકીઓએ 90 મિનિટની અંદર ત્રણ લોકોની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. ઈકબાલ પાર્ક વિસ્તારમાં શ્રીનગરની પ્રસિદ્ધ ફાર્મસીના માલિક માખનલાલ બિંદરૂની તેમના વ્યવસાયિક પરિસરમાં ગોળી મારીને હત્યા કરી દેવાઈ. આ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશમાં બે અન્ય લોકોની પણ ગોળી મારીને હત્યા કરી દેવાઈ. જેમાંથી એક બિહારનો હતો અને પાણીપૂરી ભેળપૂરી વેચીને રોજીરોટી ચલાવતો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news