Jallianwala Bagh Massacre: જ્યારે જનરલ ડાયરના એક આદેશે હજારો નિઃશસ્ત્ર લોકોની થઈ હતી હત્યા

Jallianwala Bagh Massacre: બે રાષ્ટ્રવાદી નેતાઓ સત્ય પાલ અને ડૉ. સૈફુદ્દીન કિચલૂની ધરપકડના વિરોધમાં 13 એપ્રિલ 1919ના રોજ જલિયાવાલા બાગમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

Jallianwala Bagh Massacre: જ્યારે જનરલ ડાયરના એક આદેશે હજારો નિઃશસ્ત્ર લોકોની થઈ હતી હત્યા

Jallianwala Bagh Massacre: દરેક દિવસ કોઈને કોઈ ઈતિહાસ સાથે જોડાયેલો છે અને કંઈક ને કંઈક શીખવે છે. એ જ રીતે, ભારતના ઈતિહાસમાં આજનો દિવસ એટલે કે 13મી એપ્રિલ મનમાં ક્રોધની ભાવના જાગૃત કરે છે. આજે પણ જલિયાવાલા ઘટનાને યાદ કરીને લોકોનો આત્મા કંપી ઉઠે છે. જલિયાંવાલા બાગ હત્યાકાંડ 13 એપ્રિલ 1919 ના રોજ અમૃતસર, ભારતમાં થયો હતો. આ દિવસે અમૃતસરના સુવર્ણ મંદિર પાસે જલિયાવાલા બાગમાં લોહીની હોળી રમવામાં આવી હતી.

જલિયાવાલા હત્યાકાંડને 104 વર્ષ વીતી ગયા છે, પરંતુ હજુ પણ તેના ઘા લોકોના હૃદયમાં તાજા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આ હત્યાકાંડ સામે હડતાળની જાહેરાત કરી હતી. આ સિવાય મહાત્મા ગાંધીએ અંગ્રેજ શાસન સામે અસહકાર આંદોલન શરૂ કર્યું હતું. આ ઘટનાને કારણે સાયમન કમિશનની પણ રચના કરવામાં આવી હતી.

આજથી 104 વર્ષ પહેલા શું થયું હતું?
13 એપ્રિલ 1919ના રોજ, બે રાષ્ટ્રવાદી નેતાઓ, સત્ય પાલ અને ડૉ. સૈફુદ્દીન કિચલુની ધરપકડના વિરોધમાં જલિયાવાલા બાગમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જ્યાં અચાનક બ્રિટિશ લશ્કરી અધિકારી જનરલ ડાયર તેના સૈનિકો સાથે પાર્કની અંદર આવ્યા અને લોકોને ચેતવણી આપ્યા વિના તેણે તેના સૈનિકોને દસ મિનિટ માટે ઝડપથી ગોળીબાર કરવાનો આદેશ આપ્યો. કહેવાય છે કે દસ મિનિટમાં હજારો લોકો માર્યા ગયા અને અનેક લોકો ઘાયલ થયા. આજે પણ જલિયાવાલા બાગની દિવાલો પર આ હત્યાકાંડના નિશાન જોવા મળે છે. બ્રિટિશ સરકારના રેકોર્ડ મુજબ, કર્નલ રેજિનાલ્ડ ડાયર દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબારમાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો સહિત 388 લોકો માર્યા ગયા હતા, જ્યારે 1,200 લોકો ઘાયલ થયા હતા.

ઉધમસિંહે લીધો હતો બદલો 
આ ઘટનાના 21 વર્ષ બાદ 13 માર્ચે ઉધમ સિંહે બદલો લીધો હતો. ઉધમ સિંહે ખીચોખીચ ભરેલા હોલમાં જનરલ ડાયરને ગોળી મારી હતી. ડાયર નિવૃત્તિ પછી લંડન જતા રહ્યા હતા. 1940માં તેમણે કોક્સટન હોલમાં યોજાયેલી સભામાં ભાગ લીધો હતો. આ બેઠકમાં ઉધમ સિંહ પણ પહોંચ્યા હતા. ડાયરનું ભાષણ આપવા જતાં જ ઉધમ સિંહે ગોળી ચલાવી હતી, જેના કારણે ડાયરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news