કેમ અંગરક્ષકોએ જ ઈન્દિરા ગાંધી પર વરસાવી અંધાધૂંધ ગોળીઓ? કઈ રીતે રચાયું હત્યાનું કાવતરું?

Indira Gandhi Death Anniversary: આજે દેશના પહેલાં મહિલા પ્રધાનમંત્રી અને આઈરન લેડી તરીકે ઓળખાતા ઈન્દિરા ગાંધીની પૂર્ણતિથિ. આજના જ દિવસે તેમના પોતાના અંગરક્ષકોએ જ કરી હતી તેમની હત્યા. જાણો હત્યાના કાવતા અંગે વિગતવાર માહિતી....

કેમ અંગરક્ષકોએ જ ઈન્દિરા ગાંધી પર વરસાવી અંધાધૂંધ ગોળીઓ? કઈ રીતે રચાયું હત્યાનું કાવતરું?

Indira Gandhi Death Anniversary: ઈન્દિરા ગાંધીની આજે પૂર્ણતિથિ. ઈન્દિરા ગાંધી દેશના પહેલાં મહિલા પ્રધાનમંત્રી હતા. તેમણે બખુબી આ જવાબદારી સંભાળીને દેશ અને દુનિયાભરમાં પોતાની આગવી છાપ છોડી. જોકે, આજના જ દિવસે તેમના વિરોધીઓએ તેમની હત્યા કરાવી દીધી હતી. તેમની મોતની ખબર પણ એટલી જ વિચિત્ર છે. તેમના પોતાના અંગરક્ષકો જ તત્કાલિક પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની મોતનું કારણ બન્યાં. 

તે દિવસે ખરેખર શું બન્યુ હતું?
31 ઓક્ટોબર, 1984ના રોજ સવારે લગભગ 9 વાગે ઈન્દિરા ગાંધી વડાપ્રધાન કાર્યાલયમાંથી બહાર આવ્યા. ઇન્દિરા ગાંધી અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે અચાનક તેમની સુરક્ષા માટે તૈનાત સિક્યુરિટી ગાર્ડ બેઅંત સિંહે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ઈન્દિરા ગાંધી પર ત્રણ ગોળીઓ ચલાવી.બેઅંત સિંહે તેમનાથી થોડે દૂર ઊભેલા સતવંત સિંહને બૂમ પાડી અને કહ્યું- ‘તમે શું જોઈ રહ્યા છો? ? શૂટ કરો , સતવંતે તરત જ ઈન્દિરા ગાંધી પર પોતાની ઓટોમેટિક કાર્બાઈનની તમામ 25 ગોળીઓ ચલાવી. આ ઘટના બાદ ઇન્દિરાને તરત જ એઈમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવી, લગભગ 4 કલાક પછી બપોરે 2 વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.

કેમ પોતાના અંગરક્ષકોએ જ કરી ઈન્દિરા ગાંધીની હત્યા?
ઈન્દિરા દ્વારા ચલાવવામાં આવેલા ‘ઓપરેશન બ્લુ સ્ટાર’થી તેમના બન્ને અંગ રક્ષકો નારાજ હતા. અગાઉ તપાસમાં આ હકીકત સામે આવી ચુકી છે. ઈન્દિરા પર ગોળીબારમાં સામેલ ન હોવા છતાં કેહર સિંહ હત્યામાં કાવતરું ઘડવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. ઈન્દિરા ગાંધી પર ગોળીબાર કર્યા બાદ તેમના સુરક્ષાકર્મીઓ દ્વારા બેઅંત સિંહની હત્યા કરવામાં આવી હતી.

ઈન્દિરા ગાંધીની હત્યાનું કાવતરુ કોણે અને ક્યારે ઘડ્યું?
31 ઓક્ટોબર 1984ના રોજ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની તેમના અંગરક્ષકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ હત્યાકાંડથી સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો હતો. ઈન્દિરા ગાંધીની હત્યા પહેલા અને પછી દેશમાં ઘણું થયું. ગોળી મારનાર સતવંત સિંહ અને બેઅંત સિંહ પર પણ તે જ સમયે ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાંથી બેઅંત સિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે સતવંત સિંહને સારવાર બાદ બચી ગયો હતો.

ઈન્દિરા પર ગોળી ચલાવનારાઓનું પછી શું થયું?
ઈન્દિરા પર ગોળીઓ ચલાવ્યા પછી, બેઅંત સિંહ અને સતવંત સિંહને અન્ય સુરક્ષા કર્મચારીઓએ પકડી લીધા. આ દરમિયાન ભાગવાનો પ્રયાસ કરતી વખતે બેઅંતને ત્યાં જ શૂટ કરી દેવામાં આવ્યો હતો. સતવંત સિંહની ધરપકડ કરવામાં આવી હતી. ઈન્દિરા ગાંધીના હત્યારાઓ કથિત રીતે તેમની પાસેથી ઓપરેશન બ્લુ સ્ટારનો બદલો લેવા માંગતા હતા. શીખોના પવિત્ર સ્થળ ગોલ્ડન ટેમ્પલમાં ખાલિસ્તાની આતંકવાદીઓ સામે સેનાની મદદથી ઈન્દિરા ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ઓપરેશન બ્લુ સ્ટાર’માં સેંકડો લોકો માર્યા ગયા હતા.

ઈન્દિરાના હત્યારાઓને અપાઈ હતી ફાંસીની સજા-
સતવંતની સાથે ઈન્દિરાની હત્યાનું કાવતરું ઘડનારા કેહર સિંહ અને બળવંત સિંહ પર પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, પુરાવાના અભાવે બળવંત સિંહને પાછળથી છોડી દેવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટે ઈન્દિરા પર ગોળીબાર કરનાર સતવંત સિંહ અને તેની હત્યાના કાવતરુ ઘડનાર કેહર સિંહને દોષિત ઠેરવીને ફાંસીની સજા ફરમાવી હતી. ઈન્દિરાના મૃત્યુના લગભગ 5 વર્ષ પછી, સતવંત સિંહ (54 વર્ષ) અને કેહર સિંહ (26 વર્ષ)ને 6 જાન્યુઆરી 1989ના રોજ તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી હતી. ફાંસી પછી બંનેના મૃતદેહ તેમના પરિવારજનોને આપવામાં આવ્યા ન હતા અને જેલ પ્રશાસને જ તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news