Corona Update: વળી પાછા કોરોનાથી થતા મૃત્યુમાં વધારો, નવા કેસ પણ વધ્યા, જાણો લેટેસ્ટ અપડેટ

દેશમાં કોરોનાના નવા કેસ અને મૃત્યુની સંખ્યામાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 46 હજારથી વધુ કેસ નોંધાયાં છે.

Corona Update: વળી પાછા કોરોનાથી થતા મૃત્યુમાં વધારો, નવા કેસ પણ વધ્યા, જાણો લેટેસ્ટ અપડેટ

નવી દિલ્હી: દેશમાં કોરોનાના નવા કેસ અને મૃત્યુની સંખ્યામાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 46 હજારથી વધુ કેસ નોંધાયાં છે જ્યારે કોરોનાથી 1005 લોકોના મૃત્યુ થયા છે. ગઈ કાલે જાહેર થયેલા સરકારી આંકડા મુજબ કોરોનાના નવા 45,951 કેસ નોંધાયા હતા અને 817 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા હતા. 

નવા કેસમાં સામાન્ય વધારો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 48,786 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો હવે 3,04,11,634 પર પહોંચી ગયો છે. એક દિવસમાં 1005 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક હવે 3,99,459  થયો છે. 

Total cases: 3,04,11,634
Total recoveries: 2,94,88,918
Active cases: 5,23,257
Death toll: 3,99,459

Total Vaccination : 33,57,16,019 pic.twitter.com/o1FX1g1Xue

— ANI (@ANI) July 1, 2021

એક દિવસમાં 61,588 લોકો રિકવર થયા
સરકારી આંકડા મુજબ એક દિવસમાં 61,588 લોકો કોરોનાને માત આપીને રિકવર થયા. આ સાથે કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા 2,94,88,918 થઈ છે. હાલ દેશમાં 5,23,257 લોકો સારવાર હેઠળ છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના 33,57,16,019 ડોઝ અપાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news