Corona Update: ઘટી રહ્યો છે કોરોનાનો પ્રકોપ? નવા કેસમાં ઘટાડો નોંધાયો, જાણો લેટેસ્ટ સ્થિતિ

સમગ્ર દેશમાં કોરોના (Corona) પ્રકોપ જોવા મળી રહ્યો છે. જો કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દૈનિક કેસમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. એક દિવસમાં 3.92 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે જ્યારે 3689 લોકોના કોરોનાથી મોત થયા છે. 

Corona Update: ઘટી રહ્યો છે કોરોનાનો પ્રકોપ? નવા કેસમાં ઘટાડો નોંધાયો, જાણો લેટેસ્ટ સ્થિતિ

નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોના (Corona) પ્રકોપ જોવા મળી રહ્યો છે. જો કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દૈનિક કેસમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. એક દિવસમાં 3.92 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે જ્યારે 3689 લોકોના કોરોનાથી મોત થયા છે. 

એક જ દિવસમાં નવા 3.92 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 3,92,488 નવા કોરોના કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,95,57,457 પર પહોંચ્યો છે જ્યારે 1,59,92,271 લોકો કોરોનાને માત આપીને રિકવર થયા છે. જો કે 33,49,644 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. કોરોનાથી એક દિવસમાં 3689 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો  2,15,542 પર પહોંચ્યો છે. જો કે સારી વાત એ પણ છે કે ગઈ કાલે દેશમાં 3,07,865 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યા. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી કોરોના રસીના 15,68,16,031 ડોઝ અપાયા છે. 

Total cases: 1,95,57,457
Total recoveries: 1,59,92,271
Death toll: 2,15,542
Active cases: 33,49,644

Total vaccination: 15,68,16,031 pic.twitter.com/5xytqvn2K0

— ANI (@ANI) May 2, 2021

ગઈ કાલે 18,04,954 ટેસ્ટ થયા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના જણાવ્યાં મુજબ શનિવારે સમગ્ર દેશમાં 18,04,954 કોરોના ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધી કરાયેલા કુલ કોરોના ટેસ્ટનો આંકડો 29,01,42,339 પર પહોંચ્યો છે. 

ગઈ કાલના આંકડામાં કોરોનાની રેકોર્ડબ્રેક છલાંગ જોવા મળી હતી
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગઈ કાલે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 4,01,993 દર્દીઓ નોંધાયા હતા. જેને જોતા આજે દૈનિક કેસમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. 

ગુજરાતમાં નોંધાયા સામાન્ય ઘટાડો
ગુજરાતના આરોગ્ય વિભાગે શનિવારે જાહેર કરેલા આંકડા મુજબ દૈનિક કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. એક દિવસમાં કોરોનાના 13847 નવા કેસ નોંધાયા. જ્યારે 10582 લોકો રિકવર થયા. 24 કલાકમાં કોરોનાએ 172 લોકોનો ભોગ લીધો. રાજ્યમાં હાલ 1,42,139 એક્ટિવ કેસ છે. જ્યારે કોરોનાથી કુલ 7355 લોકોએ જીવ ગુમાવ્યા છે. સૌથી વધુ નવા કેસ અમદાવાદમાં 5060 જ્યારે સુરતમાં 2188 નોંધાયા છે. 

મહારાષ્ટ્રમાં થોડા દિવસોની રાહત ફરી કોરોના ગ્રાફમાં આવ્યો ઉછાળો
થોડા દિવસથી નવા કોરોના (Coronavirus) સંક્રમિતોની સંખ્યામાં ઘટાડા બાદ આજે ફરી મહારાષ્ટ્ર (Maharashtra) ના કોરોના ગ્રાફમાં ઉછાળો આવ્યો છે. ગત 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાના 63,282 નવા કેસ સામે આવ્યા છે, જેની સાથે જ કોરોના સંક્રમિતોનો કુલ આંકડો હવે 46,65,754 ને પાર પહોંચી ગયો છે. 

મહારાષ્ટ્રમાં એક દિવસમાં 802 દર્દીઓના મોત
એટલું જ નહી, ગત 1 દિવસમાં અહી કોરોનાથી સંક્રમિત થતાં 802 લોકોએ અંતિમ શ્વાસ લીધા છે. એટલે કે દર કલાકે 33 લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. શરૂઆતથી આંકડા પર નજરઈ તો અત્યાર સુધી 69,615 લોકોના કોરોનાથી મોત થયા છે. જોકે રાહતની વાત એ રહી કે શનિવારે 61, 326 દર્દીઓ કોરોન સામે જંગ જીત્યા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા કહે છે કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 39,30,302 દર્દીઓ કોરોનાની સારવાર બાદ સાજા થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news