Corona Update: કોરોનાના નવા કેસમાં ધરખમ વધારો, છેલ્લા 24 કલાકમાં 400થી વધુ લોકોના મોત

દેશભરમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 56,06,52,030 ડોઝ અપાયા છે. જેમાંથી 55,05,075 ડોઝ  છેલ્લા 24 કલાકમાં અપાયા છે. 

Corona Update: કોરોનાના નવા કેસમાં ધરખમ વધારો, છેલ્લા 24 કલાકમાં 400થી વધુ લોકોના મોત

નવી દિલ્હી: કોરોનાના નવા કેસમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. તાજા આંકડા પર નજર ફેરવીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસના નવા 35,178 કેસ નોંધાયા છે. જ્યારે ગઈ કાલે 25 હજારની આસપાસ કેસ નોંધાયા હતા. 

કોરોનાના નવા કેસમાં નોંધપાત્ર વધારો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 35,178 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 3,22,85,857 પર પહોંચી ગયો છે. હાલ દેશમાં 3,67,415 દર્દીઓ સારવાર હેઠળ છે. 

એક દિવસમાં 400થી વધુ લોકોના મોત
કોરોનાના કારણે એક દિવસમાં 440 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે દેશભરમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો હવે 4,32,519 પર પહોંચી ગયો છે. જો કે છેલ્લા 24 કલાકમાં 37,169 લોકોએ કોરોનાના માત આપવામાં સફળતા પણ મેળવી છે. અત્યાર સુધીમાં રિકવર થયેલા કુલ દર્દીઓની સંખ્યા 3,14,85,923 થઈ છે. 

Total cases: 3,22,85,857
Total recoveries: 3,14,85,923
Active cases: 3,67,415
Death toll: 4,32,519

Total vaccinated: 56,06,52,030 (55,05,075 in last 24 hrs) pic.twitter.com/NttrUIFE74

— ANI (@ANI) August 18, 2021

એક દિવસમાં 55 લાખથી વધુ ડોઝ
દેશભરમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 56,06,52,030 ડોઝ અપાયા છે. જેમાંથી 55,05,075 ડોઝ  છેલ્લા 24 કલાકમાં અપાયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news