Eid 2023: દેશભરમાં આજે ઈદની ઉજવણી, મસ્જિદોમાં લોકોએ અદા કરી નમાઝ; જાણો શું છે ઇતિહાસ

Eid Festival: દેશ અને દુનિયામાં ઈદનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે.  શું તમે જાણો છો ઈદ શા માટે ઉજવવામાં આવે છે, ચાલો જાણીએ..

Eid 2023: દેશભરમાં આજે ઈદની ઉજવણી, મસ્જિદોમાં લોકોએ અદા કરી નમાઝ;  જાણો શું છે ઇતિહાસ

Eid Celebration: શુક્રવારે રાત્રે ચાંદ દેખાતાની સાથે જ સમગ્ર વિશ્વમાં ઈદની ઉજવણી શરૂ થઈ ગઈ હતી. કતારમાં જબરદસ્ત આતશબાજી સાથે ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છા પાઠવવાની પ્રક્રિયા શરૂ થઈ હતી, જ્યારે ભારતમાં ચાંદના દર્શન થયા બાદ આખી રાત બજારો ખરીદી માટે ધમધમતી રહી. ત્રીસ રોઝા રાખ્યા બાદ બોહરા સમાજના લોકોએ એક દિવસ પહેલા ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે ઈદના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. ચાલો જાણીએ કે પહેલીવાર ઈદ ક્યારે મનાવવામાં આવી..

ઈદની ઉજવણી ક્યારે શરૂ થઈ?
ઇસ્લામની માન્યતા અનુસાર, કુરાન પ્રથમ વખત રમઝાન મહિનાના અંતમાં પૃથ્વી પર આવ્યું. મક્કાથી પયગંબર મોહમ્મદના સ્થળાંતર પછી મદીનામાં ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર શરૂ થયો હતો. એવું કહેવાય છે કે પયગંબર મોહમ્મદ બદરના યુદ્ધમાં જીત્યા હતા. આ જીતની ઉજવણી કરવા સૌએ મોં મીઠા કરાવ્યા હતા. ત્યારથી તેને ઈદ-ઉલ-ફિત્ર અથવા મીઠી ઈદ કહેવામાં આવે છે. મીઠી ઈદ પર મોટાભાગે ઘરે વાનગીઓ બનાવવામાં આવે છે. મીઠી વર્મીસીલી અને મીઠાઈઓ મિત્રો અને સંબંધીઓમાં વહેંચવામાં આવે છે. આ ઉપરાંત ઘરે આવતા મહેમાનોને પણ આ વાનગી પીરસવામાં આવે છે. લોકો એકબીજાને ગળે મળીને ઈદની શુભેચ્છા પાઠવે છે.

ઈદ શા માટે ઉજવવામા આવે છે?
ઇસ્લામમાં માનનારાઓ અનુસાર, રમઝાન મહિનામાં રોઝા રાખનારાઓ પર અલ્લાહ મેહરબાન રહે છે. આ ઉપરાંત રોઝેદારો પણ અલ્લાહનો આભાર માને છે. ઈદના દિવસે સવારે ઈદગાહમાં ખાસ નમાજ અદા કરવામાં આવે છે. ત્યારપછી ઈદની શુભેચ્છા પાઠવવામા આવે છે. દેશ અને દુનિયામાં ઈદનો તહેવાર ખુબ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

ઈદ કેવી રીતે ઉજવવામાં આવે છે?
ઈદના દિવસે લોકો નવા વસ્ત્રો પહેરે છે. સવારે ઈદની નમાજ પછી મિત્રો અને સંબંધીઓ સાથે મળીને તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ઈદને ખુશીઓ વહેંચવાનો તહેવાર કહેવામાં આવે છે. ઇદના દિવસે, મુસ્લિમ સમાજના લોકો તેમના નજીકના લોકોને વર્મીસીલી અને શેર ખુરમા વગેરે જેવી સ્વાદિષ્ટ વાનગીઓનું વિતરણ કરે છે.

આ પણ વાંચો:
ધોનીએ અચાનક આપ્યા સંન્યાસના સંકેત, પોતાના નિવેદનથી ક્રિકેટ જગતમાં મચાવી હલચલ
પોલીસનો ધડાકો: 'યુવરાજસિંહે બે લોકો પાસેથી 1 કરોડની જબરદસ્તી ખંડણી કઢાવી'
Akshaya Tritiya 2023: આજે કરી લો આ શુભ કામ, વર્ષભર ધન-ધાન્યથી છલોછલ રહેશે ઘર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news