આજે 3.30 કલાક બંધ રહેશે રેલવેનું રિઝર્વેશન સિસ્ટમ, બુક નહી થાય ટિકિટ, આ છે કારણ

Indian Railways Latest News:  જો તમે રેલવે ટિકિટ બુકિંગ કે કેન્સલ કરાવવા માંગતા હોવ તો 22-23 એપ્રિલના રોજ તેને ઇગ્નોર કરો. રેલવેની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ અપડેટ થવાના કારણે લગભગ સાડા ત્રણ કલાક સુધી ટિકિટ બુકિંગના કામમાં અડચણ આવશે.

આજે 3.30 કલાક બંધ રહેશે રેલવેનું રિઝર્વેશન સિસ્ટમ, બુક નહી થાય ટિકિટ, આ છે કારણ

Indian Railways Passenger Reservation System in Delhi: જો તમે રેલવે દ્વારા મુસાફરી કરો છો, તો તમારા માટે ખૂબ જ ઉપયોગી સમાચાર છે. હકીકતમાં, 22 અને 23 એપ્રિલના રોજ લગભગ સાડા ત્રણ કલાક માટે રેલવેની પેસેન્જર રિઝર્વેશન સર્વિસ (PRS) ખોરવાઈ જશે. આ સમયગાળા દરમિયાન તમે ન તો ટિકિટ કેન્સલ કરાવી શકશો કે ન તો ટિકિટ રિઝર્વેશન કરાવી શકશો. એટલું જ નહીં, તમે આ સમયગાળા દરમિયાન સીટોનું ઓનલાઈન બુકિંગ, ચાર્ટિંગ, કાઉન્ટર ઈન્ક્વાયરી અથવા EDI સેવાઓનો લાભ લઈ શકશો નહીં.

આજે રાત્રે રેલવે બુકિંગમાં સમસ્યા થશે
ભારતીય રેલવે તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, 22-23 એપ્રિલના રોજ, તમે 139 નંબર પર કૉલ કરીને ટ્રેનના સંચાલન (Passenger Reservation System) સંબંધિત કોઈપણ માહિતી મેળવી શકશો નહીં. આ સમય દરમિયાન તમે દિલ્હી રેલવે સ્ટેશન પર જઈને ન તો કોઈ ટિકિટ બુક કરાવી શકો છો કે ન તો કેન્સલ કરાવી શકો છો. લગભગ સાડા ત્રણ કલાક સુધી મુશ્કેલીનો સામનો કર્યા બાદ આ સુવિધા ફરી શરૂ કરવામાં આવશે.

રિઝર્વેશન-કેન્શલેશન કરી શકશો નહી
ભારતીય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીના જણાવ્યા અનુસાર, ડેટાબેઝ કમ્પ્રેશન એક્ટિવિટી અપડેટ થવાને કારણે PRS સિસ્ટમ (Passenger Reservation System) અસ્થાયી રૂપે ખોરવાઈ જશે. આ કારણે દિલ્હી PRSની તમામ સેવાઓ 22 એપ્રિલે રાત્રે 11.45 વાગ્યાથી 23 એપ્રિલ 2023ના રોજ સવારે 3.15 વાગ્યા સુધી બંધ રહેશે. આ 3.30 કલાક દરમિયાન લોકો પૂછપરછ સેવા, રિઝર્વેશન, કેન્સલેશન, ઈન્ટરનેટ બુકિંગ અને EDR સેવાનો લાભ લઈ શકશે નહીં.

આખરે PRS સિસ્ટમ શું છે?
રેલવે (Indian Railways) અધિકારીના જણાવ્યા અનુસાર, દરેક રેલવે સ્ટેશન પર ઓફલાઈન ટિકિટ બુક કરવા માટે PRS સિસ્ટમ છે. આ સિસ્ટમ (Passenger Reservation System)ની મદદથી રેલવે ટિકિટિંગ સિસ્ટમ કામ કરે છે. આ સાથે રેલવે સ્ટેશનો પર રિઝર્વેશન, ઇન્ક્વાયરી સિસ્ટમ, કેન્સલેશન જેવા કામો કરવામાં આવે છે. વર્કલોડ વધવાને કારણે તેના પર કામનો ભારે બોજ છે, જેના કારણે તેને સમયાંતરે અપગ્રેડ કરતા રહેવું ખૂબ જ જરૂરી છે. તેના અપડેટ પછી, સેવા ઝડપી બને છે અને બુકિંગની ઝડપ વધે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news