ઉપવાસ પર જતાં પહેલાં 'MP-MLA' એ કર્યું ભોજન, VIDEO VIRAL

વાયરલ વીડિયો (Viral Video) માં કુરૂક્ષેત્ર વિકાસ બોર્ડ (KBD)ના માનદ સચિવ મદન મોહન છાબડા સાથે થાનેસરના ધારાસભ્ય સુભાષ સુધા અને કુરૂક્ષેત્રના સાંસદ નાયબ સૈની જમતા જોવા મળી રહ્યા છે.

ઉપવાસ પર જતાં પહેલાં 'MP-MLA' એ કર્યું ભોજન, VIDEO VIRAL

કુરૂક્ષેત્ર, વિનોદ લાંબા: ભારતીય જનતા પાર્ટી (BJP) એ હરિયાણામાં સતલુજ-યમુના લિંક (SYL) નહેરના સમર્થનમાં શનિવારે તમામ ઓફિસો પર એક દિવસ પહેલાં ઉપવાસ કર્યું હતું. તેમાં તમામ વરિષ્ઠ નેતાઓ સામેલ થવાના હતા પરંતુ ભાજપના સાંસદ, ધારાસભ્યનો એક વિધાયકનો એક વીડિયો વાયરલ પાર્ટીની મજાક ઉડાવવામાં આવી રહી છે. કુરૂક્ષેત્રના ભાજપ સાંસદ નાયબ સિંહ સૈની અને થાનેસર ધારાસભ્ય સુભાષ સુધાનો 1 દિવસ પહેલાં ઉપવાસમાં બેસવાના થોડા સમય પહેલાં ખાવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.  

ભોજન કરીને ઉપવાસ?
વાયરલ વીડિયો (Viral Video) માં કુરૂક્ષેત્ર વિકાસ બોર્ડ (KBD)ના માનદ સચિવ મદન મોહન છાબડા સાથે થાનેસરના ધારાસભ્ય સુભાષ સુધા અને કુરૂક્ષેત્રના સાંસદ નાયબ સૈની જમતા જોવા મળી રહ્યા છે. ભોજન સાથે સામે ડ્રાઇ ફ્રૂટ્સ પણ રાખેલી છે. સોશિયલ મીડિયા પર તેજી સાથે વાયરલ થઇ રહેલા વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સાંસદ અને ધારાસભ્ય જમીને ઉપવાસ બેઠ્યા હતા. 

શું કહેવું છે સાંસદનું
આ અંગે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતાં સાંસદ નાયબ સૈનીએ કહ્યું કે તેમણે ઉપવાસ કાર્યક્રમથી પહેલાં ભોજન કર્યું નથી. તે કુરૂક્ષેત્રના સલારપુર રોડ પર ગીત જ્ઞાન સંસ્થાનમાં એક ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થયા. જ્યાં મહારાજજીએ કહ્યું કે પ્રસાદ વિના જઇ ન શકો. એટલા માટે મહારાજજીના કહેવા પર અમે પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ત્યારે એક લોકલ વેબ પોર્ટલ રિપોર્ટરે આ વીડિયો બનાવી લીધો. તેમણે આ પાર્ટીની છબિ ધૂમિલ કરવાનો પ્રયત્ન ગણાવ્યો. સાંસદ સૈનીએ આ વીડિયો બનાવનાર પર બ્લેકમેલ કરી રૂપિયા માંગવાનો પણ આરોપ લગાવ્યો. 

BKU નો નિશાન
તો બીજી તરફ કિસાન યૂનિયન BKU હરિયાણાના અધ્યક્ષ થાનેસર પવન ચૌધરીનું કહેવું છે કે રાજ્યમાં 6 વર્ષોથી વધુ વીતી ગયા હોવા છતાં ભાજપ સરકાર સતલુજ-યમુના લિંક (SYL)મુદ્દાનું સમાધાન શોધી શકી નથી. હવે નવા કૃષિ કાયદા (New Farm Law)નો વિરોધ કરી રહેલા ખેડૂતોને વેચવા માટે ભાજપે SYL મુદ્દો ઉઠાવ્યો છે. 

ભાજપનો પલટવાર
ભાજપ નેતાઓનું કહેવું છે કે હરિયાણાના ખેડૂતો માટે સતલુજ-યમુના લિંક SYL નહેરમાંથી પાણી નહી મળવાનો સૌથી મોટો મુદ્દો છે. ખેડૂતોએ હિતૈષી બની આજે રસ્તાઓ ઘેરી બેસેલા ખેડૂત નેતાઓએ ક્યારેય એસવાઇએલના મુદ્દે ધરણા પ્રદર્શન કર્યું નથી. એટલા માટે ભાજપના કાર્યકર્તા જિલ્લા મુખ્યાલય પર એસવાઇએલથી હરિયાણાને પાણી આપવાની માંગને લઇને એક દિવસના સામૂહિક અનશન પર બેઠા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news