ગાંધીજયંતી 150 વર્ષઃ શું તમે ગાંધીજીની તંદુરસ્તીનું રહસ્ય જાણો છો? જાણવા કરો ક્લિક....

રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીના પ્રસંગે ભારતીય ચિકિત્સા સંશોધન પરિષદ દ્વારા ગયા વર્ષે 'ગાંધી એન્ડ હેલ્થ@150' નામનું એક પુસ્તક બહાર પડાયું હતું. આ પુસ્તકમાં મહાત્મા ગાંધીની આહારસરણીથી માંડીને તેમને થયેલી બીમારીઓ અંગે માહિતી આપવામાં આવી છે. 
 

ગાંધીજયંતી 150 વર્ષઃ શું તમે ગાંધીજીની તંદુરસ્તીનું રહસ્ય જાણો છો? જાણવા કરો ક્લિક....

નવી દિલ્હીઃ મહાત્મા ગાંધીના નિધનના 71 વર્ષ પછી તેમની સારી તંદુરસ્તી અંગે એક મોટો ખુલાસો થયો છે. ગાંધીજીની તંદુરસ્તી પર આધારિત એક પુસ્તકમાં લખાયું છે કે, શાકાહારી ભોજન અને નિયમિત વ્યાયામ તેમની સારી તંદુરસ્તીનું રહસ્ય હતું. પુસ્તક અનુસાર તેઓ શાકાહારી ભોજનના આગ્રહી હતા અને હંમેશાં ખુલ્લી જગ્યામાં વ્યાયામ કરતા હતા. તેમનું માનવું હતું કે, વ્યાયામ મન અને શરીર માટે એટલો જ જરૂરી છે, જેટલું ભોજન મન, હાડકાં અને માંસ માટે. 

રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીના પ્રસંગે ભારતીય ચિકિત્સા સંશોધન પરિષદ દ્વારા ગયા વર્ષે 'ગાંધી એન્ડ હેલ્થ@150' નામનું એક પુસ્તક બહાર પડાયું હતું. આ પુસ્તકમાં મહાત્મા ગાંધીની આહારસરણીથી માંડીને તેમને થયેલી બીમારીઓ અંગે માહિતી આપવામાં આવી છે. 

રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલયમાં સંરક્ષિત પુસ્તકમાં દાવો કરાયો છે કે, ગાંધીજી ભોજનની સાથે પ્રયોગો, લાંબા ઉપવાસ અને તબીબી મદદ લેવામાં ખચકાટના કારણે કેટલીક વખત તેમની તબિયત ખરાબ થઈ હતી અને તેમને એવો અહેસાસ થયો હતો કે તેઓ મૃત્યુના દરવાજા પર છે. 

ICMRના 'સંગ્રહણીય સંસ્કરણ' અનુસાર ગાંધીજી તેમનાં જીવનનાં વિવિધ તબક્કા દરમિયાન કબજિયાત, મેલેરિયા અને પ્લુરિસી (એવી સ્થિતિ જેમાં ફેફસામાં સોજો આવી જાય છે) સહિત અેક બીમારીઓનો ભોગ બન્યા હતા. પુસ્તક અનુસાર ગાંધીજીને 1925, 1936 અને 1944માં મેલેરિયા થયો હતો. 1919માં તેમણે મસા અને 1924માં એપેન્ડિસાઈટિસનું ઓપરેશન પણ કરાવ્યું હતું. 

આ પુસ્તકમાં કરાયેલા વર્ણન અનુસાર લંડનમાં વિદ્યાર્થી જીવન દરમિયાન ગાંધીજી દરરોજ સાંજે લગભગ 8 માઈલ પગપાળા ચાલતા હતા અને પથારીમાં ઊંઘવા જતા પહેલા 30-40 મિનિટ સુધી ફરીથી ચાલતા હતા. ગાંધીજીના સારા આરોગ્યનું શ્રેય મોટાભાગે શાકાહારી ભોજન અને ખુલ્લી હવામાં વ્યાયામને આપવામાં આવે છે. 

ગાંધીજીનું વજન 46.7 કિગ્રા હતું. 70 વર્ષની વયે તેમનો બોડી માસ ઈન્ડેક્સ 17.1 હતો, જેને આરોગ્ય નિષ્ણાતો 'ઓછું વજન' માને છે. પુસ્તકમાં ગાંધીજીના દૃઢ વિશ્વાસનો પણ ઉલ્લેખ કરાયો છે. ગાંધીજી ગાય કે ભેંસ નહીં પરંતુ બકરીનું દૂધ પીતા હતા. તેઓ જ્યારે પણ બિમાર પડતા ત્યારે સૌથી પહેલા ઘરેલુ ઉપચાર અને પ્રાકૃતિક ચિકિત્સા પર જ ભાર મુકતા હતા. 

જુઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news