Manmohan Singh Corona Positive: પૂર્વ પીએમ મનમોહન સિંહ કોરોનાથી સંક્રમિત, હોસ્પિટલમાં દાખલ

Manmohan Singh Corona Positive: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને સારવાર માટે દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. 

Manmohan Singh Corona Positive: પૂર્વ પીએમ મનમોહન સિંહ કોરોનાથી સંક્રમિત, હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હીઃ Manmohan Singh Corona Positive: પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમને સારવાર માટે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. મહત્વવનું છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોનાની ચોથી લહેર ઘાતક બની રહી છે. અહીં રવિવારે 25 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા હતા અને 161 લોકોના મૃત્યુ થયા હતા. 

88 વર્ષીય પૂર્વ પ્રધાનમંત્રી કોરોના વાયરસની વેક્સિનના બન્ને ડોઝ લઈ ચુક્યા છે. એમ્સે એક નિવેદનમાં કહ્યુ કે, મનમોહન સિંહને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. 

— ANI (@ANI) April 19, 2021

મનમોહન સિંહ સંક્રમિત થયાના સમાચાર મળતા સોશિયલ મીડિયા પર તેમના સાજા થવાની દુવા કરવામાં આવી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત અનેક નેતાઓએ ટ્વીટ કરી દુવા કરી છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news