Farmers Protest: ખેડૂતો-સરકાર વચ્ચે બેઠકનું કોઈ પરિણામ નહીં, દિલ્હી બોર્ડર પર ખેડૂતો અડીખમ 

કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે મંગળવારે સંવાદનું કોઈ પરિણામ આવ્યું નહીં અને ખેડૂતોનું પ્રદર્શન આજે પણ ચાલુ છે. બેઠક દરમિયાન સરકારે ખેડૂતો સામે કૃષિ કાયદા પર ચર્ચા માટે સમિતિ બનાવવાનો પ્રસ્તાવ રજુ કર્યો, પરંતુ ખેડૂતોએ તેની ના પાડી દીધી. બંને પક્ષો વચ્ચે આગામી બેઠક ગુરુવારે (3 ડિસેમ્બર) થવાની છે. ત્યારબાદ ખેડૂતો દિલ્હીના રસ્તાઓ પર પોતાની સંખ્યા વધારવાની યોજના કરી રહ્યા છે. આ માટે પંજાબ અને હરિયાણાથી વધુ ખેડૂતો દિલ્હી આવવાની તૈયારી કરી રહ્યા છે. 
Farmers Protest: ખેડૂતો-સરકાર વચ્ચે બેઠકનું કોઈ પરિણામ નહીં, દિલ્હી બોર્ડર પર ખેડૂતો અડીખમ 

નવી દિલ્હી: કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે મંગળવારે સંવાદનું કોઈ પરિણામ આવ્યું નહીં અને ખેડૂતોનું પ્રદર્શન આજે પણ ચાલુ છે. બેઠક દરમિયાન સરકારે ખેડૂતો સામે કૃષિ કાયદા પર ચર્ચા માટે સમિતિ બનાવવાનો પ્રસ્તાવ રજુ કર્યો, પરંતુ ખેડૂતોએ તેની ના પાડી દીધી. બંને પક્ષો વચ્ચે આગામી બેઠક ગુરુવારે (3 ડિસેમ્બર) થવાની છે. ત્યારબાદ ખેડૂતો દિલ્હીના રસ્તાઓ પર પોતાની સંખ્યા વધારવાની યોજના કરી રહ્યા છે. આ માટે પંજાબ અને હરિયાણાથી વધુ ખેડૂતો દિલ્હી આવવાની તૈયારી કરી રહ્યા છે. 

બેઠકમાં ખેડૂતોએ મૂકી આ માગણી
પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ તરફથી બેઠકમાં સામેલ થયેલા ખેડૂત નેતાઓનો એક મત હતો અને તમામે કહ્યું કે ત્રણેય નવા કૃષિ કાયદા રદ થવા જોઈએ. ખેડૂતોના પ્રતિનિધિઓએ આકાયદાઓને કૃષિ સમુદાયના હિત વિરુદ્ધ ગણાવ્યા. ખેડૂતોએ કહ્યું કે સમિતિનો કોઈ અર્થ નથી. સરકાર તરફથી આ મુદ્દાનો ઉકેલ લાવવાની નહીં પરંતુ ટાળવાની કોશિશ છે. તેમણે કહ્યું કે અમે વાતચીતથી દૂર ભાગતા નથી પરંતુ જ્યાં સુધી ઉકેલ ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. 

લેખિત આપત્તિઓ અને સૂચનો આપશે  ખેડૂતો
ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે બેઠકનું કોઈ પરિણામ ન આવતા સરકારે ખેડૂતો નેતાઓ પાસેથી સંબંધિત જોગવાઈઓ પર લેખિતમાં આપત્તિઓ અને સૂચનો માંગ્યા છે. જેનો રિપોર્ટ બુધવાર સુધીમાં ખેડૂત પ્રતિનિધિઓને ઉપલબ્ધ કરાવવાનો છે. તેના પર હવે 3 ડિસેમ્બરે બપોરે 12 વાગે ચર્ચા થશે. સરકારનું કહેવું છે કે તેનાથી જરૂરી મુદ્દાઓ પર યોગ્ય રીતે વાતચીત કરવામાં સરળતા રહેશે. સરકારનું કહેવું છે કે પહેલા ખેડૂત સંગઠનો નવા કાયદાને લઈને પોતાના મુદ્દાની યોગ્ય રીતે ઓળખ કરી લે. લેખિતમાં પોતાના સૂચનો તૈયાર કરી જેથી કરીને 3 ડિસેમ્બરે થનારી ચોથા રાઉન્ડની બેઠકમાં સરળતા રહે. 

આજે આ રસ્તાઓ છે બંધ
અધરધામથી ચિલ્લા બોર્ડર
નોઈડા-મયૂર વિહાર બોર્ડર
લાલપુર, ઔચંદી બોર્ડર
સિંધુ બોર્ડર પાસેની તમામ સરહદો
ટિકરી બોર્ડર
ઝડૌદા બોર્ડર
ઝટિકરા બોર્ડર

2 ડિસેમ્બરથી આ રસ્તા ખુલશે
સરાય કાલે ખા થી નોઈડાનો રસ્તો
નોઈડા-દિલ્હી માટે કાલિંદી કૂંજ રસ્તો ખુલ્લો
દિલ્હી-નોઈડા-દિલ્હી (DND) ખુલ્લો
દ્વિચક્કી વાહનો માટે બાદુસરાય બોર્ડર ખુલ્લી
ધનસા, દૌરાલા, કાપસહેડા બોર્ડર ખુલ્લી
રજોખરી NH 8, બિજવાસન, બજઘેરા બોર્ડર ખુલ્લી
પાલમ વિહાર અને ડૂંડાહેડા બોર્ડર  ખુલ્લી

દિલ્હી-યુપી બોર્ડર પર ખેડૂતોની સંખ્યા વધી
ખેડૂતોના પ્રદર્શનના 7માં દિવસે દિલ્હી-યુપી બોર્ડર પર ખેડૂતોની સંખ્યા વધવા લાગી છે. યુપી ગેટ પર ગાજીપુર પાસે અલગ અલગ જિલ્લાઓમાંથી ખેડૂતો પહોંચી રહ્યા છે અને સતત ભીડ વધી રહી છે. આ અગાઉ મંગળવારે આંદોલન કરી રહેલા ખેડૂતો ઉગ્ર થયા હતા અને ટ્રેક્ટરથી દિલ્હી પોલીસની બેરિકેડ તોડી હતી આ બાજુ આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદ પણ મંગળવારે કાર્યકરો સાથે ધરણા સ્થળે પહોંચ્યા હતા અને ખેડૂતોને પોતાનું સમર્થન આપવાની જાહેરાત કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news