EXIT POLL 2019: 2014માં શું હતાં એક્ઝિટ પોલના પરિણામ? કોની વાત સાચી પડી તે ખાસ જાણો

રાજકારણમાં થોડી અમથો પણ રસ ધરાવનારા લોકો હવે આજ સાંજને આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હશે કારણ કે લોકસભા ચૂંટણી 2019ના છેલ્લા તબક્કાનું મતદાન આજે સાંજે પૂરું થઈ રહ્યું છે. ત્યારબાદ તમામ ન્યૂઝ ચેનલ એક્ઝિટ પોલના સર્વે બહાર પાડશે. 

EXIT POLL 2019: 2014માં શું હતાં એક્ઝિટ પોલના પરિણામ? કોની વાત સાચી પડી તે ખાસ જાણો

નવી દિલ્હી: રાજકારણમાં થોડી અમથો પણ રસ ધરાવનારા લોકો હવે આજ સાંજને આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હશે કારણ કે લોકસભા ચૂંટણી 2019ના છેલ્લા તબક્કાનું મતદાન આજે સાંજે પૂરું થઈ રહ્યું છે. ત્યારબાદ તમામ ન્યૂઝ ચેનલ એક્ઝિટ પોલના સર્વે બહાર પાડશે. 

જો કે એ વાત પણ સાચી છે કે એક્ઝિટ પોલની ભવિષ્યવાણીઓ હંમેશા સાચી સાબિત થતી નથી પરંતુ ચૂંટણી વિશેષજ્ઞોના મતે આ પ્રકારના એક્ઝિટ પોલથી રાજકીય સ્થિતિની સંભાવના અંગે એક આઈડિયા જરૂર મળે છે. વાસ્તવમાં એક્ઝિટ પોલમાં એવું હોય છે કે આ પ્રકારના સર્વે કરનારી એજન્સીઓ મતદારોને પૂછે છે કે તેમણે કોને મત આપ્યો? તે આધાર પર તેઓ પોતાના ચૂંટણી ટ્રેન્ડ/પરિણામોની ભવિષ્યવાણી કરે છે. 

આ કડીમાં ગત લોકસભા ચૂંટણી 2014ના એક્ઝિટ પોલની ચર્ચા થાય તે સ્વાભાવિક છે. ગત વખતે કઈ ચેનલોએ શું ભવિષ્યવાણી કરી હતી અને તેમાંથી કેટલી સટીક જોવા મળી હતી તે અહીં જાણવું તર્કસંગત છે. 

2014માં અનેક ચેનલોના એક્ઝિટ પોલના પરિણામોમાં જણાવવામાં આવ્યું હતું કે ભાજપ પોતાના દમ પર બહુમતનો આંકડો મેળવી લેશે. તેમની આ વાત સાચી પણ સાબિત થઈ. ભાજપના નેતૃત્વમાં એનડીએ અંગે એબીપી ન્યૂઝ-નીલસન, સીએનએન આઈબીએન- સીએસડીએસ, ઈન્ડિયા ટુડે-સિસેરો, ઈન્ડિયા ટીવી-સી વોટર, ન્યૂઝ 24-ચાણક્ય, ટાઈમ્સ નાઉ-ઓઆરજી ઈન્ડિયાએ ક્રમશ: 281, 270-282, 261-283, 289, 340 અને 249 બેઠકોનું અનુમાન કર્યું હતું. એ જ રીતે કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ અંગે આ ચેનલો/એજન્સીઓએ ક્રમશ: 97, 92-102, 110-120, 101, 70 અને 148 બેઠકોનું અનુમાન કર્યું હતું. અન્ય પક્ષો અંગે ક્રમશ: 165, 150-159, 150-162, 153, 133, અને 146 બેઠકોનું અનુમાન કરવામાં આવ્યું હતું. 

એનડીએ
આ આંકડાઓનું જો વિશ્ષેલણ કરવામાં આવે તો જાણવા મળે છે કે તમામ સર્વેમાં કહ્યું હતું કે ભાજપને 200થી વધુ બેઠકો મળશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ 1998 અને 1999ની ચૂંટણીમાં ભાજપનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 182 બેઠકોનું હતું. 

જુઓ LIVE TV

કોંગ્રેસ
એ જ રીતે ટાઈમ્સ નાઉ-ઓઆરજીને બાદ કરતા લગભગ તમામ સર્વેમાં એવું કહેવાયું હતું કે કોંગ્રેસને પોતાના દમ પર 100થી પણ ઓછી બેઠકો મળશે. માત્ર ટાઈમ્સ નાઉ-ઓઆરજીએ કહ્યું હતું કે કોંગ્રેસને 100થી વધુ બેઠકો મળશે. આ તમામ સર્વેની ખાસ વાત એ હતી કે ભાજપને સૌથી વધુ ફાયદો ઉત્તર પ્રદેશથી થશે તેવું કહેવાયું હતું. તમામ સર્વેમાં કહેવાયું હતું કે યુપીની 80 બેઠકોમાંથી ભાજપને 45થી વધુ બેઠકો મળશે. 

એક એક્ઝિટ પોલમાં એવું પણ કહેવાયું હતું કે રાષ્ટ્રીય પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસને બાદ કરતા સ્થાનિક પક્ષોમાંથી મમતા બેનર્જીની ટીએમસી અને તામિલનાડુના તત્કાલિન મુખ્યમંત્રી જયલલિતાની અન્નાડીએમકેને જ 20થી વધુ બેઠકો પર સફળતા મળશે. જે સાચું સાબિત થયું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news