Corona Vaccination: હવે એક નહીં, બે મહિના બાદ લાગશે કોવિશીલ્ડનો બીજો ડોઝ, કેન્દ્રએ રાજ્યોને લખ્યો પત્ર

કેન્દ્રના નિર્દેશ અનુસાર કોવિશીલ્ડના પ્રથમ ડોઝ અને બીજા ડોઝ વચ્ચે ઓછામાં ઓછા 6થી 8 સપ્તાહનું અંતર હોવું જોઈએ.
 

Corona Vaccination: હવે એક નહીં, બે મહિના બાદ લાગશે કોવિશીલ્ડનો બીજો ડોઝ, કેન્દ્રએ રાજ્યોને લખ્યો પત્ર

નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Corona virus) વિરુદ્ધ જારી લડાઈમાં દેશમાં વેક્સિનેશનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ વચ્ચે સોમવારે કેન્દ્ર સરકાર તરફથી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત સરકારોને મહત્વના નિર્દેશો આપવામાં આવ્યા છે. હવે કોવિશીલ્ડ વેક્સિનના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે અંતર વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

કેન્દ્રના નિર્દેશ અનુસાર કોવિશીલ્ડના પ્રથમ ડોઝ અને બીજા ડોઝ વચ્ચે ઓછામાં ઓછા 6થી 8 સપ્તાહનું અંતર હોવું જોઈએ.

કેન્દ્ર દ્વારા જાણકારી આપવામાં આવી છે કે NTAGI અને વેક્સિનેશન એક્સપર્ટ ગ્રુપના તાજા રિસર્ચ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો અમલ રાજ્ય સરકારોએ કરવો જોઈએ. દાવો કરવામાં આવ્યો છે કે જો વેક્સિનનો બીજો ડોઝ 6થી 8 સપ્તાહ વચ્ચે આપવામાં આવે તો તે વધુ લાભદાયક હશે. 

તમને જણાવી દઈએ કે કોવિશીલ્ડ વેક્સિન પુણેના સીરમ ઇન્સ્ટિટ્યુટ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. ભારતમાં હાલ સૌથી વધુ ઉપયોગ આ વેક્સિનનો થઈ રહ્યો છે. હાલના સમયમાં પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેનું અંતર 28 દિવસ છે. 

દેશમાં ચાલી રહ્યું છે વેક્સિનેશન અભિયાન
ભારતમાં કોરોના વેક્સિનેશન મિશન 16 જાન્યુઆરીએ શરૂ થયું હતું, તો બીજો ફેઝ 1 માર્ચથી શરૂ થયો હતો. અત્યાર સુધી દેશમાં ચાડા સાર કરોડથી વધુ કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. અત્યારે સ્વાસ્થ્યકર્મીઓ, કોરોના વોરિયર્સ સિવાય 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 45થી 59 વર્ષની ઉંમરના લોકો જે ગંભીર બીમારીથી ગ્રસ્ત છે તેને વેક્સિન આપવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news