દિલ્હી: CM કેજરીવાલનો થયો કોરોના ટેસ્ટ, રિપોર્ટની જોવાઈ રહી છે રાહ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) નો આજે કોરોના વાયરસ (Covid 19 test) નો ટેસ્ટ થયો. અરવિંદ કેજરીવાલને ગળામાં ખારાશ અને તાવની ફરિયાદ હતી. તેમણે રવિવાર બપોરથી પોતાની જાતને આઈસોલેટ કરી હતી. કેજરીવાલના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. 51 વર્ષના કેજરીવાલની રવિવારે બપોરની દિલ્હી કેબિનેટની બેઠક બાદ તબીયત ખરાબ થઈ હતી. ત્યારબાદ તેમણે તમામ અધિકૃત કાર્યક્રમો રદ કર્યા હતાં. 
દિલ્હી: CM કેજરીવાલનો થયો કોરોના ટેસ્ટ, રિપોર્ટની જોવાઈ રહી છે રાહ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) નો આજે કોરોના વાયરસ (Covid 19 test) નો ટેસ્ટ થયો. અરવિંદ કેજરીવાલને ગળામાં ખારાશ અને તાવની ફરિયાદ હતી. તેમણે રવિવાર બપોરથી પોતાની જાતને આઈસોલેટ કરી હતી. કેજરીવાલના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. 51 વર્ષના કેજરીવાલની રવિવારે બપોરની દિલ્હી કેબિનેટની બેઠક બાદ તબીયત ખરાબ થઈ હતી. ત્યારબાદ તેમણે તમામ અધિકૃત કાર્યક્રમો રદ કર્યા હતાં. 

અત્રે જણાવવાનું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ડાયાબિટિસ પણ છે આથી ખાસ સાવધાની વર્તવામાં આવી રહી છે. જોખમ એટલા માટે પણ વધુ છે કારણ કે દિલ્હી સચિવાલયમાં પણ અત્યાર સુધીમાં કોરોનાના કેસ સામે આવી ચૂક્યા છે. ડીડીએમએ, સ્વાસ્થ્ય વિભાગ અને જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના અધિકારોમાં કોરોના જોવા મળ્યો છે. 

ગઈ કાલે દિલ્હી ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ ફોન કરીને કેજરીવાલના હાલચાલ જાણ્યા હતાં. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને કુમાર વિશ્વાસે પણ કેજરીવાલના જલદી સાજા થવાની કામના કરી. 

જુઓ LIVE TV

એલજી ઓફિસમાં 13 કેસ
મુખ્યમંત્રી છેલ્લા બે મહિનાથી પોતાની મોટાભાગની બેઠકો ઘરેથી જ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કરતા હતાં. કેટલીક મહત્વની બેઠકો માટે તેઓ દિલ્હીના ઉપરાજ્યપાલ કાર્યલાય જતા હતાં. બે જૂનના રોજ કેજરીવાલ અને સિસોદિયા ઉપરાજ્યપાલ કાર્યાલયમાં એક બેઠકમાં સામેલ થયા હતાં. અત્રે જણાવવાનું કે ઉપરાજ્યપાલ કાર્યાલયમાંથી અત્યાર સુધીમાં કોરોનાના 13 કેસ સામે આવ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news