ચર્ચ અને મસ્જીદો બંધ કરવાનું સરકાર પર હતુ દબાણ, વિસ્ફોટનું કારણ છે ચોંકાવનારૂ

શ્રીલંકામાં ઇસ્ટર રવિવારે તબક્કાવાર 8 બોમ્બ વિસ્ફોટના પગલે દેશ ધણધણી ઉઠ્યો, જો કે આ વિસ્ફોટ પાછળના કારણો ચોંકાવનારા છે

ચર્ચ અને મસ્જીદો બંધ કરવાનું સરકાર પર હતુ દબાણ, વિસ્ફોટનું કારણ છે ચોંકાવનારૂ

કોલંબો : શ્રીલંકામાં ઇસ્ટર રવિવારે તબક્કાવાર 8 બોમ્બ વિસ્ફોટના પગલે દેશ ધણધણી ઉઠ્યો હતો. આ આતંકવાદી હુમલાની સાથે જ શ્રીલંકામાં લિટ્ટેની સાથે લોહીયાળ ઘર્ષણના ખાતમાના 10 વર્ષ બાદ એકવાર ફરીથી શાંતિ ભંગ થઇ છે. ભારતનો આ પાડોશી દેશ લાંબા સમયથી સિંહલી બૌદ્ધો અને લઘુમતી હિંદુ, મુસ્લિમ અને ક્રિશ્ચિયનોની વચ્ચે ઘર્ષણનો સાક્ષી રહ્યો છે. સામાન્ય રીતે શ્રીલંકામાં વસનારા અલગ અલગ મતાવલંબી લઘુમતી ભારતીય મુળનાં તમિલ છે. 

આ બોમ્બ વિસ્ફોટનો એવો સમયગાળામાં થયો છે, જ્યારે શ્રીલંકા લઘુમતી સમુદાયો વચ્ચે ઘણીવાર હિંસક ઘર્ષણો થયાના સમાચારો આવતા રહે છે. તમિલ વિદ્રોહીઓની તરફથી અલગ દેશની માંગ માટે છેડવામાં આવેલા યુદ્ધમાં 1983 થી 2009 સુધી ચાલી હતી. સશસ્ત્ર આતંકવાદી સંગઠન લિટ્ટેનાં ખાત્મા સાથે જ શ્રીલંકાએ આતંક મુક્ત દેશ જાહેર કર્યો હતો. હવે આ ભીષણ આતંકવાદી હુમલાએ એખવાર ફરીથી સુરક્ષા પર ગંભીર સવાલો પેદા કર્યા છે. 

ભલે તમિલ વિદ્રોહીઓને શ્રીલંકામાં સૈન્ય અભિયાન દ્વારા દબાવી દેવામાં આવ્યું હોય, પરંતુ દેશમાં આંતરિક રીતે આ વિભાજને ગત્ત અનેક વર્ષોમાં ફરીથી જોર પકડ્યું છે. ડેલીમેલનાં રિપોર્ટ અનુસાર એક ક્રિશ્ચિયન સમુહે દાવો કર્યો કે સમુદાયની વિરુદ્ધ ગત્ત વર્ષે ભેદભાવ, હિંસા અને ધમકીઓનાં 86 કિસ્સા સામે આવ્યા હતા, જ્યારે આ વર્ષ પણ અત્યાર સુધી 26 કેસ થયા છે. 

સ્રીલંકામાં ચર્ચોને બંધ કરવાનાં દબાણના રિપોર્ટ અંગે સંજ્ઞાન લેતા અમેરિકી વિદેશ મંત્રાલયે ગતે વર્ષે ચેતવણી ઇશ્યું કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, બૌદ્ધ સમુહ ક્રિશ્ચિયન અને મુસ્લિમોનાં ધાર્મિક સ્થળો પર પ્રતિબંધ લગાવવાનાં પ્રયાસો કરી રહ્યા છે. એટલું જ નહી મુસ્લિમોની વિરુદ્ધ તોફાનોના કારણે  સરકારને થોડા મહિનાઓ પહેલા ઇમરજન્સીની જાહેરાત પણ કરવી પડી હતી. શ્રીલંકામાં કટ્ટરપંથી બૌદ્ધ સમુહ મુસ્લિમો પર  લોકોને પરાણે ધર્માંતરણના આરોપ લગાવતા રહે છે. 

જાણો શ્રીલંકામાં કોની કેટલી વસ્તી
કુલ 2.20 કરોડ લોકોની વસ્તીવાળા શ્રીલંકામાં 70 ટકા બૌદ્ધોની વસ્તી છે. જ્યારે 13 ટકા હિંદુઓ છે. 2012ની વસ્તીગણતરી અનુસાર અહીં 10 ટકા મુસ્લિમ અને આશરે 7 ટકા ક્રિશ્ચિયન સમુદાયનાં લોકો છે. જો કે શ્રીલંકાનો ક્રિશ્ચિયન સમુદાય એક એવો વર્ગ છે, જેના અનુયાયીઓ સિંહલી અને તમિલ બંન્ને છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news