અંકિવ બસોયા મુદ્દે રાહુલ, ભાજપ મંત્રીમંડળનો દરવાજો નકલી ડિગ્રીથી ખુલે છે

રાહુલ ગાંધીએ કહ્યું કે, શૈક્ષણિક સંસ્થાઓ પર પ્રહાર અને નકલી ડિગ્રીવાળાઓને સત્તા પર બેસાડી દેવાનો સંઘનો જુનો સિદ્ધાંત છે

અંકિવ બસોયા મુદ્દે રાહુલ, ભાજપ મંત્રીમંડળનો દરવાજો નકલી ડિગ્રીથી ખુલે છે

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નકલી ડિગ્રી વિવાદનાં કારણે એબીવીપીનાં હાંકી કઢાયેલા દિલ્હી યુનિવર્સિટી અધ્યક્ષ અંકિત વસોયાના મુદ્દે શુક્રવારે ભાજપ પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે સત્તાપક્ષ પાર્ટીમાં મંત્રીમંડળનો દરવાજો નકલી ડિગ્રી દેખાડીને જ ખુલે છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, શ્રી છપ્પન (મોદી) અને તેમના મંત્રીઓએ વિદ્યાર્થીઓને દેખાડ્યું છે કે ભાજપમાં મંત્રીમંડળનો ઇમરજન્સી દ્વાર નકલી ડિગ્રી દેખાડીને જ ખુલે છે. તેમણે કહ્યું કે, શૈક્ષણીક સંસ્થાઓ પર પ્રહાર અને નકલી ડિગ્રીવાળાઓને સત્તા પર બેસાડવા આરએસએસનો જુનો સિદ્ધાંત છે. એટલા માટે દિલ્હી પર સંઘની ફર્જીકલ સ્ટ્રાઇક ચાલું છે. 

એબીવીપીનાં બયોયાને પોતાનાં પદ પરથી રાજીનામું આપવા કહ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે, એબીવીપીએ દિલ્હી યુનિવર્સિટીનાં વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ અંકિત બસોયાને પોતાનાં પદપરથી રાજીનામું આપવા કહ્યું છે અને તેમની વિરુદ્ધ નકલી ડિગ્રી સોંપવા અંગે લાગેલા આરોપોની તપાસ પુરી થતા સુધી તેમને સંગઠનમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. કોંગ્રેસનાં વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇએ આલોચના કરી કે હાઇકોર્ટની સુનવણી પહેલા દબાણમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

शैक्षिक संस्थानों पर प्रहार और फ़र्ज़ी डिग्री वालों को सत्ता पर बिठाना RSS का पुराना सिद्धांत है|

इसीलिए DU पर RSS का फ़र्जिकल स्ट्राइक जारी है| pic.twitter.com/VrKBLtzeDF

— Rahul Gandhi (@RahulGandhi) November 16, 2018

પરિષદે એક નિવેદનમાં કહ્યું કે, તેણે બસોયાનાં દિલ્હી યુનિવર્સિટીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવા માટે જણાવ્યું છે અને દિલ્હી યુનિવર્સિટીની સત્યાપન પ્રક્રિયા સંપુર્ણ થતા સુધી તેને એબીવીપીનાં તમામ જવાબદારીઓથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. પરિષદે કહ્યું કે, દિલ્હી યુનવર્સિટી વિદ્યાર્થી સંઘની શાખને જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news