સવારે પેટ સાફ થવામાં આવે છે સમસ્યા? અપનાવો આ ઉપાય, કબજીયાતથી મળી જશે છુટકારો

How To Clean Stomach: સવારના સમયે પેટ સાફ ન થાય તો દિવસ ખરાબ જાય છે. અહીં જાણો કબજીયાતથી છુટકારો મેળવવાના ઉપાય.
 

સવારે પેટ સાફ થવામાં આવે છે સમસ્યા? અપનાવો આ ઉપાય, કબજીયાતથી મળી જશે છુટકારો

નવી દિલ્હીઃ દરરોજ સવારે પેટ સાફ થઈ જાય તો દિવસ સારો રહે છે પરંતુ જો સખ્ત મળ અને કબજીયાત હોય તો દિવસભર પેટના દુખાવાની સમસ્યા રહે છે. પેટ સાફ રહેશે તો શરીર પણ બીમારીઓથી દૂર રહેશે, ઘણીવાર ઓયલી અને તળેલા ભોજનથી કબજીયાતની સમસ્યા થાય છે. આ સિવાય લાઇફસ્ટાફલને કારણે પણ કબજીયાતની સમસ્યા રહે છે. અહીં તમને કેટલીક ટિપ્સ આપીએ છીએ જેને અપનાવી તમે શરીરથી બીમારી દૂર રાખી શકો છો અને કબજીયાત જેવી સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. 

કબજીયાતથી છુટકારો મેળવવાના ઉપાય? (How to relieve constipation)
- કબજીયાતથી રાહત મેળવવા માટે તમે મેથીના દાણાનું સેવન કરી શકો છો. તે માટે એક ચમચી મેથી દાણા 1 ગ્લાસ પાણીમાં પલાળીને રાતભર રાખી દો. સવારે તેને ચાવીને ખાવ અને પાણી પી લો. આમ કરવાથી કબજીયાતની સમસ્યા દૂર થઈ જશે. 

- કબજીયાત અને કડક મળની સમસ્યા દૂર કરવા માટે ખુદને હાઇડ્રેટ રાખો. દિવસભર વધુ પાણી પીવો. આ સિવાય રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધનું સેવન કરો. દૂધ પીવાથી કબજીયાતની સમસ્યા દૂર થાય છે. 

- કબજીયાતની સમસ્યામાં ઈસબગુલ ઉપયોગી સાબિત થાય છે. તે માટે રાત્રે સૂતા પહેલા હુંફાળા દૂધમાં ઈસબગુલ નાખીને પીલો. ઈસબગુલથી સવારે તમારૂ પેટ સાફ થઈ જશે. 

- રાત્રે ડિનર બાદ હુંફાળા પાણીમાં એક ચમચી ત્રિફળા ચૂર્ણ મિક્સ કરી પીવો. તેનાથી પેટની સમસ્યા ખતમ થાય છે અને પાચનતંત્ર સારી રીતે કામ કરે છે. 

- કબજીયાતથી સવારના સમયે છુટકારો મેળવવા માટે ખાલી પેટ એક ગ્લાસ હુંફાળા પાણીમાં લીંબુનો રસ અને કાળુ નમક મિક્સ કરી પીવો. તેનાથી કબજીયાત દૂર થશે અને પેટ સાફ થઈ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news