મરીના વધુ પડતા સેવનથી ફાયદો થવાને બદલે થઈ શકે છે નુકસાન, ઉલમાંથી ચૂલમાં પડશો

Black Pepper: જ્યારે વિશ્વભરમાં કોરોના વાયરસનો ખતરો વધી ગયો હતો, ત્યારે રોગપ્રતિકારક શક્તિ વધારવાની વાત થઈ હતી. ભારતમાં લોકોએ આના માટે ઘણા ઘરગથ્થુ ઉપાયો અપનાવ્યા, જેમાં કાળા મરીના સેવનનું ચલણ વધ્યું, લોકોને તેનો ઉકાળો બનાવીને ફાયદો પણ થયો, પરંતુ જો તમે કાળા મરીનો વધુ ઉપયોગ કરશો તો ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે.
 

મરીના વધુ પડતા સેવનથી ફાયદો થવાને બદલે થઈ શકે છે નુકસાન, ઉલમાંથી ચૂલમાં પડશો

Black Pepper Side Effects: જ્યારે વિશ્વભરમાં કોરોના વાયરસનો ખતરો વધી ગયો હતો, ત્યારે રોગપ્રતિકારક શક્તિ વધારવાની વાત થઈ હતી. ભારતમાં લોકોએ આના માટે ઘણા ઘરગથ્થુ ઉપાયો અપનાવ્યા, જેમાં કાળા મરીના સેવનનું ચલણ વધ્યું, લોકોને તેનો ઉકાળો બનાવીને ફાયદો પણ થયો, પરંતુ જો તમે કાળા મરીનો વધુ ઉપયોગ કરશો તો ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે.

વધુ કાળા મરી ખાવાથી થશે આ 5 નુકસાન-
કોરોના આ યુગમાં, ભારતના લોકો રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કાળા મરીનું વધુ સેવન કરી રહ્યા છે. તે ઉધરસ, શરદી અને ગળાના દુખાવાથી મુક્તિ આપે છે. તેમાં એન્ટી-માઈક્રોબિયલ, એન્ટી-ઈન્ફ્લેમેટરી તત્વો હોય છે, જે લિવર, કિડની અને આંતરડાને સુરક્ષિત રાખે છે. ચાલો જાણીએ કે કાળા મરીને વધુ પ્રમાણમાં ખાવાના શું નુકસાન થાય છે.

1) સ્કિન સાથે જોડાયેલી પરેશાનીઓ-
જો કોઈ વ્યક્તિ સુંદર દેખાવા માગે છે, તો તેની ત્વચામાં ભેજ (Moisturized) હોવો જરૂરી છે. આવી સ્થિતિમાં, કાળા મરી જેવી ગરમ વસ્તુઓ ખાવાથી ત્વચામાં બળતરા અને ચામડીના રોગો થઈ શકે છે. ચહેરા પર પિમ્પલ્સ દેખાઈ શકે છે.

2) પેટમાં ગરમી વધશે-
કાળી મરી વધારે ખાવાથી પેટમાં બળતરા અને ગરમી વધે છે. જેનાથી કબજિયાત થાય છે. કાળી મરી ગરમ હોય છે, આવી સ્થિતિમાં જે લોકો પિત્ત સંબંધિત રોગથી પરેશાન હોય તેમણે વધુ માત્રામાં કાળા મરી ન ખાવા જોઈએ.

3) ગર્ભાવસ્થામાં નુકશાન-
સગર્ભા સ્ત્રીઓએ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ મર્યાદિત માત્રામાં કાળા મરી ખાય. કારણ કે તે ગરમ હોય છે, તે ગર્ભમાં રહેલા બાળક પર ખરાબ અસર કરી શકે છે. શિયાળાની ઋતુમાં આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

4) શ્વાસ લેવામાં તકલીફ-
વધુ કાળા મરી ખાવાથી શ્વાસ સંબંધી સમસ્યાઓ થાય છે. જેનાથી Respiratory Problems વધી શકે છે. આ ઓક્સિજનના પ્રવાહને અસર કરે છે.

5) પેટની સમસ્યા-
વધુ કાળા મરી ખાવાથી પેટના દર્દીઓની સમસ્યાઓ વધી શકે છે. જો તમને અલ્સર હોય તો તેમને કાળા મરી ખાવાનું ટાળવું જોઈએ. ડોક્ટરની સલાહ લીધા વગર કાળા મરીનું સેવન ન કરવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news