પરસેવાની દુર્ગંધમાં છુટકારો મેળવાની આ છે અફલાતૂન ટિપ્સ, બસ આટલું કરો

feet smell like vinegar: જો તમારા શરીરમાંથી બહુ પરસેવો આવતો હોય અને દુર્ગંધની સમસ્યા થતી હોય તો તમે નીચેના ઉપાયો અજમાવશો તો રાહત મળી શકે છે. લોકો ડિઓડ્રેન્ટ કે પરફ્યૂમનો ઉપયોગ કરે છે પણ એ નુક્સાનકારક છે. એનાથી લોકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. 

પરસેવાની દુર્ગંધમાં છુટકારો મેળવાની આ છે અફલાતૂન ટિપ્સ, બસ આટલું કરો

Best Tips: જો તમારા શરીરમાંથી બહુ પરસેવો આવતો હોય અને દુર્ગંધની સમસ્યા થતી હોય તો તમે નીચેના ઉપાયો અજમાવશો તો રાહત મળી શકે છે. લોકો ડિઓડ્રેન્ટ કે પરફ્યૂમનો ઉપયોગ કરે છે પણ એ નુક્સાનકારક છે. એનાથી લોકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. 

પ્રશ્ન: ખોરાકમાં સુધારો કરીને પરસેવાની દુર્ગંધને રોકી શકાય?
જવાબ: અલબત્ત આવું કરવું શક્ય છે. શરીરની દુર્ગંધ માત્ર સ્વચ્છતા સાથે સંબંધિત નથી, તેનો સંબંધ આહાર સાથે પણ છે. એટલા માટે જે લોકોને ખૂબ પરસેવો થાય છે તેઓ તેમના આહારમાં ફેરફારો કરી શકે છે.

ખૂબ સારા લાઈફ પાર્ટનર બને છે આ અક્ષરના છોકરાઓ, તમારા પાર્ટનરનો પ્રથમ અક્ષર કયો છે?
Monthly Horoscope: મે મહિનો આ રાશીઓ માટે રહેશે અતિ લાભદાયી, આ લોકોની કિસ્મત ખૂલી જશે
ખૂબસુરત છોકરીઓના આ ગુપ્ત ભાગો પર તલ કરે છે આ ઈશારાઓ, આ છોકરીઓ પતિ માટે હોય છે લકી
Vastu Tips: ઘરના દરવાજે લગાવેલી આ વસ્તુઓ નસીબના દ્વાર ખોલશે, ઘરમાં વધશે સુખ સમૃદ્ધિ
પૂર્વ જન્મની માન્યતા શું છે? યાદ ન રહેવા પાછળ છે ધાર્મિક-વૈજ્ઞાનિક કારણો

પ્રોસેસ્ડ ફૂડ જેમ કે શુદ્ધ ખાંડ, વનસ્પતિ ઘી ટાળો.
લાલ માંસ, ઇંડા, માછલી, કઠોળ, તળેલી અને ચરબીયુક્ત વસ્તુઓ ગંધ વધારે છે, તેમને ઓછામાં ઓછું ખાઓ.
કેફીન અને આલ્કોહોલથી દૂર રહો.
તીવ્ર ગંધવાળા મસાલા અને લસણ, ડુંગળી વધારે ખાવાથી શરીરમાં સલ્ફર ગેસ ઉત્પન્ન થાય છે, જે લોહીમાં ભળે છે અને ફેફસાં અને છિદ્રો દ્વારા બહાર આવે છે. તેઓ તીક્ષ્ણ ગંધ કરે છે. તેથી જ તેમને ઓછું ખાઓ.

પરસેવાની દુર્ગંધને રોકવા માટે અપનાવો આ ઘરેલું ઉપાય

કુંવરપાઠુ
ઘણા બ્યુટી પ્રોડક્ટ્સમાં એલોવેરાનો ઉપયોગ કરવામાં આવે છે. તે ત્વચાને ભેજ અને પોષણ આપે છે. જેના કારણે ત્વચાના નવા ટિશ્યૂ ઝડપથી બને છે. એલોવેરા જ્યુસ પીવાથી લોહી શુદ્ધ થાય છે. ત્વચામાં ચમક આવે છે. તે દુર્ગંધવાળા બેક્ટેરિયાને આગળ વધવા દેતું નથી. 

ખાવાનો સોડા
તે કુદરતી શુદ્ધિકરણ અને ગંધનાશક છે. તેમાં રહેલું સોડિયમ બાયકાર્બોનેટ પરસેવો અટકાવે છે, દુર્ગંધ આવવાથી અટકાવે છે. તમે સ્નાન કરતા પહેલા અંડરઆર્મ્સમાં થોડો બેકિંગ સોડા છાંટીને પરસેવાની દુર્ગંધને રોકી શકો છો. તમે તેને સ્વચ્છ કપડાં પર પણ છાંટી શકો છો અને જરૂર પડે ત્યારે અંડરઆર્મ્સ સાફ કરી શકો છો.

પાણીના ટબમાં 4 થી 5 ચમચી ખાવાનો સોડા નાખો.
હવે આ પાણીમાં સ્પોન્જ અથવા સ્વચ્છ કપડું ડુબાડો.
સારી રીતે નિચોવી લીધા પછી, તેનાથી આખા શરીરને ઘસીને સાફ કરો.
પરસેવાની ગંધ અને બેક્ટેરિયાથી છુટકારો મેળવો.
તેવી જ રીતે, જો તમારા પગમાં દુર્ગંધ આવે છે, તો તમારા ફૂટવેરમાં ગંધ શોષી લેનાર ઇન્સોલ્સ પહેરો. આ ઇન્સોલ્સ કેમિસ્ટની દુકાનમાંથી ઉપલબ્ધ છે.

ફટકડી
તેને પાણીમાં નાખીને નહાવાથી પરસેવાની દુર્ગંધ દૂર થાય છે. તમે તેને અંડરઆર્મ્સ પર રગડીને પણ લગાવી શકો છો.

ગુલાબજળ
સ્નાન કર્યા પછી એક મગ પાણીમાં ગુલાબજળના દસથી બાર ટીપાં મિક્સ કરીને શરીર પર લગાવો. જો તમે કોઈપણ દિવસે સ્નાન કરી શકતા નથી, તો શ્વાસની દુર્ગંધથી બચવા માટે આ ટ્રિક અપનાવો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news