વધુ એક એરલાઇન કંપની ડૂબવાની કગાર પર? કિંગફિશર-જેટ એરવેઝની માફક ગો ફર્સ્ટ પણ કંગાળ!

Go First: વાડિયા ગ્રૂપની માલિકીની ઓછી કિંમતની એરલાઇન GoFirst એ 3 અને 4 મેના રોજ કેશના ગંભીર સંકટના કારણે ત્રણ અને ચાર મેની પોતાની ઉડાનો હંગામી ધોરણે સ્થગિત કરવાની જાહેરાત કરી છે. આ સાથે, એરલાઈને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની દિલ્હી બેંચમાં સ્વૈચ્છિક નાદારી રિઝોલ્યુશન પ્રક્રિયા માટે પણ અરજી કરી છે.

વધુ એક એરલાઇન કંપની ડૂબવાની કગાર પર? કિંગફિશર-જેટ એરવેઝની માફક ગો ફર્સ્ટ પણ કંગાળ!

Air Fare: ભારતમાં ઘણી એરલાઇન કંપનીઓ છે. કેટલીક સારું પ્રદર્શન કરી રહી છે જ્યારે કેટલીક કંપનીઓ એવી હતી જેણે હવે તેમનું કામકાજ બંધ કરી દીધું છે. આમાં કિંગફિશર એરલાઈન્સ અને જેટ એરવેઝનું નામ ઘણું આગળ છે. બંને એરલાઈન્સની માલિકી બે મોટા ઉદ્યોગપતિઓ પાસે હતી પરંતુ બંને ગરીબ થઈ ગયા અને તેઓએ પોતાનો ધંધો પણ બંધ કરી દીધો. આ દરમિયાન દેશની વધુ એક એરલાઇન મુશ્કેલીમાં છે. આ એરલાઇન કંપનીનું નામ ગો ફર્સ્ટ છે.

નાદારી પ્રક્રિયા
વાડિયા ગ્રૂપની માલિકીની ઓછી કિંમતની એરલાઇન GoFirst એ 3 અને 4 મેના રોજ કેશના ગંભીર સંકટના કારણે તેની ફ્લાઇટ્સ હંગામી ધોરણે સ્થગિત કરવાની જાહેરાત કરી છે. આ સાથે, એરલાઈને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની દિલ્હી બેંચમાં સ્વૈચ્છિક નાદારી રિઝોલ્યુશન પ્રક્રિયા માટે પણ અરજી કરી છે.

ખૂબ સારા લાઈફ પાર્ટનર બને છે આ અક્ષરના છોકરાઓ, તમારા પાર્ટનરનો પ્રથમ અક્ષર કયો છે?
Monthly Horoscope: મે મહિનો આ રાશીઓ માટે રહેશે અતિ લાભદાયી, આ લોકોની કિસ્મત ખૂલી જશે
ખૂબસુરત છોકરીઓના આ ગુપ્ત ભાગો પર તલ કરે છે આ ઈશારાઓ, આ છોકરીઓ પતિ માટે હોય છે લકી
Vastu Tips: ઘરના દરવાજે લગાવેલી આ વસ્તુઓ નસીબના દ્વાર ખોલશે, ઘરમાં વધશે સુખ સમૃદ્ધિ
પૂર્વ જન્મની માન્યતા શું છે? યાદ ન રહેવા પાછળ છે ધાર્મિક-વૈજ્ઞાનિક કારણો

સમસ્યા શું છે?
જોકે, પ્રેટ એન્ડ વ્હીટની (P&W) તરફથી એન્જિનની સપ્લાય ન થવાને કારણે એરલાઈને તેના અડધાથી વધુ કાફલા એટલે કે 28 એરક્રાફ્ટને ગ્રાઉન્ડને ઉભા રાખવા પડ્યા હતા. જેના કારણે એરલાઈન્સ સામે કેશની તંગી ઉભી થઈ છે. રોકડના અભાવે કંપનીની હાલત કફોડી થઈ ગઈ છે, જેના કારણે કંપનીએ બે દિવસથી તેનું કામકાજ બંધ કરી દીધું છે.

કોણ જવાબદાર?
આ અંગે એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે મંત્રાલય ગો ફર્સ્ટ સાથે સંબંધિત વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યું છે. અધિકારીએ કહ્યું કે દેશનું નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર મજબૂત છે પરંતુ ગો ફર્સ્ટની આ સ્થિતિ માટે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં સમસ્યાઓ જેવા બાહ્ય મુદ્દાઓ જવાબદાર છે.

17 વર્ષથી ચાલી રહ્યો છે ધંધો
તમને જણાવી દઈએ કે ગો ફર્સ્ટ 17 વર્ષથી વધુ સમયથી કાર્યરત છે. ચાલુ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં તેણે ઘરેલુ રૂટ પર 29.11 લાખ મુસાફરોને મુસાફરી કરાવી છે. આ સમયગાળા દરમિયાન ગો ફર્સ્ટનો બજાર હિસ્સો 7.8 ટકા હતો. જો કે હવે ગો ફર્સ્ટની હાલત કફોડી થતી જોવા મળી રહી છે.

તેમાં પણ કેશનું સંકટ
તો બીજી તરફ કિંગફિશર એરલાઇન્સ અને જેટ એરવેઝ વચ્ચે ઘણી સમાનતા હતી, જેણે કામગીરી બંધ કરી દીધી હતી. કિંગફિશરે વર્ષ 2012માં તેની કામગીરી બંધ કરી દીધી હતી. કંપની ક્યારેય નફો દર્શાવવામાં સક્ષમ ન હતી, જેના કારણે કંપનીની સામે પણ રોકડની તંગી હતી. તે જ સમયે, જેટ એરવેઝે પણ થોડા વર્ષો પહેલા રોકડની તંગીને કારણે તેની કામગીરી બંધ કરી દીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news