Colon Cancer: યુવાનોમાં ઝડપથી વધી રહ્યું છે આંતરડાનું કેન્સર, સાચવજો આ છે લક્ષણો અને બચવાના ઉપાયો

Colon Cancer Symptoms: લગભગ એક તૃતીયાંશ કેસમાં કોલોન કેન્સર જિનેટિક ફેક્ટર સાથે સંબંધ ધરાવે છે. શરીરનું વધારે વજન પણ કોલોન કેન્સરનું જોખમ વધારે છે. નાની ઉંમરે કોલોન કેન્સરના સૌથી સામાન્ય લક્ષણોમાં પેટમાં દુખાવો, અચાનક વજન ઘટવું, ગુદામાર્ગમાં રક્તસ્ત્રાવ વગેરે છે.

Colon Cancer: યુવાનોમાં ઝડપથી વધી રહ્યું છે આંતરડાનું કેન્સર, સાચવજો આ છે લક્ષણો અને બચવાના ઉપાયો

Colon Cancer Symptoms: કોલોન કેન્સર મોટાભાગે વૃદ્ધ લોકોને થાય છે તેવું માનવામાં આવે છે. જો કે, અમેરિકન કેન્સર સોસાયટી દ્વારા પ્રકાશિત તાજેતરના અભ્યાસ મુજબ દર પાંચ નિદાન કરાયેલા કેસમાંથી એક દર્દી 55 વર્ષથી ઓછી ઉંમરના છે. આનું કારણ શું છે તે સ્પષ્ટ નથી, પરંતુ સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા પેપર પર્યાવરણ અને જિનેટિક ફેક્ટર જેવા ઘણા સંભવિત કારણો સૂચવે છે.

આ પણ વાંચો:

કોને છે જોખમ વધારે ?
લગભગ એક તૃતીયાંશ કોલોન કેન્સર કૌટુંબિક ઇતિહાસ સાથે સંબંધિત છે. શરીરનું વધુ વજન કોલોન કેન્સરનું જોખમ વધારે છે. એક અભ્યાસ અનુસાર, 5 ટકા કોલોન કેન્સર શરીરના વધુ વજનને કારણે થાય છે. આ ઉપરાંત, વધારાનું વજન પણ મુખ્યત્વે આંતરડાની જમણી બાજુની ગાંઠો સાથે જોડાયેલું છે.

કેવી રીતે અસર કરે છે?
આ તમામ જોખમી પરિબળો માઇક્રોબાયોમ પર અસર કરે છે. માઇક્રોબાયોમ એ બેક્ટેરિયા અને અન્ય સુક્ષ્મસજીવોની વસ્તી છે જે માનવ પાચનતંત્રમાં રહે છે. કોલોન કેન્સર ત્યારે શરૂ થાય છે જ્યારે કોલોન અથવા ગુદામાર્ગના અસ્તરમાં તંદુરસ્ત કોષો બદલાય છે અને નિયંત્રણ બહાર વધે છે અને ગાંઠો બનાવે છે.

આ પણ વાંચો:

કોને છે વધારે જોખમ
જો કેન્સરની વહેલી ખબર પડી જાય, તો જીવિત રહેવાનો દર 90 ટકા છે. દર્દીઓ માટે ગુદામાર્ગના રક્તસ્રાવ અને આયર્નની ઉણપ જેવા લક્ષણો અને ચિહ્નો જોવા મળે તો આ અંગે તપાસ કરવી મહત્વપૂર્ણ છે. નાની ઉંમરે કોલોન કેન્સરના સૌથી સામાન્ય લક્ષણોમાં પેટમાં દુખાવો, અચાનક વજન ઘટવું, ગુદામાર્ગમાં રક્તસ્ત્રાવ વગેરે છે.

આ લક્ષણોને હળવાશથી ન લો
હાર્વર્ડ મેડિકલ સ્કૂલના મેડિસિનના પ્રોફેસર એન્ડ્રુ ચાને જણાવ્યું હતું કે યુવાનોમાં એવું માનવાની વૃત્તિ છે કે તેઓ યુવાન અને સ્વસ્થ છે અને જો તેમનામાં કેટલાક લક્ષણો હોય તો તે ક્ષણિક છે અથવા કેન્સર સંબંધિત નથી. પરંતુ પેટમાં દુખાવો, અચાનક વજન ઘટવું, ગુદામાર્ગમાં રક્તસ્ત્રાવ જેવા લક્ષણોને હળવાશથી લેવા જોઈએ નહીં. તુરંત ડોક્ટરી તપાસ કરાવવી જોઈએ.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news