સુરત : નારી ગૃહમાં બે દિવસ પહેલા જ આવેલી યુવતીએ કરી આત્મહત્યા

સુરત : નારી ગૃહમાં બે દિવસ પહેલા જ આવેલી યુવતીએ કરી આત્મહત્યા

ચેતન પટેલ/સુરતઃ સુરતના નારી સંરક્ષણ ગૃહમાં યુવતીના આપઘાતનો બનાવ બન્યો છે. ગૃહમાં બે દિવસ પહેલા જ આવેલી યુવતીએ આત્મહત્યા કરતા ચકચાર મચી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના કતારગામે રહેતી 23 વર્ષની અંકિતા નામની યુવતી છોડા સમય પેહલા ભાવેશ ગોહિલ નામના યુવક સાથે ભાગી ગઈ હતી. જે અંગે અંકીતાના પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે બંને પકડી લઈને અંકિતાને નારી સુરક્ષા ગૃહમાં મોકલી હતી. અંકીતા હજી બે દિવસ પહેલા જ નારી સંરક્ષણ ગૃહમાં આવી હતી. ત્યારે બે દિવસ બાદ તેણે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. જોકે, અંકીતાની આત્મહત્યાનું કારણ હજી જાણી શકાયું નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news