સામી દિવાળીએ વલસાડના ખેડૂતોને કુદરતે રડાવ્યા, માત્ર 5 દિવસના વરસાદમાં ઉભો પાક જમીનદોસ્ત થઈ ગયો

સામી દિવાળીએ વલસાડના ખેડૂતોને કુદરતે રડાવ્યા, માત્ર 5 દિવસના વરસાદમાં ઉભો પાક જમીનદોસ્ત થઈ ગયો
  • વલસાડ તાલુકામાં 15 હજાર હેકટર માં થતા ડાંગર ના પાક ને ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે નુકશાન 
  • પવન સાથે પડેલા વરસાદના કારણે ખેડૂતોનો ઉભો પાક જમીન દોસ્ત થયો 

ઉમેશ પટેલ/વલસાડ :રાજ્યના છેવાડે આવેલા વલસાડ (valsad) જિલ્લામાં છેલ્લા 5 દિવસથી ભારે પવન સાથે વરસાદ પડતાં ખેતરોમાં ડાંગર, શેરડી અને લીલા શાકભાજીના પાકોમાં ભારે નુકશાન થવા પામ્યું છે. કાંપણી આરે આવેલો ડાંગરનો પાક, શેરડી અને તૈયાર થયેલા વેલાના શાકભાજીના મંડપમાં ભારે નુકસાન વેઠવાનો વાળો ખેડૂતોને આવ્યો છે. 15 હજાર હેકટરથી વધુ વિસ્તારમાં થતા ડાંગરના પાકમાં ખેડૂતો (farmers) ને એક ખેતરમાં 50 થી 60 ટકા નુકશાન થવા પામ્યું છે. ત્યારે ખેડૂતોએ સરકાર પર આશા વ્યક્ત કરી છે કે સરવે કરી ખેડૂતોને સહાય ચૂકવે. 

ખેડૂતોને સામી દિવાળીએ નુકશાની
વલસાડ તાલુકામાં છેલ્લા 5-6 દિવસથી ભારે પવન સાથે પડતા વરસાદને લીધે ખેડૂતોએ તૈયાર કરેલા ડાંગર, શેરડી અને શાકભાજીના પાકોને ભારે નુકશાની થઈ છે. વલસાડ તાલુકામાં અંદાજે 15000 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું. ભારે પવનને લીધે ડાંગરનો તૈયાર થયેલો પાક કાપણી પહેલા નમી ગયો છે. જેથી ખેડૂતોને સામી દિવાળીએ નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. છેલ્લા 5 દિવસથી ભારે પવન સાથે પડતા વરસાદને લઈને ડાંગર, શેરડી અને વેલાવાળા લીલા શાકભાજીના પાકને ભારે નુકશાની પહોંચી હોવાની સામે આવ્યું છે. 

5-6 દિવસના વરસાદે તારાજી સર્જી 
વલસાડ જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી પર નભતા હોય છે. વલસાડ તાલુકા સહિત જિલ્લાના 70% થી વધુ લોકો ખેતીને આજીવિકા તરીકે સ્વીકારી છે. અને ખેતીના કામો થતા ખેતી કરી પોતાની આજીવિકા ચલાવતા આવ્યા છે. છેલ્લા 5-6 દિવસથી વલસાડ તાલુકામાં ભારે પવન સાથે પડતા વરસાદને લઈને ખેડૂતોએ તૈયાર કરેલા ડાંગર, શેરડી અને વેલાં વાળા શાકભાજીના પાકોમાં ભારે નુકશાની પહોંચી હતી. વલસાડ તાલુકામાં અંદાજે 15000 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે અને અંદાજે 10000 હેક્ટર જમીનમાં શેરડીનું વાવેતર કરવામાં આવ્યું હતું. તેમજ ઘણા વિસ્તારોમાં વેલા વાળા શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું. 

હવે દશેરા બાદ ડાંગરની કાપણી નહિ થાય 
તાજેતરમાં વલસાડ તાલુકામાં છેલ્લા 5-6 દિવસથી ભારે પવન ફૂંકાતા અને વરસાદ પડતાં ડાંગર, શેરડી સહિત લીલા શાકભાજીના પાકની ભારે નુકશાની પહોંચી હતી. ખેતરોમાં ડાંગર કાપણી માટે તૈયાર થઈ ગઈ હતી. દશેરા બાદ તાલુકામાં ડાંગરની કપણીની હાથ ધરવાની હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. કોરોના મહામારીના સમયે સામી દિવાળીએ ડાંગર, શેરડી અને લીલા શાકભાજીના પાકોમાં થયેલી નુક્શાનીને જોતા ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ત્યારે વલસાડ તાલુકા ના ખેડૂતોએ સરકાર તથા વહીવટી તંત્ર સર્વે કરી ખેડૂતો ને સહાય કરે એવી લાગણી વ્યક્ત કરી રહયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news