ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રીએ શિષ્ય સાથે સેક્સલીલા માણ્યાના સણસણતા આક્ષેપોથી વડતાલ સંપ્રદાય સમસમી ઉઠ્યું

વડતાલ સંપ્રદાયના સ્વામીની સેક્સ લીલાનો ભોગ બનેલ શિષ્યનો વીડિયો વાયરલ થયો છે. કંડારી ગુરુકુળના સ્વામી ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રીના શિષ્ય વેદાંત વલ્લભ સ્વામીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. youtube સાઇટ પર ખુદ વેદાંત વલ્લભ સ્વામીએ પોતાનો વીડિયો મૂક્યો છે. આ વીડિયોમાં ગુરુ ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી કેવી રીતે શિષ્ય વેદાંત વલ્લભ સાથે સેક્સ માણતા હતા તેના ખુલ્લમખુલ્લા આક્ષેપ કરવામાં આવ્યા છે. ખુદ પોતાના ગુરુ ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી સામે શિષ્ય વેદાંત વલ્લભ સ્વામીએ ચોંકાવનારા આરોપો કર્યાં છે. કંડારી, વડતાલ સહિત અનેક જગ્યાઓ પર સ્વામીએ શિષ્ય સાથે સેક્સ લીલા માણી હોવાના સણસણતા આક્ષેપોથી વડતાલ સંપ્રદાય સમસમી ઉઠ્યું છે. 

ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રીએ શિષ્ય સાથે સેક્સલીલા માણ્યાના સણસણતા આક્ષેપોથી વડતાલ સંપ્રદાય સમસમી ઉઠ્યું

યોગીન દરજી/ખેડા :વડતાલ સંપ્રદાયના સ્વામીની સેક્સ લીલાનો ભોગ બનેલ શિષ્યનો વીડિયો વાયરલ થયો છે. કંડારી ગુરુકુળના સ્વામી ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રીના શિષ્ય વેદાંત વલ્લભ સ્વામીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. youtube સાઇટ પર ખુદ વેદાંત વલ્લભ સ્વામીએ પોતાનો વીડિયો મૂક્યો છે. આ વીડિયોમાં ગુરુ ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી કેવી રીતે શિષ્ય વેદાંત વલ્લભ સાથે સેક્સ માણતા હતા તેના ખુલ્લમખુલ્લા આક્ષેપ કરવામાં આવ્યા છે. ખુદ પોતાના ગુરુ ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી સામે શિષ્ય વેદાંત વલ્લભ સ્વામીએ ચોંકાવનારા આરોપો કર્યાં છે. કંડારી, વડતાલ સહિત અનેક જગ્યાઓ પર સ્વામીએ શિષ્ય સાથે સેક્સ લીલા માણી હોવાના સણસણતા આક્ષેપોથી વડતાલ સંપ્રદાય સમસમી ઉઠ્યું છે. 

વડતાલ સ્વામીનારાયણ મંદિર ફરી એકવાર વિવાદોમાં આવ્યું છે. વડતાલ સંપ્રદાયના સ્વામીની કામલીલાની પોલ ખોલતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુદ ભોગ બનેલા શિષ્યએ જ અપલોડ કર્યો છે. કંડારી ગુરુકુળના સ્વામી ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી પર તેમના જ શિષ્યએ શારીરિક શોષણ કર્યાંના ગંભીર આરોપ લગાવ્યા છે. શિષ્યએ પોતાના ગુરુ સ્વામી ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી પર સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો આરોપ લગાવ્યો છે. ત્યારે વડતાલ સંપ્રદાયના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમજ  આ મામલે સંપ્રદાયના હરિભક્તો અને સંતોએ એકત્ર થઈ નિર્ણય કરી કુ-પાસક સંત ન સુધરે તો તેને કાઢી મૂકવા જણાવ્યું છે. ઘટના સામે આવતે ZEE 24 કલાક તેમના આશ્રમે પણ પહોચ્યુ હતું. ત્યારે ખબર પડી કે કંડારીમાં આવેલા આશ્રમને તાળા મારવામાં આવ્યા છે. તમામ સંતો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. છેલ્લા 3 મહિનાથી ગુરુકુલ બંધ સ્થિતિમાં છે.

2019 મા વડતાલધામ ખાતે યોજાયેલ વચનામૃત કથા દરમ્યાન પણ ગુરુએ શિસ્ય સાથે પાપલીલા આચરી હોવાનો આક્ષેપ કર્યો છે. થોડા સમય અગાઉ વડતાલમાં સત્સંગી પક્ષના રાકેશભાઈ પટેલે ચકલાસી પોલીસ મથકમાં આ બાબતની તપાસ કરવા અરજી કરી હતી. જોકે હજુ સુધી આ મામલે ચકલાસી પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ દાખલ થઈ નથી. 

વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં ગુરુ-શિષ્યના સંબંધને લાંછન લગાડતી ઓડિઓ કલીપ ગત મહિને વાયરલ થઈ હતી. પૂર્વ કોઠારી અને શિષ્ય વચ્ચેના અનૈતિક સંબંધનો વીડિયોમા ઉલ્લેખ કરાયો હતો. વડતાલના હરિભક્તો દ્વારા ચકલાસી પોલીસ મથકે આ અંગે અરજી અપાઈ હતી. જોકે, વડતાલ મંદિરના સ્વામીઓનું સમગ્ર મામલે ભેદી મૌન જોવા મળ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news