GUJARAT CORONA UPDATE: ગુજરાતમાં અહીં નથી આજે એકપણ કોરોના કેસ, આ જિલ્લાઓ થઈ જાઓ સાવધાન

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 6,413 એક્ટિવ કેસ છે. જેમાંથી 13 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 6,400 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,38,393 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે

GUJARAT CORONA UPDATE: ગુજરાતમાં અહીં નથી આજે એકપણ કોરોના કેસ, આ જિલ્લાઓ થઈ જાઓ સાવધાન

ઝી બ્યુરો, ગાંધીનગર: રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં વધઘટ જોવા મળી રહી છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના કેસ 600 થી વધુ આવી રહ્યા છે. સાવચેતી નહીં રાખો તો હજુ આ અંકડો વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 606 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 729 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક દર્દીનું મોત થયું છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.62 ટકા થઈ ગયો છે.

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 6,413 એક્ટિવ કેસ છે. જેમાંથી 13 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 6,400 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,38,393 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,971 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 172 કેસ સામે આવ્યા છે. મહેસાણામાં 75, વડોદરામાં કોર્પોરેશનમાં 48, સુરતમાં 39, સુરત કોર્પોરેશનમાં 38, ગાંધીનગરમાં 27, વડોદરામાં 25, રાજકોટ કોર્પોરેશનમાં 19, કચ્છમાં 16, ગાંધીનગર કોર્પોરેશનમાં 13, મોરબીમાં 13, વલસાડમાં 12, ભાવનગર કોર્પોરેશનમાં 11, પાટણમાં 10, અરવલ્લીમાં 8, સાબરકાંઠામાં 8, સુરેન્દ્રનગરમાં 8, તાપીમાં 7, રાજકોટમાં 6, અમરેલીમાં 5, જામનગર કોર્પોરેશનમાં 5, નવસારીમાં 5, અમદાવાદમાં 4, આણંદમાં 4, ભરૂચમાં 4, ગીર સોમનાથમાં 4, મહીસાગરમાં 4, પોરબંદરમાં 4, બનાસકાંઠામાં 3, ખેડામાં 3, જામનગરમાં 2, પંચમહાલમાં 2, ભાવનગરમાં 1 અને દેવભૂમિ દ્વારકામાં 1 કેસ નોંધાયો છે.

જો હવે ડિસ્ચાર્જ દર્દીઓની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 211 દર્દી સાજા થયા છે. મહેસાણામાં 46, વડોદરામાં કોર્પોરેશનમાં 68, સુરતમાં 28, સુરત કોર્પોરેશનમાં 50, ગાંધીનગરમાં 17, વડોદરામાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 44, કચ્છમાં 45, ગાંધીનગર કોર્પોરેશનમાં 21, મોરબીમાં 11, વલસાડમાં 6, પાટણમાં 17, અરવલ્લીમાં 2, સાબરકાંઠામાં 10, સુરેન્દ્રનગરમાં 5, તાપીમાં 6, રાજકોટમાં 19, અમરેલીમાં 17, જામનગર કોર્પોરેશનમાં 8, નવસારીમાં 14, અમદાવાદમાં 10, આણંદમાં 16, ભરૂચમાં 11, ગીર સોમનાથમાં 3, મહીસાગરમાં 2, પોરબંદરમાં 8, બનાસકાંઠામાં 8, ખેડામાં 4, જામનગરમાં 5, પંચમહાલમાં 6, ભાવનગરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 3 અને જૂનાગઢમાં 2 અને જૂનાગઢ કોર્પોરેશનમાં 2 દર્દીઓ સાજા થયા છે.

જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 2,74,983 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1,684 ને રસીનો પ્રથમ અને 5,064 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 194 ને રસીનો પ્રથમ અને 876 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 36,390 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 2,588 ને રસીનો પ્રથમ અને 3,074 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 2,25,113 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,68,47,239 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news