ભરૂચ: કેબલ સ્ટે બ્રિજ પરથી ઝંપલાવી યુગલે આત્મહત્યા કરી, પ્રેમપ્રકરણની આશંકા

ભરૂચના કેબલ સ્ટે બ્રિજ પરથી આજે યુવક અને યુવતીએ નર્મદા નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. ત્યાર બાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બંન્નેના મૃતદેહ નર્મદા નદીમાંથી ઓઢણીથી બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. ભરૂચ પોલીસે પ્રેમ પ્રકરણની આશંકાએ તપાસ આદરી છે. 
ભરૂચ: કેબલ સ્ટે બ્રિજ પરથી ઝંપલાવી યુગલે આત્મહત્યા કરી, પ્રેમપ્રકરણની આશંકા

ભરૂચ : ભરૂચના કેબલ સ્ટે બ્રિજ પરથી આજે યુવક અને યુવતીએ નર્મદા નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. ત્યાર બાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બંન્નેના મૃતદેહ નર્મદા નદીમાંથી ઓઢણીથી બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. ભરૂચ પોલીસે પ્રેમ પ્રકરણની આશંકાએ તપાસ આદરી છે. 

ભરૂચના કેબલ સ્ટે બ્રિજ પરથી યુવક અને યુવતીએ એક સાથે નર્મદા નદીમાં પડતું મુકતા ચકચાર મચી જવા પામી હતી. બ્રિજ પરથી પસાર થતા રાહદારીઓએ ફાયર વિભાગ અને પોલીસને ઘટના અંગે જાણ કરી હતી. ફાયર વિભાગ દ્વારા બંન્નેના મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા હતા. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

પોલીસ પ્રાથમિક તપાસમાં મૃતક યુવતી શીતલ વશી મુળ ઝગડિયાનાં રહેવાસી હતા અને હાલ ભરૂચનાં ઝાડેશ્વર ખાતે આવેલા રંગ ક્રિષ્ના સોસાયટીમાં રહેતી હતી. મૃતક યુવક નવસારીનો રહેવાસી હતો. પોલીસે બંન્નેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. આ મુદ્દે વધારે તપાસ આદરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news