સુરતના કામરેજમાં પ્રેમિકા સાથે અફેર હોવાના વહેમમાં યુવાનની હત્યા

કામરેજ ખાતે એક યુવાનને પ્રેમ કરવાના બદલામાં મોત મળ્યું બે દિવસ અગાઉ પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા થઈ હતી અને યુવાનની હત્યા કરાયેલી લાશ એક ગાદલામાંથી વિટાળાયેલી મળી આવી હતી.

સુરતના કામરેજમાં પ્રેમિકા સાથે અફેર હોવાના વહેમમાં યુવાનની હત્યા

સુરત: કામરેજ ખાતે એક યુવાનને પ્રેમ કરવાના બદલામાં મોત મળ્યું બે દિવસ અગાઉ પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા થઈ હતી અને યુવાનની હત્યા કરાયેલી લાશ એક ગાદલામાંથી વિટાળાયેલી મળી આવી હતી.

કામરેજ ખાતે આવેલ આંબોલી ગામ ખાતે રહેતા અને મૂળ અમદાવાદના વિજયભાઈ ભોકરવા અને કિરણ ભોકરવા બન્ને ભાઈઓ પોતાના પરિવાર સાથે સુખી જીવન વિતાવી રહ્યા હતા ત્યારે ગત ગુરુવારે કિરણ તેના પાપા સાથે તેની બહેન માટે પાર્વતિ વ્રત માટે ફરાળી વસ્તુ લેવા માટે કામરેજ ખાતે ગયો હતો. 

જોકે તેના પિતાને કામરેજ ખાતે મોટર સાયકલમાંથી ઉતારી ક્યાંક ચાલ્યો ગયો હતો. ત્યારબાદ ઘરે પરત નહિ ફરતા તેના મોબાઈલ ફોનમાં કોલ કર્યો તો મોબાઈલ ફોન બંધ આવ્યો જેથી પરિવાર જનનોની ચિંતા વધતા ઘરજનોએ તેની શોધખોળ કરી હતી. પરંતુ ક્યાંય ભાળ મળી ન હતી જેથી ગત શુક્રવારના રોજ કિરણના મોટાભાઈએ તેના કાકાનો છોકરો ગોપાલ ભોકરવા પાસે જઈ પોતાના માલિકને કોલ કરતા ત્યાં પણ મળી આવ્યો ન હતો. 

ત્યારે અચાનક જ શનિવારે કામરેજના માનસરોવર ખાતે રહેતા મેહુલ નામના એક વ્યક્તિનો કોલ કિરણના કાકાના છોકરો ગોપાલ ઉઓર આવ્યો અને તેણે કહ્યું કે મને કિરણની ભાળ મળી છે. તમે જલ્દીથી આવો ત્યારે ત્યાં જોઈને જોયું તો એક ગાદલામા કિરણની વિટલાયેલી હાલતમાં હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જે ઘટના ની જાણ કામરેજ પોલીસને કરતા કામરેજ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહ પર કબજો મેળવ્યો હતો.

હત્યા પાછળનું કારણ પ્રેમ પ્રકરણ નીકળ્યું મૃતક કિરણ એક સંજય ભરવાડની પ્રેમિકા રક્ષા નામની છોકરીને પ્રેમ કરતો હતો. જેની જાણ સંજય ભરવાડને થતા સંજય ભરવાડે માનસરોવર બિલ્ડીંગ નંબર A-7 માં પાંચમા માળે કિરણને તેના ઘરે બોલાવી મોતને ઘાટ ઉતારીને તેને એક ગાદલાંમાં કિરણનો મૃતદેહ વીંટાળીને ત્યાં બાજુમાં રહેતા મેહુલ કારેણાને કોલ કરીને જાણ કરી હતી કે મારે તારી મદદની જરૂર છે. 

જેથી મેહુલ પોતાના ઘરેથી સંજયના ઘરે જતા સંજય ભરવાડે સમગ્ર હકીકત કહી હતી. જેથી મેહુલ કારેણાએ મદદ કરવાની ના કહી ત્યાંથી ભાગી ગયો હતો અને મૃતક કિરણના કાકાનો છોકરો ગોપાલને આ વાતની જાણ કરી હતી. જેથી સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. જેની જાણ કામરેજ પોલીસને થતા કામરેજ પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ કરી હતી અને સંજયને હાલ પોલીસે પોતાના હસ્તગત કર્યો છે.

જોકે હાલ તો આ સંજયભાઈ રણછોડભાઈ ભરવાડને પોલીસે પોતાના હસ્તગત કરી લીધો છે. ત્યારે પોલીસે પોતાની કડકાઈ પૂર્વ પૂછપરછ કરતા સંજયે તેની પ્રેમિકા રક્ષા સાથે કિરણને કોઇ લફરું હોઇ તેવી શંકાના આધારે અદાવત રાખી કોઇ સાધન વડે કિરણની હત્યા કરી મૃતદેહ કયાંક સગેવગે કરી દીધો હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસ દ્વારા હાલતો સંજય વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news