સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવાનો સમય વધારાયો, જુઓ શું છે નવો ટાઈમિંગ

 ગત 31 ઓક્ટોબરના રોજ ખુલ્લુ મૂકાયેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાત ટુરિઝમ ક્ષેત્રે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. તેના ઉદઘાટનના ત્રણ મહિનામાં જ કુલ 8 લાખ 12 હજાર પ્રવાસીઓએ સ્ટેચ્યુને નિહાળ્યું છે. જેથી કહી શકાય કે ગુજરાત આવતા પ્રવાસીઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમની પહેલી પસંદગી બન્યું છે. ત્યારે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવાના સમયગાળામાં વધારો કરાયો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવાનો સમય વધારાયો, જુઓ શું છે નવો ટાઈમિંગ

જયેશ દોશી/રાજપીપળા : ગત 31 ઓક્ટોબરના રોજ ખુલ્લુ મૂકાયેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાત ટુરિઝમ ક્ષેત્રે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. તેના ઉદઘાટનના ત્રણ મહિનામાં જ કુલ 8 લાખ 12 હજાર પ્રવાસીઓએ સ્ટેચ્યુને નિહાળ્યું છે. જેથી કહી શકાય કે ગુજરાત આવતા પ્રવાસીઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમની પહેલી પસંદગી બન્યું છે. ત્યારે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવાના સમયગાળામાં વધારો કરાયો છે.

પહેલા સાંજના 5 કલાક સુધી જ પ્રવેશ મળતો હતો. પરંતુ હવે ઋતુ બદલાતા ઉનાળાને ધ્યાનમાં રાખીને પ્રવેશની સમયમર્યાદા એક કલાક સુધી વધારવામાં આવી છે. જેથી વધુ પ્રવાસીઓ હવે વધુ સમય સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ શકશે. સ્ટેચ્યુનો નિહાળવાનો સમય હવે સવારે ૮.૦૦ થી સાંજે ૬.૦૦ વાગ્યા સુધીનો કરાયો છે. જેથી હવે સાંજે 6 વાગ્યા સુધી પ્રવેશ મેળવી શકાશે. 

3 મહિનામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને મળ્યા રેકોર્ડબ્રેક મુસાફરો અને થઈ કરોડોની આવક

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને 31 જાન્યુઆરીએ 3 માસ પૂરા થયા છે. ત્યારે ઉદઘાટન બાદ ત્રીજા મહિને એટલે કે જાન્યુઆરીમાં 2,83,298 પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. જેનાથી સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 7 કરોડ 42 હજાર 20 રૂપિયાની આવક થઈ છે. આંકડા પર નજર કરીએ તો, ત્રણ મહિનામાં અનેક પ્રવાસીઓએ સ્ટેચ્યુની મુલાકાત લીધી છે. જેને કારણે આ સ્ટેચ્યુની દેખરેખ કરતા સરદાર વલ્લભભાઈ એક્તા ટ્રસ્ટને કરોડોની આવક થઈ છે. કુલ ત્રણ મહિનામાં અહીં 8,12,577 પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. આમ, સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને પ્રવાસીઓ થકી 19,09,00,411 રૂપિયાની આવક થઈ છે. 3 મહિનામાં 80 દિવસ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું રહ્યું હતું.

  • નવેમ્બર - 27 દિવસ, પ્રવાસીઓ - 2,79,166, ટિકિટની આવક - 6,38,57,321₹ થઈ.
  • ડિસેમ્બર - 26 દિવસ, પ્રવાસીઓ-  2,50,113, ટિકિટની આવક - 5,70,01,060 ₹ થઈ.
  • જાન્યુઆરી - 27 દિવસ, પ્રવાસીઓ - 2,83,298, ટિકિટની આવક - 7,00,42,020 ₹ થઈ.

ટીકિટ 380 રૂપિયા 
બસથી લઈને સ્ટેચ્યુ નિહાળવા સુધીની આખી ટીકિટ માત્ર 380 રૂપિયા છે. આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા સ્ટેચ્યુને નિહાળવા માટે છેલ્લા દસ દિવસથી એક્સપ્રેસ ટિકીટ શરૂ કરાઈ છે, જેનો દર 1000 રૂપિયા રાખવામાં આવ્યો છે. જ્યા કોઈ પણ મુસાફર ડાયરેક્ટ સ્ટેચ્યુની વિઝીટ કરી શકશે. જ્યારે કે, ડેમ પાસે શરૂ કરાયેલ બોટિંગની સુવિધા માટેની ટિકીટના દર 250 રૂપિયા છે. 

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા લોકોનો ઘસારો, 10 કિમી સુધી ટ્રાફિક જામ

હેલિકોપ્ટર સર્વિસ પણ છે...

  •  હેલિકોપ્ટરમાં બેસવા માટે એક પ્રવાસીની ટિકિટ 2900 રૂપિયા રાખવામાં આવી છે. 
  •  10 મિનિટની હવાઈ મુસાફરી રહેશે
  •  આ હવાઈ મુસાફરીમાં પ્રવાસીઓને ફ્લાવર ઓફ વેલી, નર્મદા ડેમ અને સ્ટેટ્યૂ ઓફ યુનિટીનો એરિયલ વ્યુ બતાવવામાં આવશે
  • એક સવારીમાં હેલિકોપ્ટરમાં એક સાથે કુલ 6 થી 7 પ્રવાસી બેસી શકશે 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news