આ શખ્શના કારણે નવા ઘરના સપના જોતા રહીશો મુકાયા ચિંતામાં, ક્યારે બનશે તેમનું નવું ઘર

આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા તપાસ કરતા સામે આવ્યું કે કામેશ્વર એપાર્ટમેન્ટના રી ડેવલોપમેન્ટના 99 ફ્લેટના રહીશોને ધારા ધોરણ મુજબ ભાડું અને નવી સ્ક્રીમ બનાવવાની કામગીરી ચાલી રહી છે

આ શખ્શના કારણે નવા ઘરના સપના જોતા રહીશો મુકાયા ચિંતામાં, ક્યારે બનશે તેમનું નવું ઘર

ઉદય રંજન, અમદાવાદ: રી ડેવલોપમેન્ટ નામે છેતરપિંડી કરનાર પિતા-પુત્રની ધરપકડ કરાઈ. રૂપિયા 4.95 કરોડની ઠગાઇની ફરિયાદ નોંધાઇ હતી. નવી ભાગીદારી પેઢી બનાવીને જુના ભાગીદારો સાથે વિશ્વાસઘાત કરતા આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ભાગીદારો વચ્ચે થયેલા વિવાદ લઈને આરોપી દ્વારા હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. શુ હતો સમગ્ર છેતરપિંડી મામલો જોઈએ આ અહેવાલમાં...

આરોપી વિજય પ્રજાપતિ પર છેતરપિંડી આરોપ લગાવામાં આવ્યો છે. આરોપી વિજય પ્રજાપતિ વાય.એન.ટી પ્રોજેકટ નામની ભાગીદારી પેઢીમાંથી અન્ય ભાગીદારો હટાવીને તેવા જ નામ વાળી ભાગીદારી વાય.એન્ડ.ટી.પ્રોજેકટ એલ.એલ.પી નામની નવી પેઢી બનાવીને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાઇ છે.

જોકે, ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે, બોડકદેવમાં આવેલ કામેશ્વર એપાર્ટમેન્ટ રી ડેવલોપમેન્ટ માટે વાય.એન્ડ.ટી પ્રોજેકટ હેઠળ પેઢી શરૂ કરી હતી. જેમાં હોમ પ્રકાશ ધારીવાલાએ 1.54 કરોડ અને તેના મિત્ર અશ્વિન પટેલ 1.33 કરોડ આરોપીને આપી ભાગીદાર બન્યા હતા. પરતું આરોપી નવી ભાગીદારી પેઢી બનાવી છેતરપિંડી કરી હોવાથી ગુનો દાખલ કરી પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી છે.

આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા તપાસ કરતા સામે આવ્યું કે કામેશ્વર એપાર્ટમેન્ટના રી ડેવલોપમેન્ટના 99 ફ્લેટના રહીશોને ધારા ધોરણ મુજબ ભાડું અને નવી સ્ક્રીમ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જોકે માત્ર નવી ભાગીદારી પેઢી બનાવતા જ વિવાદ ઉભો થયો હતો. જેને લઈ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા તપાસ કરી રહ્યા છે.

જે નવી પેઢી ઉભી કરી તેમાં આરોપી વિજય પ્રજાપતિએ તેનો ભાઈ અનિલ પ્રજાપતિ અને પિતા કેશવલાલ, માતા સવિતા બેન પ્રજાપતિને ભાગીદારી પેઢીમાં અનઅધિકૃત પાવર આપ્યા હતા. જેમાં કોઈ રોકાણ વગર નવી ભાગીદારી પેઢી બનાવી હતી અને જૂના ભાગીદારોની જાણ બહાર પેઢી બનાવી છેતરપિંડી આચરતા જ બે ભાઈ અને પિતા કાયદાના સકંજામાં ફસાયા છે.

રી ડેવલોપમેન્ટ લઈ ભાગીદારો વચ્ચે થઈ રહેલા વિવાદનો મામલો હાઇકોર્ટ સુધી પહોંચી શકે છે. એક તરફ નવા ઘરના સપના જોઈ રહેલા રહીશો ચિંતામાં છે. તેમનું નવું ઘર ક્યારે બનશે. ત્યારે આર્થિક ગુના નિવારણ શાખાએ આ છેતરપિંડી લઈને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news