રથયાત્રાને હજી સુધી મંજૂરી નહિ, પણ તૈયારીઓ શરૂ...

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની હજી મંજૂરી મળી નથી, પરંતુ આગામી રથયાત્રા (rathyatra) ને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રાના પ્લાનિંગ અંગે આગામી દિવસોમાં જાહેરાત કરાશે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાની કામગીરી શરૂ કરી દીધી છે. 
રથયાત્રાને હજી સુધી મંજૂરી નહિ, પણ તૈયારીઓ શરૂ...

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની હજી મંજૂરી મળી નથી, પરંતુ આગામી રથયાત્રા (rathyatra) ને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રાના પ્લાનિંગ અંગે આગામી દિવસોમાં જાહેરાત કરાશે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાની કામગીરી શરૂ કરી દીધી છે. 

રથયાત્રાના રુટ પરના જર્જરિત મકાનોની નોટિસ અપાઈ 
અમદાવાદ કોર્પોરેશન દ્વારા રથયાત્રા રૂટ પર આવતા જર્જરીત મકાનોને નોટીસ આપવાની શરૂઆત કરાઈ છે. એએમસીના મધ્યઝોનના 6 વોર્ડમાંથી રથયાત્રા પસાર થાય છે. આ 6 વોર્ડમાં મળીને કુલ 327 ભયજનક મકાનોની યાદી તૈયાર કરાઈ છે. 327 પૈકી 283 મકાનોને નોટિસ આપવાની કામગીરી પૂર્ણ થઈ છે. જર્જરીત મકાનોને રીપેરીંગ કરવા માટેની પણ કાર્યવાહી કરવા આદેશ અપાયા છે. જમાલપુરમાં 12, ખાડીયા-1 માં 58, ખાડીયા-2 માં 152, દરિયાપુરમાં 90, શાહીબાગમાં 10 અને શાહપુર વોર્ડમાં 5 જેટલા ભયજનક મકાનો આવેલા છે. 

રોડના ખોદકામ પૂર્ણ કરવા સૂચના  
રથયાત્રા રૂટમાં આવતા વિવિધ ખોદકામ પૂર્ણ કરી દેવા પણ સૂચના આપી દેવાઈ છે. ઈજનેર વિભાગ દ્વારા વિવિધ ખોદકામ પૂર્ણ કરવા કામગીરી હાથ ધરાઇ છે. રોડ રીપેરીંગ, ફૂટપાથ રીપેરીંગ અને લાઇટની કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરાઇ છે. 

તો બીજી તરફ, 10 જુલાઈએ યોજાવનારી ધજારોહણ અને નેત્રોત્સ વિધિમાં બીજેપી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાજર રહેશે. મંદિર ટ્રસ્ટ દ્વારા આ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. રથયાત્રાને લઈને મંદિરમાં તૈયારીઓ શરૂ કરાઈ છે. મંદિરના સેવકો, ટ્રસ્ટીઓ અને મહંત દિલીપદાસજીએ પણ વેક્સીન લઈ લીધી છે. રથ ખેંચનાર ખલસીઓને રસી લેવા કહેવામાં આવ્યું છે. રસી લીધેલા 120 ખલાસીઓનું લિસ્ટ મંદિર ટ્રસ્ટ પાસેથી મંગાવવામાં આવ્યુ છે. નેત્રોત્સવ વિધિ માટેની પણ તૈયારીઓ શરૂ કરાઈ છે. 

જગન્નાથ મંદિર તરફથી ખલાસી એસોસિએશન પાસેથી 120 જેટલા ખલાસીઓનું લિસ્ટ મંગાવવામાં આવ્યુ છે. ભગવાનના એક રથ 40 ખલાસીઓ ખેંચી શકે તે રીતે લિસ્ટ તૈયાર કરવા મંદિર તરફથી સૂચન આપવામાં આવ્યું છે. મંદિરમાં બેઠકોનો દોર શરૂ થયો છે. 2 દિવસની અંદર ખલાસી એસોસિએશન તરફથી 120 જેટલા ખલાસીઓનું
લિસ્ટ તૈયાર કરી મંદિરના ટ્રસ્ટીઓને સોંપવામાં આવશે. 

અમદાવાદ જગન્નાથ રથયાત્રા સંદર્ભ પણ બેઠકમાં ચર્ચા થઈ છે. અમદાવાદ પોલીસ કમિશ્નર, એટીએસ વડા હિમાંશુ શુક્લા પણ હાજર રહ્યા હતા. પોલીસ બંદોબસ્ત સહિત સંભવિત રથયાત્રાનાં રૂટ આયોજન અંગે પણ ચર્ચા કરાઈ હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news