ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની હાજરીમાં પૂજા થઈ

ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની હાજરીમાં પૂજા થઈ
  • રથયાત્રાનો પહેલો પડાવ કહેવાતી જળયાત્રા કોરોનાકાળમાં સતત બીજા વર્ષે સાદગીથી કાઢવામાં આવી છે 

ઝી મીડિયા/બ્યૂરો :ભગવાન જગન્નાથ ની 144 મી રથયાત્રા (rathyatra) પૂર્વે યોજાનારી જળયાત્રા નીકળી છે. સોમનાથ ભુદરના આરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં પૂજાવિધિ શરૂ થઈ છે. આ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાબરમતી કિનારે મર્યાદિત લોકોની હાજરીમાં કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે જળયાત્રાની પૂજાવિધિ થઈ રહી છે. આજથી 15 દિવસ ભગવાન પોતાના મામાને ઘરે રહેશે. 

સાબમરતી નદીની આરતી ઉતારાઈ 
આજે જેઠ સૂદ પૂનમના દિવસથી રથયાત્રાનો વિધિવત પ્રારંભ થયો છે. ત્યારે કોરોના કાળમાં સાદગીથી જળયાત્રા યોજવામાં આવી છે. માત્ર 50 લોકોની હાજરીમાં જળયાત્રા નીકળી છે. જળયાત્રામાં 5 ધ્વજપતાકા, 1 ગજરાજ અને એક કળશ જ રાખવામાં આવ્યા છે. પરંપરા મુજબ 18 ગજરાજને મંદિરમાં રખાયા છે. વિધિ મુજબ સાબરમતી નદીની આરતી ઉતારવામાં આવી હતી. મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નદીની આરતી ઉતારી હતી. ગંગાપૂજન કરીને પાણી કળશમાં ભરવામાં આવશે. પાંચ કળશ, પાંચ ધજામાં જળ ભરીને મંદિરમાં લાવવામાં આવશે અને તેનાથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે. 

ભગવાનને ગુલાબી રંગના વસ્ત્રોનો શણગાર કરાયો 
આજે ભગવાન જગન્નાથની ગુલાબી રંગના વસ્ત્રોનો શણગાર કરાયો છે. ભગવાનને ચઢાવવાનું જળ સાબરમતી નદીમાંથી લેવામાં આવે છે. પરંતુ કોરોનાને કારણે કોઈ ઢોલ નગારાના તાલ નથી, સંગીત નથી, માત્ર સાદગીથી જળયાત્રા કાઢવામાં આવી છે. પાણી લઈને જળયાત્રા નીજ મંદિર પરત ફરે છે, જ્યા ભગવાન પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે સરસપુરમાં મામાના ઘરે જશે. અહી તેમના લાડ લડાવવામાં આવે છે, અને તેમના ભાવતા ભોજન ધરાવવામા આવે છે. 

આ વર્ષે તો નગરનો નાથ રસ્તા પર નીકળવો જોઈએ તેવી આશા ભક્તો રાખી રહ્યા છે. ગત વર્ષે કોરોનાને કારણે રથયાત્રા નીકળી ન હતી. મંદિરમાં આવ્યા બાદ ધજાનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વિધિ પૂજન સાથે પાણીથી અભિષેક કરવામાં આવ્યું હતું. કેસર, દૂધ, દહી અને આયુર્વેદિક ઔષધીઓનો અભિષેક કરવામાં આવે છે. વિધિ બાદ ભગવાન ગજવેશનો વેશ ધારણ કરે છે. વર્ષનો આ એક જ દિવસ એવો હોય છે જેમાં ભગવા ગજવેશનો વેષ ધારણ કરતા હોય છે. 

સરસપુરવાસીઓ બપોરે 3 વાગ્યા ભગવાનને મામાના ઘરે લઈ જવા માટે આવશે. તે માટે વિશેષ તૈયારીઓ શરૂ કરાઈ છે. આ વર્ષે તો નગરનો નાથ રસ્તા પર નીકળવો જોઈએ તેવી આશા ભક્તો રાખી રહ્યા છે. ગત વર્ષે કોરોનાને કારણે રથયાત્રા નીકળી ન હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news