આણંદના ખાનપુર પાસે મહી નદીમાં મોટી દુર્ઘટના; એક જ પરિવારના 4 લોકો ડૂબી જતાં કરૂણ મોત

આણંદનાં ખાનપુર પાસે મહી નદીમાં ડૂબી જતાં એક જ પરિવારના ચારનાં મોતથી ખળભળાટ મચી જવા પામ્યો છે. ગામડીનું પરિવાર ખાનપુર પાસે મહી નદીમાં ન્હાવા ગયા હતા. એક જ પરિવારના બે મહિલા અને બે યુવકોના કરૂણ મોત થયા છે.

આણંદના ખાનપુર પાસે મહી નદીમાં મોટી દુર્ઘટના; એક જ પરિવારના 4 લોકો ડૂબી જતાં કરૂણ મોત

Anand Breaking: કાળઝાળ ગરમીમાંથી રાહત મેળવવા માટે લોકો હિલસ્ટેશનો કે નદી-તળાવોમાં ફરવા જતા હોય છે. ત્યારે ઘણી વખત મઝા સજા બની જતી હોય છે. આવો જ એક કિસ્સો આણંદના ખાનપુર પાસે આવેલી મહી નદીમાં સામે આવ્યો છે. આણંદના ખાનપુર પાસેથી વહેતી મહી નદીમાં નાહવા પડેલા એક જ પરિવારના 4 લોકોના ડૂબી જતાં મોત થયા છે.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે આણંદનાં ખાનપુર પાસે મહી નદીમાં ડૂબી જતાં એક જ પરિવારના ચારનાં મોતથી ખળભળાટ મચી જવા પામ્યો છે. ગામડીનું પરિવાર ખાનપુર પાસે મહી નદીમાં ન્હાવા ગયા હતા. એક જ પરિવારના બે મહિલા અને બે યુવકોના કરૂણ મોત થયા છે.

જોકે, પરિવારના તમામ સભ્યો ડૂબતાં નાસભાગ મચી ગઈ હતી. સ્થાનિક તરવૈયાઓ દ્વારા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાંની સાથે જ સ્થાનિક ખંભોળજ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news