મુસાફરોથી ભરેલી બસને સાંતલપુર હાઈવે પર અકસ્માત, બસનુ પડીકુ વળી ગયુ

સાંતલપુર હાઇવે પર આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મુસાફરોથી ભરેલી લક્ઝરી બસ માર્ગ પર પડેલ અકસ્માત ગ્રસ્ત વાહનની સાથે ટકરાઈ હતી. જેમાં 25 મુસાફરો ઘાયલ થયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત 4 મુસાફરોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. 
મુસાફરોથી ભરેલી બસને સાંતલપુર હાઈવે પર અકસ્માત, બસનુ પડીકુ વળી ગયુ

પ્રેમલ ત્રિવેદી/પાટણ :સાંતલપુર હાઇવે પર આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મુસાફરોથી ભરેલી લક્ઝરી બસ માર્ગ પર પડેલ અકસ્માત ગ્રસ્ત વાહનની સાથે ટકરાઈ હતી. જેમાં 25 મુસાફરો ઘાયલ થયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત 4 મુસાફરોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. 

મુન્દ્રાથી રાજસ્થાન તરફ એક ખાનગી બસ જઈ રહી હતી. બસ સાંતલપુર રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે રોડ પર પહેલેથી જ અકસ્માતગ્રસ્ત વાહન પડ્યુ હતું. બસ આ અકસ્માત ગ્રસ્ત વાહન સાથે ટકરાઈ હતી. 

No description available.

No description available.

બસમાં 25 મુસાફરો સવાર હતા, જેઓ ઘાયલ થયા હતા. અકસ્માતમાં 4 વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી હતી. 108 મારફતે ઈજાગ્રસ્તો ને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. 

No description available.

અકસ્માતની ઘટનાને લઇને લોકોના ટોળા વળ્યાં હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news