SURAT LIVE : કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, મુસ્લિમો પથ્થરબાજોને સમજાવે, હર્ષ સંધવીની ચોખ્ખી સલાહ

સુરતમાં સૈયદપુરામાં વિધર્મીઓએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કરતા વાતાવરણ તંગ બની ગયું છે. આક્રોશિત લોકોએ તોડફોડ કરીને વાહનોમાં આગચંપી કરી. આ ઘટના સંદર્ભે પળેપળના અપડેટ માટે ઝી24કલાકના લાઈવ બ્લોગ સાથે જોડાયેલા રહો.....

SURAT LIVE : કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, મુસ્લિમો પથ્થરબાજોને સમજાવે, હર્ષ સંધવીની ચોખ્ખી સલાહ
LIVE Blog

surat stone pelting incident : ગુજરાતના સુરતમાં અશાંતિ ભર્યો માહોલ છે. સુરતના સૈયદપુરામાં વરિયાવી બજાર કા રાજા ગણેશ ઉત્સવમાં રવિવારે રાત્રે 9.30 વાગ્યા આસપાસ એકથી દોઢ કિલોમીટર દૂરથી રિક્ષામાં આવેલા 6 મુસ્લિમ કિશોરોએ કરેલા પથ્થરમારા બાદ પરિસ્થિતિ વણસી ગઈ છે. પોલીસે 3 ફરિયાદ દાખલ કરી છે. ઘટના બાદ હજારોની સંખ્યામાં ગણેશભક્તોએ સૈયદપુરા ચોકીનો ઘેરાવો કર્યો હતો. પોલીસે આ ઘટનામાં 27 લોકોની અટકાયત કરી છે. આજે  સૈયદપુરામાં બુલડોઝર ચાલી રહ્યું છે. હર્ષ સંઘવી આ ઘટના બાદ એક્ટિવ થયા છે. તેઓએ આજે ગાંધીનગરની મીટિંગો કેન્સલ કરી દીધી છે. આજે શાંતિપૂર્ણ બેઠકો પણ યોજાય તેવી સંભાવનાઓ વચ્ચે સુરતની શાંતિ હણાઈ છે. તમામ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસે લોકોનાં ઘરોના દરવાજા તોડીને અનેક તોફાની તત્ત્વોને ઝડપી લીધાં હતાં અને રાતના 2 વાગ્યે પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી. આજે પણ સુરતમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે. ગઈકાલે રાતે હજારો લોકોએ મંડપથી 100 મીટર દૂર સૈયદપુરા ચોકીને ઘેરી હતી. ટોળાં વિખેરવા 10થી વધુ ટીયરગેસ છોડી લાઠીચાર્જ કરાયો હતો.  અત્યારે સૈયદપુરા પોલીસ ચોકીની આજુબાજુ જે દબાણ કરેલી મિલકતો છે તેને તાત્કાલિક અસરથી દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ થતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે. હવે ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ચાલી શકે છે. આ ઘટનામાં એક ડીસીપી સહિત 10 પોલીસકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

09 September 2024
15:09 PM

surat stone through in pandal : ખુલ્લી ચેતવણી, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો

સુરતમાં પથ્થરમારા બાદ હર્ષ સંઘવી આકરા મૂડમાં છે. આજે 1000 પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો છે. સુરતમાં પલિતો ચાંપવાની આ ઘટનામાં સંઘવીએ મૌલવી, મસ્જિદોને સ્પષ્ટ કહી દીધું છે કે પથ્થરમારો કરનારા સમાજના દુશ્મનો છે. તમે આવા યુવાનોને સમજાવવાની કોશિષ કરો. કાયદામં રહેશો તો જ ફાયદામાં રહેશો. ગુજરાત પોલીસ કોઈ પણ પથ્થરબાજને છોડશે નહીં પછી એ ભલે છોકરાઓ જ કેમ ના હોય.. પોલીસે આ કેસમાં 3 ફરિયાદો નોંધી છે. પોલીસને સ્પષ્ટ આદેશ છે કે ગુજરાતની શાંતિ ડહોળવાની કોશિષ કરનાર તત્વો સામે ખુલ્લા હાથે કાર્યવાહી કરો..

 

 

 

 

15:04 PM

Stone Pelting in surat : AIMIMના પ્રવક્તા દાનિશ કુરેશીનું નિવેદન, પોલીસની એક તરફી કાર્યવાહી

 

 

14:56 PM

surat stone through in pandal : મદ્રેસા અને મસ્જિદો યુવાનોને સમજાવે

Stone Pelting in surat  : રવિવારે સાંજે ગણેશ પંડાલ પર પથ્થરમારો થયાના અહેવાલો સામે આવ્યા બાદ ગુજરાતના સુરતમાં જબરદસ્ત આક્રોશ ફાટી નીકળ્યો હતો.  પથ્થરમારાની ઘટના બાદ તંગદિલી સર્જાયા બાદ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ વિસ્તારમાં લગભગ 1000 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. કેટલાક બાળકોએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો જે પછી અથડામણ થઈ હતી. હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, પથ્થરમારા કરનાર લોકો સમાજના કસૂરવાર છે. જે પણ યુવાનો આવા છે તેઓને સમજાવવાનો પ્રયાસ મુસ્લિમ સમાજના લોકો કરે, મને ભરોસો છે કે, મદ્રેસા અને મસ્જિદ સહિત અન્ય ધાર્મિક સંસ્થાના લોકો યુવાનોને આવનાર દિવસોમાં સમજાવશે.

 

14:52 PM

Surat saiyadpura : સુરત પોલીસ હાઈએલર્ટ પર, પોલીસના ધાડા ઉતર્યા

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ હાલમાં તંગદીલીભર્યો માહોલ નથી છતાં પોલીસે જબરદસ્ત તકેદારી રાખી છે. ગઈકાલે રાતે ટોળાં દ્વારા પથ્થરમારામાં ડીસીપી વિજયસિંહ ગુર્જર સહિત 10 જેટલા પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. ગણતરીના સમયમાં જ પોલીસે પથ્થરમારો કરનાર કિશોરોને પકડી પાડવામાં આવ્યા હતા અને સૈયદપુરા ચોકીની અંદર રાખવામાં આવ્યા હતા. એ ચોકી બહાર પણ જબરદસ્ત તણાવ પેદા થયો હતો. આજે સવારથી પોલીસના ધાડે ધાડા સુરતમાં ગોઠવાયા છે. હર્ષ સંઘવીએ ચોખ્ખી ચીમકી આપી છે કે પથ્થરમારો કરનાર કોઈને પણ છોડવામાં આવશે નહીં... સમાજના અગ્રણીઓ આવા પત્થરમારો કરતાં સંતાનોને સમજાવે.

 

14:47 PM

surat stone through in pandal : પોલીસે ઘરના દરવાજા તોડ્યા, ઘરમાંથી ખેંચી લાવી

ગુજરાતના સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ જે લોકો ઘરમાં ઘૂસીને ધાબા પરથી પથ્થર મારતા હતા તેવા લોકોને પકડવા માટે પોલીસે કોમ્બિંગ શરૂ કર્યું હતું. જેમાં અનેક લોકો નીચેથી દરવાજો બંધ કરી ઘરમાં છુપાઈને પથ્થરમારો કરતા હતા. અમુકે ઘરને તાળાં મારી સાંકળ ફિટ કરી દીધી હતી. આવા લોકોના ઘરનાં તાળાં તોડી નાખી ઘરમાં ઘૂસી ઘૂસીને આરોપીને પકડ્યા છે. ઓપરેશનમાં મહિલાઓને ખોટી રીતે પરેશાની ન થાય અને કોઈ ખોટી વ્યક્તિ આમાં ન ફસાઈ જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું, પથ્થરબાજોએ મહિલાઓને આગળ કરી હતી.  મહિલાઓએ ઘરે એકલી હોવાનું જણાવતા ક્રાઈમ બ્રાન્ચના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરને આવા ઘરોમાં મોકલાયા હતા. પોલીસની નજરથી બચવા કિચનના પડદાની પાછળ ચાર લોકો એક ઉપર એક સુઈ ગયા હતા. અને પોતાના ચપ્પલ પણ પોતાની પાસે રાખ્યા હતા. પરંતુ પોલીસે ઘરમાં ઘૂસીને આ આરોપીઓની અટકાયત કરી હતી. આમ આ પત્થરમારાની ઘટનામાં પોલીસે 28 લોકોની અટકાયત કરી છે. પથ્થરમારો કરનાર 12 વર્ષથી નાના 6 છોકરાઓ હતા. આમ છોકરાઓના હાથમાં પત્થર પકડાવી પથ્થરમારો કરાયો હતો. 

 

14:42 PM

Surat saiyadpura : ગાંધીનગર સુધી પડ્યા પડઘા, ડીજીપીની એન્ટ્રી

પોલીસ વડા તરીકે કહીશ કે ગુજરાત શાંતિ પ્રિય રાજ્ય છે બંદોબસ્તની તૈયારીઓ કરાઈ છે, ૩૫ વર્ષના અનુભવ પરથી કહી શકું કે ગુજરાતના શાંતિપ્રિય લોકો તમામ તહેવારો જવાબદારી સમજી તહેવારો ઉજવે છે, કેટલાક અસામાજીક તત્વો કોઈ જગ્યાએ કરતુતો કરે છે જેના કારણે શાંતિનો માહોલ વિપરીત પરિસ્થિતિમાં ફેરવાય છે. આ તત્વો સામે ગંભીરતા પૂર્વક કાર્યવાહી પહેલાં પણ થઈ છે ગઈકાલે પણ સુરતમાં થઈ અને ભવિષ્યમાં પણ થશે, ગુજરાતમાં શાંતિનો માહોલ થાય તે માટે જવાબદારી ગુજરાત પોલીસની છે. ગુજરાત પોલીસ કાયદામાં રહી અસરકારક કાર્યવાહી કરશે. પથ્થરબાજોની પોલીસે એવી સર્વિસ કરી હતી કે તેઓ ઉભા રહેવાને પણ લાયક રહ્યા ન હતા. 

 

 

14:39 PM

surat stone through in pandal : ગણેશ પંડાલ પર પથ્થરમારો કરનારની ખેર નહીં રહે

આજે સવારથી સુરતના સૈયદપુરા વિસ્તારમાં તંત્રનું બુલડોઝર ચાલી રહ્યું છે. પોલીસ ચૌકીની આસપાસના ગેરકાયદા દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલું થી ગઈ છે. કહેવાય છે કે સરકારે ગેરકાયદે દબાણો અંગેનો રિપોર્ટ પણ મગાવ્યો છે. સૌથી મોટો સવાલ એ છે કે પથ્થરમારો કરનાર છોકરાઓને રિક્ષામાં ભરીને દોઢ કિલોમીટર દૂરથી લાવ્યું કોણ, પોલીસ પણ આ ઘટના પાછળના માસ્ટર માઈન્ડને શોધી રહી છે. 

 

 

 

14:36 PM

Surat saiyadpura : હર્ષ સંઘવીએ કહ્યું- પથ્થરમારા કરનાર લોકો સમાજના કસૂરવાર

હર્ષ સંઘવી કાલ રાતથી આ ઘટના પર નજર રાખી રહ્યાં છે. જેઓ આજે પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચીને CCTVથી ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી જરૂર સૂચન કર્યા હતા. સંઘવીએ કહ્યું પથ્થરમારો કરનાર કોઈ પણ હોય પણ એ સમાજના કસૂરવાર છે. જેઓને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે...

 

14:30 PM

Surat saiyadpura : દાદાનું બુલડોઝર કરશે હિસાબ

ગુજરાતમાં પણ UP વાળી! સુરતમાં પથ્થરમારો કરનારાઓની મિલકતો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, સવારથી ચાલી રહ્યાં છે જેસીબી મશીનો

 

14:28 PM

Surat Stone Pelting: પથ્થરબાજોની હવે ખેર નથી
પથ્થરબાજોની ગેરકાયદેસર મિલકતો હવે જપ્ત થઈ શકે છે. રાજ્ય સરકારે આરોપીઓની ગેરકાયદેસર મિલકત અંગે કલેક્ટર પાસે રિપોર્ટ માંગ્યો છે. અલગ અલગ ટીમો દ્વારા મિલકત અંગે તપાસ શરૂ કરાઇ. મિલકત ની વિગતનો રિપોર્ટ સરકારને મોકલવામાં આવશે. હાલ કલેકટર પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા છે. 

Trending news