કિશન હત્યા કેસઃ મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા, આરોપીઓનું એન્કાઉન્ટર કરવાની માંગ

અમદાવાદ ઉપરાંત રાજકોટમાં પણ માલધારી સમાજના લોકો આવેદન આપવા પહોંચ્યા હતા. લોકોએ કહ્યુ કે સરકાર હિન્દુઓના નામે મત માંગે છે તો કિશન ભરવાડના હત્યારાઓનું એનકાઉન્ટ કરે.

કિશન હત્યા કેસઃ મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા, આરોપીઓનું એન્કાઉન્ટર કરવાની માંગ

અમદાવાદ, રાજકોટ, ઝી બ્યૂરોઃ ધંધૂકામાં કિશન ભરવાડની હત્યાનો મામલો માત્ર ગુજરાત જ નહીં ભારતભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. અનેક લોકો આ હુમલાને વખોડી રહ્યાં છે અને ન્યાયની માંગ કરી રહ્યાં છે. ગુજરાતમાં પણ કિશનને ન્યાય અપાવવા માટે લોકો રેલીઓ કાઢી રહ્યાં છે અને આરોપીએને સજા આપવાની માંગ કરી રહ્યાં છે. આજે રાજકોટ અને અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો ભેગા થયા હતા. તેમણે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. આ સાથે આરોપીઓનું એનકાઉન્ટ કરવાની માંગ કરી હતી. 

લોકોએ લગાવ્યા નારા
અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે બેનરો લઈને મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. તેમણે કિશનને ન્યાય અપાવવા માટે આવેદન પત્ર આપ્યું હતું. માલધારી સમાજના લોકોએ કલેક્ટર કચેરી બહાર કિશન હમ શર્મિંદા હૈ, તેરા કાતિલ ઝિંદા હૈના નારા લગાવ્યા હતા. કિશન ભરવાડના આરોપીઓને ફાંસીની સજા આપવાની રજૂઆત કરવામાં આવી હતી. 

આરોપીઓનું એનકાઉન્ટર કરવાની માંગ
અમદાવાદ ઉપરાંત રાજકોટમાં પણ માલધારી સમાજના લોકો આવેદન આપવા પહોંચ્યા હતા. લોકોએ કહ્યુ કે સરકાર હિન્દુઓના નામે મત માંગે છે તો કિશન ભરવાડના હત્યારાઓનું એનકાઉન્ટ કરે. તેમણે કહ્યું કે, હિન્દુત્વના રાજમાં હિન્દુઓની હત્યા કરવામાં આવી રહી છે. 

જાણો સમગ્ર ઘટનાક્રમ વિશે?
અમદાવાદના ધંધૂકામાં કિશન ભરવાડ હત્યા કેસનો આખો ઘટનાક્રમ પર નજર કરીએ તો, કિશન ભરવાડ પર બાઈક પર આવેલા બે શખ્સોએ ફાયરિંગ કર્યુ હતું. બાઈક સવારોએ કિશનનો પીછો કરી તેને ગોળી મારી હતી. શબ્બીર ચોપડાએ કિશન ભરવાડ પર ફાયરિંગ કર્યું હતુ. ઈમ્તિયાઝ પઠાણ બાઈક ચલાવતો હતો. પોલીસે આ કેસમાં મૌલવી સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી શબ્બીર ચોપડા અને ઈમ્તિયાઝની ધરપકડ કરાઈ છે. બંને આરોપીની મદદ કરનાર અન્ય એક શખ્સની પણ ધરપકડ કરાઈ છે. 

શાર્પશૂટરોની મદદ કરનાર જમાલપુરના મૌલવી મોહમ્મદ ઐયુબ ઝરવાલાની ધરપકડ કરાઈ છે. જમાલપુરના મૌલવીએ આરોપી શબ્બીર ચોપડાને એક રિવોલ્વર અને 5 કારતૂસ આપ્યા હતા. કિશન ભરવાડ હત્યા કેસમાં અન્ય એક મુંબઈના મૌલવીની સંડોવણી પણ બહાર આવી છે. આરોપી શબ્બીર ચોપડા અને ઈમ્તિયાઝ પઠાણના રિમાન્ડ 5 ફેબ્રુઆરી સુધી મંજૂર કરાયા છે. હાલ ધંધૂકા હત્યા કેસની તપાસ ATSને સોંપાઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news